SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ થતું નથી, માટે ક્ષાયિક સમ્યક્ત પરંપરાભાવથી ચાર અનંતાનુબંધીના ક્ષય વિના નહિ થનારું હોવાથી, અનંતાનુબંધી ક્રોધ વિગેરે ચાર અનંતાનુબંધી કષાયોને પણ દર્શનમોહનીયરૂપે વિવસેલા છે, માટે દર્શનસપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય એમ અન્ય શાસ્ત્રોમાં કહેલું છે. માટે (દર્શનત્રિકના ક્ષયથી પણ ક્ષાયિક સમ્યકત્વ કહેવામાં) કોઈ વિરોધ નથી. પરમાર્થથી તો પૂર્વે કહેલું દર્શનરિક જ દર્શનમોહનીય કહેવાય; કારણ કે દર્શનત્રિકના ક્ષયથી જ અનન્તરભાવે (તુર્ત) ક્ષાયિક સમ્યકત્વની ઉત્પત્તિ થાય છે માટે, હવે એ બાબતની અધિક ચર્ચા કરવાથી સર્યું. તથા કોઈ સ્થાને વઢ્ય વંસતિ ધારો એવો પાઠ છે, ત્યાં દર્શનત્રિકનો ઘાત એટલે ક્ષય, તે ક્ષયથી ઉત્પન્ન થયેલું જે સમ્યત્વ તે ક્ષાયિક સમ્યક્ત કહેવાય, એવી વ્યાખ્યા કરવી. એ પ્રમાણે બીજા પણ ફેરફારવાળા પાઠ દેખવામાં આવે તો પૂર્વે કહેલા સ્વરૂપને અનુસાર ચાલુ વાતમાં વિરોધ ન આવે તેવી રીતે અર્થ કરવો. એ ૭૮ મી ગાથાનો અર્થ સમાપ્ત થયો. //૭૮ નવતર : એ પ્રમાણે પૂર્વ ગાથામાં ત્રણ પ્રકારના સમ્યત્ત્વનું સ્વરૂપ કહ્યું. હવે તે સમ્યક્તમાં ગુણસ્થાનરૂપ જીવભેદોને વિચારે છે (એટલે તેમાં ગુણસ્થાન કહે છે): उवसम वेयग खइया, अविरयसम्माइ सम्मदिट्ठीसु । उवसंतमप्पमत्ता, तह सिद्धता जहाकमसो ॥७९॥ થાક ઉપશમ સમ્યત્વ, વેદક (ક્ષયોપશમ) સમ્યક્ત અને ક્ષાયિક સમ્યત્વવાળા જીવો સમ્યગુદૃષ્ટિઓમાં જ હોય છે. પરન્તુ પહેલાં ૩ ગુણસ્થાનમાં નહિ), અને તે અનુક્રમે ઉપશાન્ત સમ્યક્ત ઉપશાન્તમોહ સુધી, ક્ષયોપશમ અપ્રમત્ત સુધી, અને ક્ષાયિક સમ્યકત્વ સિદ્ધ અવસ્થા સુધી હોય છે. //૭૯યા ટીકાર્થ: ૩વસ ઇત્યાદિ. અહીં ૩વસ એટલે ઉપશમ સમ્યત્વ, અને વૈયા એટલે જેને વિષે શુધ્ધ એવા સમ્યક્ત પુજનાં યુગલો વેદાય એટલે અનુભવાય તે વેચવે, અર્થાત્ ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય. ઔપશમિક અને ક્ષાયિક સમ્યક્તમાં પુલવેદનનો સર્વથા જ અભાવ હોવાથી ક્ષયોપશમ સમ્યત્વને જ વેદક સમ્યક્ત કહેવામાં આવે છે, એ તાત્પર્ય છે. અને તે કારણથી જ ક્ષય પામતા સમ્યક્તપુંજનાં પુદ્ગલોના જે ચરમ ગ્રાસને બીજાં શાસ્ત્રોમાં વેદક સમ્યક્ત કહ્યું છે, તે (ચરમ ગ્રાસરૂપ વેદકને) આ ગ્રંથમાં જુદું કહ્યું નથી; કારણ કે પુગલવેદનપણાથી સમાનતા હોવાથી તે ચરમ ગ્રાસરૂપ વેદકસમ્યક્ત આ ક્ષયોપશમ સમ્યક્તમાં જ અંતર્ગત થાય છે. તથા વડ઼ય એટલે સાયિક સમ્યક્ત. એ ત્રણે સમ્યક્ત વિરયસમ્માસવિદ્દીસુ એટલે અવિરત સમ્યગુદૃષ્ટિ આદિ ગુણસ્થાનવાળા સમ્યગુદૃષ્ટિ જીવોમાં વર્તે છે, પરંતુ મિથ્યાષ્ટિ, સાસ્વાદન અને મિશ્ર-એ ત્રણ ગુણસ્થાનવાળા જીવોમાં ૧. ક્ષાયિક સમ્યક્ત પામતી વખતે સમ્યક્વમોહનીયનાં પુગલો જે છેલ્લા સમયે ક્ષય પામે છે, તે છેલ્લા સમયે ક્ષય પામતાં પુદગલો વરમાસ કહેવાય, કે જેના અનન્તર સમયે જ ક્ષાયિક સમ્યક્તની પ્રાપ્તિ થાય છે માટે ક્ષયોપ૦નો છેલ્લો સમય તે વેવ સત્વ. For Private s esonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy