SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ હોય. એ પ્રમાણે તો આ ગ્રંથનો અભિપ્રાય જાણવો. અને શ્રી પ્રજ્ઞાપનાજીનો અભિપ્રાય તો – પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચો પણ દેવોથી અસંખ્યાતગુણા જ કહ્યા છે, માટે દેવોના અપહારકાળથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચોનો અપારકાળ અસંખ્યગુણ જ હીન હોય, પરંતુ સંખ્યગુણહીન નહિ, એમ સમજાય છે. તથા ઘણાં સ્થાનોમાં આ પ્રકરણને વિશે જ (આ ગ્રંથમાં ઘણે સ્થાને), તેમજ અન્ય ગ્રંથોમાં પણ તે શ્રી પ્રજ્ઞાપનાજીનો પાઠ અત્યંત ઉપયોગી હોવાથી તેમાં કહેલો મહાદંડક જ લખાય છે તે આ પ્રમાણે : પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચપ્રમાણના વિસંવાદમાં શ્રી પ્રજ્ઞાપનાજી મહાદંડકના પાઠનો અર્થ. હવે હે ભંતે ! તે સર્વ જીવોના અલ્પબદુત્વ સંબંધી મહાદંડક કહું છું. (તે આ પ્રમાણે) : ૧. સર્વથી અલ્પ ગર્ભવ્યુત્ક્રાન્ત (ગર્ભજ) મનુષ્યો છે. ૨. તેથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી છે. ૩. તેથી બાદર પર્યાપ્તા તેઉકાય (અગ્નિકાય) અસંખ્યાતગુણા છે. ૪. તેથી અનુત્તરોપપાતિક દેવો (પાંચે અનુત્તરના દેવો) અસંખ્યાતગુણા છે. ૫. તેથી ઉપરિતન ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. ૬. તેથી મધ્યમ ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. ૭. તેથી અધસ્તન (નીચેના) ત્રણ રૈવેયકના દેવો સંખ્યાતગુણા છે. ૮. તેથી અશ્રુત કલ્પના (બારમા દેવલોકના) દેવો સંખ્યાતગુણા છે. ૯. તેથી આરણ કલ્પના (અગીઆરમા દેવલોકના) દેવો સંખ્યાતગુણા છે. ૧૦. તેથી પ્રાણત કલ્પના (દશમા દેવલોકના) દેવો સંખ્યાતગુણા છે. ૧૧. તેથી આનત કલ્પના (નવમા દેવલોકના) દેવો સંખ્યાતગુણા છે. ૧૨. તેથી અધોલોકમાં નીચે સાતમી પૃથ્વીના નારક જીવો અસંખ્યાતગુણા છે. ૧૩. તેથી છઠ્ઠી ત:પ્રભા પૃથ્વીના નારકો અસંખ્યાતગુણા છે. ૧૪. તેથી સહસ્ત્રાર કલ્પના (આઠમા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. ૧૫. તેથી મહાશુક્ર કલ્પના (સાતમા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. ૧૬. તેથી પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારક જીવો અસંખ્યાતગુણા છે. ૧૭. તેથી લાંતક કલ્પના (છઠ્ઠા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. ૧૮. તેથી ચોથી પંકપ્રભા પૃથ્વીના નારક જીવો અસંખ્યાતગુણા છે. ૧૯. તેથી બ્રહ્મલોક કલ્પના (પાંચમા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. ૨૦. તેથી ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારક જીવો દેવો અસંખ્યાતગુણા છે. ૨૧. તેથી માહેન્દ્ર કલ્પના (ચોથા દેવલોકના) દેવો અસંખ્યાતગુણા છે. For Private 3 Osonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy