SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ કવિઠના રસથી પણ અનન્તગુણ શુભ રસવાળાં છે; અને સ્પર્શથી બુરાં, માખણ તથા શિરીષપુષ્પના સ્પર્શથી પણ અનન્તગુણ કોમળ સ્પર્શવાળાં છે. || તિ તેનોને દ્રવ્યસ્થ વરિય:// - પારૂપ પરિણામ ઉત્પન્ન કરનાર દ્રવ્યો વધfથી દળેલી હરતાલ તથા શણના પુષ્પ સરખા વર્ણવાળાં છે; આધથી તેજલેશ્યા તુલ્ય ગંધવાળાં છે, પરન્તુ તેજલેશ્યાના ગંધથી અધિક શુભ ગંધવાળાં જાણવાં. રસથી સંસ્કાર કરાયેલી દ્રાક્ષથી તથા સરકાથી પણ અનન્તગુણ શુભ રસવાળાં છે, અને સ્પર્શથી તેજલેશ્યાના દ્રવ્યના સ્પર્શ સરખાં પરન્તુ તેથી અધિક કોમળ સ્પર્શવાળાં જાણવાં. / રૂતિ પરત્વેશ્યાદ્રિવ્યસ્ય વધયઃ || શુભૂત્તેિયારૂપ પરિણામ - હેતુભૂત દ્રવ્યો વર્ષથી શંખકુન્દપુષ્પ-દુગ્ધ અને મોતીના હાર, સરખા ઉજ્વલ વર્ણવાળાં છે; ત્વથી તેજલેશ્યા તુલ્ય, પરન્તુ તેથી ઘણો જ શુભ ગબ્ધ છે એમ જાણવું. રસથી ખજૂર-દ્રાક્ષ-દુગ્ધ અને સાકરથી પણ અનન્તગુણ શુભ રસવાળાં છે, અને સ્પર્શથી તેજલેશ્યાતુલ્ય, પરન્તુ તેથી અતિઘણો કોમળ સ્પર્શ અહીં કહેવો. || તિ शुक्ललेश्याद्रव्यस्य वर्णादयः ।।। એ પ્રમાણે હોવાથી એ કૃષ્ણાદિક દ્રવ્યો વડે જીવના જે પરિણામવિશેષો (પરિણામના ભેદ) ઉત્પન્ન થાય છે, તે (પરિણામો) જ મુખ્યવૃત્તિએ અહીં વેશ્યાશબ્દ વડે કહ્યા છે, અને ગૌણવૃત્તિએ તો કારણને વિષે કાર્યોપચારરૂપ લક્ષણા વડે (એટલે કારણમાં કાર્યનો આરોપ ગણીને) એ કૃષ્ણાદિક દ્રવ્યો પણ લેશ્યા શબ્દથી વ્યપદેશવાળાં થાય છે. અને તેથી કૃષ્ણાદિ દ્રવ્યો દ્રવ્યરૂપ લેશ્યા એટલે દ્રવ્યલેશ્યા ગણાય છે, અને તે કારણથી ભવનપતિ તથા વ્યત્તર દેવોને કૃષ્ણ-નીલ-કાપોત-તૈજસુરૂપ જે ૪ લેશ્યાઓ કહી છે, તે ચાર દ્રવ્યલેશ્યા જ જાણવી. તેનો ભાવાર્થ આ પ્રમાણે : કોઈક દેવને જન્મથી પ્રારંભીને પર્યન્ત સુધી (ચ્યવન સુધી) કૃષ્ણલેશ્યાદ્રવ્યો જ ઉદયપ્રાપ્ત હોય છે, કોઈકને નીલલેશ્યાદ્રવ્યો જ, કોઈકને કાપોતલેશ્યાનાં દ્રવ્યો જ; અને કોઈક દેવને જન્મથી પ્રારંભીને ચ્યવન પર્યન્ત તેજલેશ્યાનાં જ દ્રવ્યો ઉદયપ્રાપ્ત હોય છે. પરન્તુ એ દેવોમાંના કોઈપણ દેવને પદ્મવેશ્યાનાં તથા સુફલલેશ્યાનાં દ્રવ્ય અવસ્થિત ઉદયવાળાં હોય એમ નહિ. એ પ્રમાણે શેષ દેવોમાં તથા નારકોમાં પૂર્વે જેને જે લેગ્યા કહી છે, તે તેની દ્રવ્યલેશ્યા જાણવી. અર્થાત્ તે તે દેવને અને તે તે નારકને તે તે વેશ્યાદ્રવ્યો હંમેશા અવસ્થિત ઉદયવાળાં હોય છે, એ ભાવાર્થ છે. અને ભાવની અપેક્ષાએ વિચારીએ તો સર્વ દેવોને તથા સર્વ નારકોને છએ લેશ્યાઓ હોય છે. પ્રશ્ન:- ભાવ તે દ્રવ્યલેશ્યાથી જ ઉત્પન્ન થયેલો કહ્યો છે, માટે જે તે દેવ- નારકોને ૬ પ્રકારનાં લેક્ષાદ્રવ્યો ન સંભવે તો દ્રવ્યલેશ્યાથી ઉત્પન્ન થતી ૬ પ્રકારની ભાવલેશ્યા પણ કેવી રીતે સંભવે? જો કારણ વિના કાર્ય થાય તો તેવા કાર્યને નિર્દેતુકપણાનો પ્રસંગ આવે છે, (એટલે કાર્યની ઉત્પત્તિ કારણ વિના જ થયેલી ગણાય છે), માટે ૬ દ્રવ્યલેશ્યા નહિ, તો ૬ ભાવલેશ્યા પણ કેવી રીતે હોય? ૧. દ્રાક્ષ - શેલડી ઈત્યાદિ મધુર રસવાળી ચીજોનો ખાટો થઈ ગયેલો રસ તે સટ્ટો કહેવાય. ૨-૩. જન્મથી પ્રારંભીને ચ્યવન પર્યન્ત ઉદય તે અહીં ચાલુ પ્રકરણમાં અવસ્થિત ઉદય જાણવો. Jain Education International For Private 10rsonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy