SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ અશુભપ્રકૃતિઓના રસનો વિચાર કરાય છે. તે આ પ્રમાણે :-) અશુભ પ્રકૃતિની અશુભરસ કો શાતકી તથા લીંબડા વિગેરેના રસ સરખો હોય છે, માટે એ જ દૃષ્ટાંત દ્વારા અશુભ પ્રકૃતિઓનો એકસ્થાનિકાદિ રસ સમજાવીએ છીએ. તે આ પ્રમાણે - જેમ પટો*લિકા અને લીંબડા વિગેરેના જે સ્વાભાવિક રસ, અર્ધ ઉકાળેલો (બાળેલો) રસ, બે ભાગ બાળેલો રસ (એટલે રસના ૩ ભાગમાંથી બે ભાગ બાળી ૧ ભાગ રાખેલો રસ), તથા ત્રણ ભાગ બાળેલો રસ (એટલે રસના ૪ ભાગ કરી તેમાંથી ત્રણ ભાગ જેટલો બાળીને ૧ ભાગ રાખેલો રસ), તે અનુક્રમે જેમ એકસ્થાનિક-ક્રિસ્થાનિક-ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક કહેવાય, અને તે અનુક્રમે કડવો-અધિક કડવો-ઘણો કડવો અને અતિશય કડવો હોય છે, અને એ ચારે પ્રકારના રસ તે સર્વમાં જળનો અંશ, બિંદુ, અર્ધચુલુક આદિ પ્રક્ષેપવાથી વિચિત્ર પ્રકારના બને છે; તે પ્રમાણે અશુભ પ્રવૃતિઓનો રસ પણ યથાસંભવ એકસ્થાનિકક્રિસ્થાનિક-ત્રિસ્થાનિક અને ચતુઃસ્થાનિક કહેવાય છે, અને પોતાના કારણભૂત અધ્યવસાયોની વિચિત્રતાથી એ દરેક રસ પણ ઘણા પ્રકારનો બને છે. અહીં અશુભ પ્રવૃતિઓના ચતુઃસ્થાનિક અને ત્રિસ્થાનિક એ બે પ્રકારના રસના સર્વે પણ સ્પર્ધકો પોતાને આવરવા યોગ્ય આત્મગુણનો સર્વથા ઘાત કરે છે, માટે એ બે રસ તો સર્વઘાતી જ છે. અને ક્રિસ્થાનિક રસ તો કેટલાક તેવા પ્રકારનો સર્વઘાતી છે, અને કેટલાક દેશધાતી પણ છે. અને એકસ્થાનિક રસ તો સર્વ દશઘાતી જ છે. તેથી એ વાત સિદ્ધ થઈ કે જ્ઞાનાવરણ આદિ અશુભ કર્મોના રસસ્પર્ધકો બે પ્રકારના છે. ત્યાં પૂર્વે કહેલા સર્વઘાતી રસવાળાં સ્પર્ધકો સર્વઘાતી, અને દેશઘાતી રસવાળાં સ્પર્ધકો દેશઘાતી જાણવાં. એ ૭૬ મી ગાથાનો અર્થ કહ્યો. //૭૬ વિતરણ: પૂર્વ ગાથામાં મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શનમોહનીય એ ત્રણ કર્મનાં રસસ્પર્ધકો સર્વઘાતી અને દેશઘાતી એમ બે પ્રકારનાં કહ્યાં, તેથી શું તાત્પર્ય છે? તે આ ગાથામાં દર્શાવાય છે : सब्बेसु सव्वघाइसु, हएसु देसोवघाइयाणं च । भागेहि मुच्चमाणो, समए समए अणंतेहिं ॥७७॥ થાર્થ સર્વે સર્વઘાતી રસસ્પર્ધકો હયે છતે, અને દેશોપઘાતી સ્પર્ધકોમાંથી પ્રતિસમય અનંત અનંત ભાગને છોડતો છતો જીવ સમ્યક્ત પામે છે. રીક્ષાર્થ સર્વે સર્વઘાતી સ્પર્ધકો એટલે ચતુઃસ્થાનક અને ત્રિસ્થાનક રસવાળાં રસસ્પર્ધકો ૧. કોશાતકી એટલે કડવી કાકડીનો વેલો. ૨. પટોલિકા પણ એક જાતિની કડવી વનસ્પતિનો વેલો સંભવે છે. ૩. કારણભૂત અધ્યવસાયો અસંખ્યાત લોકાકાશના પ્રદેશ જેટલા છે, માટે રસભેદ પણ તેટલા અસંખ્યાત છે, અને અન્તર્ગત વિશુદ્ધિ અથવા સંક્લેશના અંશથી વિચારતાં દરેક રસસ્થાન વિશુદ્ધિના અનંત અંશવાળું અથવા સંક્લેશના પણ અનંત અંશવાળું છે. Jain Education International For Private ne sonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy