SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ જે પલ્ય તે પૂર્વે સામાન્યથી કહેલો છે તે જાણવો, કે જે પલ્ય કેવા પ્રકારના સ્વરૂપવાળો છે? તે કહે છે – LI પલ્યોપમને અંગે પત્નનું સ્વરૂપ છે જે પલ્ય વિસ્તારમાં કેટલો? તે કહે છે - ૧ યોજન. વળી વૃત્ત આકારવાળો હોવાથી લંબાઈમા પણ ૧ યોજન જાણવો. (અર્થાત્ ૧ યોજન પહોળો અને ૧ યોજન લાંબો એવી પલ્ય જાણવો.) વળી તે પલ્ય ત્રણગુણ યોજનવાળો અને કંઈક અધિક એટલો પરિરપ એટલે પરિધિ વડે છે (એટલે ત્રણ યોજનથી કંઈક અધિક પરિધિ-ઘેરાવાળો છે). કારણ કે સર્વે વૃત્ત પદાર્થો પોતાના વિખંભથી (પહોળાઈથી) અથવા પોતાની લંબાઈથી ત્રણ ગુણથી કંઈક અધિક વૃત્ત-ગોળાકારવાળા હોય છે, એવું શાસ્ત્રવચન હોવાથી, એ પલ્ય સાધિક ત્રણગુણી ભમતીવાળો (ગોળાઈવાળો-ઘેરાવાળો) છે, એ ભાવાર્થ છે. તથા વૂિદ્ધ એટલે ઊંચો પણ તેટલો જ એટલે ૧ યોજન પ્રમાણ છે. અર્થાત્ લંબાઈ અને વિસ્તાર વડે પ્રત્યેક યોજનપ્રમાણ, તેમજ ઊંચાઈમાં પણ યોજનપ્રમાણ, અને ભમતી વડે-પરિધિ વડે તો કંઈક ન્યૂન ૬ ભાગ અધિક ત્રણ યોજન પ્રમાણવાળો એવો જે પલ્ય, તે જ અહીં પલ્યોપમના સંબંધમાં નિર્દેશેલો છે, એટલે જાણવા યોગ્ય છે, એ તાત્પર્ય છે. એ પ્રમાણે આ ગાથાનો અર્થ સમાપ્ત થયો. ./૧૧૮ સવતર : હવે તે પલ્ય જેવા પ્રકારના વાલાઝો વડે ભરવાનો હોય છે, તે તે વાલીગ્રોનું નિરૂપણ કરવાને આ ગાથા કહેવાય છે (અર્થાત્ આ ગાથામાં પલ્યને વિષે ભરવા યોગ્ય વાલાઝોનું સ્વરૂપ કહે છે) : एगाहिय बेहिय तेहियाण उक्कोस सत्तरत्ताणं । सम्मनै संनिचियं, भरियं वालग्गकोडीणं ॥११९॥ થાઈ. એક દિવસના, બે દિવસના, ત્રણ દિવસના યાવત્ ઉત્કૃષ્ટથી સાત રાત્રિના (સાત દિવસના) ઉગેલા વાલાષ્યકોટીઓથી સમૃષ્ટિ (કાંઠા સુધી ભરેલ) અને સંનિચિત (નિબિડ) ૧. અહીં વિજૂર્વવાદ [કળી વક્ર પરિરો દોડુ એ સિદ્ધાન્તોમાં કહેલી પરિધિ કાઢવાની ગણિતરીતિ પ્રમાણે પરિધિનું ગણિત કરીએ તો એક યોજનવૃત્તનો પરિધિ કિંચિત્ જૂન ૬ ભાગ અધિક ત્રણ યોજન આવે, તે આ પ્રમાણેઅહીં પરિધિ કાઢવાની રીતિ ‘ વિખંભવષ્ય' ઇત્યાદિ વચનથી કહી તે રીતિ આ પ્રમાણે - વિખંભનો વર્ગ કરી તેને દશવડે ગુણી, જે આવે તેનું વર્ગમૂળ કરીએ તો તે વૃત્ત પદાર્થનો પરિધિ પ્રાપ્ત થાય. એ રીતિ પ્રમાણે અહીં પલ્યનો વિખંભ ૧ યોજન છે, માટે તેને દશ વડે ગુણતાં ૧૦ આવ્યા, તેનું વર્ગમૂળ કાઢવાથી ૩ આવે. તેની અંક સ્થાપનાઃ ૧ યોજન વિખંભ ભાજક અહીં ભાજક ત્રણમાં ત્રણનો જવાબ ઉમેરવો તે વર્ગમૂળની રીતિ જાણવી. વર્ગમૂળ તે કહેવાય કે જે વર્ગમૂળને વર્ગમૂળે ગુણતાં પુનઃ વર્ગ આવવો જોઈએ. તે પ્રમાણે ગણતાં. એટલે ૧૯ ૧૯ = ૩૬૧, ૩૬) ૩૬૧ (૧૦ જવાબ ૧ શેષ એ પ્રમાણે ૧૦ સંપૂર્ણ આવવા જોઈએ તેને બદલે ૧૦ ઉપરાન્ત અધિક આવ્યા, માટે જાણવું જોઈએ કે વર્ગમૂળમાં ભાજક ૬ જો કિંચિતન્યૂન હોત તો અહીં વર્ગ કરતી વખતે ૧૦ જવાબ બરાબર આવત, માટે કિંચિત્ જૂન ૬ ભાગ કહ્યા છે. For Priva! 99ersonal Use Only x ૧૦ વાબ = ૩ ૧૦ Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy