SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ છે. તથા મૂળગુણ અને ઉત્તરગુણોની વિરાધના કરવાથી અથવા સંજ્વલન કષાયના ઉદયથી % = કુત્સિત છે શીન = ચારિત્ર જેઓનું તે શીત શ્રમ કહેવાય. તથા મોહનીયકર્મરૂપી ગ્રંથથી (ગાંઠથી) જેઓ નિઃ = નીકળી ગયા છે તે નિર્ણય શ્રમUT કહેવાય. તથા ઘાતિકર્મરૂપી મલના સમૂહને સ્નાત એટલે ધોઈ નાખેલ હોવાથી સ્નાન કરાયેલા સરખા નાત શ્રમUT એટલે શ્રીદેવલિભગવંત જાણવા. પુલાક શ્રમણના પ્રતિભેદનું સ્વરૂપ ત્યાં પુલાક શ્રમણો ૨ પ્રકારના છે. ૧. લબ્ધિ પુલાક, ૨. પ્રતિસેવા પુલાક. ત્યાં લબ્ધિવિશેષસહિત હોય તે ધ્ધિપૂનવિ કહેવાય. જે કારણથી કહ્યું છે કે – “નીy = જે લબ્ધિ વડે સંઘાદિકના કાર્યપ્રસંગે ચક્રવર્તીને (એટલે ૧૨ યોજન પ્રમાણ ચક્રવર્તીના સૈન્યને પણ) ચૂર્ણ કરી નાખે તીઈ = તેવા પ્રકારની લબ્ધિ વડે જે યુક્ત એવા મુનિ તે તૃધ્ધિપુનીશ શ્રમUT જાણવા.” અન્ય આચાર્યો કહે છે કે – આસેવન થી જે જ્ઞાનપુલાક છે, તેની એવા પ્રકારની લબ્ધિ હોય છે, તે જ લબ્ધિપુલાક કહેવાય છે, પરન્તુ લબ્ધિપુલાક એ કોઈ જુદો ભેદ નથી. પ્રતિસેવા પુન૬િ શ્રમણ ૫ પ્રકારના છે : ૧. જ્ઞાનપ્રતિસેવક પુલાક, ૨. દર્શનપ્રતિસેવક પુલાક, ૩. ચારિત્રપ્રતિસેવક પુલાક, ૪. લિંગપ્રતિસેવક પુલાક, અને ૫. સૂક્ષ્મપ્રતિસેવક પુલાક. તે સંબંધમાં કહ્યું છે કે : “અલિત – સ્કૂલના આદિ દૂષણો વડે જ્ઞાનને મલિન કરે, શંકા ઈત્યાદિ વડે દર્શન-સમ્યક્ત મલિન કરે, અને મૂલગુણ - ઉત્તરગુણની – પ્રતિસેવા-વિરાધના વડે ચારિત્રની વિરાધના કરે (તે અનુક્રમે જ્ઞાનપ્રતિસેવક - દર્શનપ્રતિસેવક અને ચારિત્ર પ્રતિસેવક પુલાક મુનિ કહેવાય). ૧ જે સાધુ નિષ્કારણે-વિના કારણે અન્ય લિંગ ધારણ કરે તે લિંગપુલાક જાણવો, અને નહિ સેવવા યોગ્ય આચાર અથવા પદાર્થનું જે મનથી પણ સેવન કરે તે મુનિ યથાસૂમપુલાક કહેવાય. (એ પુલાકના ૫ ભેદનો અર્થ કહ્યો).” બકુશ શ્રમણના પ્રતિભેદનું સ્વરૂપ વFશ શ્રમણો પણ ૨ પ્રકારના છે. ૧. ઉપકરણ બકુશ, ૨. શરીર બકુશ. ત્યાં વસ્ત્રાદિને ઘોવું તથા વસ્ત્રાદિ ઉપકરણોની વિભૂષા-શોભા કરવી ઈત્યાદિ કરનારા તે ઉપર વશ કહેવાય. તથા હાથ-પગ-નખ-મુખ ઈત્યાદિ શરીરના અવયવોને અથવા સમગ્ર શરીરને ધોવા તથા તેની વિભૂષા - શોભા કરવી ઈત્યાદિ અનુવર્તન કરનારા શ્રમણો શરીર વવશ કહેવાય. પુનઃ એ બન્ને પ્રકારના બકુશ મુનિઓ પણ સામાન્યથી ૫ પ્રકારના છે. તે આ પ્રમાણે-૧. ભોગ બકુશ, ૨. અનાભોગ બકુશ, ૩. સંવૃત બકુશ, ૪. અસંવૃત બકુશ, ૫. સૂક્ષ્મ બકુશ. ત્યાં શરીર તથા ઉપકરણોની વિભૂષા કરવી તે સાધુઓને કરવા યોગ્ય નથી એવા પ્રકારનો જે ૩મો એટલે જ્ઞાન તેની મુખ્યતાવાળા મુનિઓ તે 9. ડેમોકા વશ, એથી વિપરીત ૧. આગળ પ્રતિસેવા પુલાકના જે ૫ ભેદ કહેવામાં આવશે તેમાં જ્ઞાનપ્રતિસેવક નામના પુલાક શ્રમણને તેવા પ્રકારની લબ્ધિ હોય છે. તે લબ્ધિપુલાક - ઈતિ અન્ય આચાર્યોનો અભિપ્રાય. Jain Education International For Private C sonal Use Only www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy