SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ અહીં કોણો ઈત્યાદિ પદો ગાથા ઉત્તરાર્ધ છે, તેનો અર્થ આ પ્રમાણે - ક્રોધ, માન, માયા રૂપ ૩ કષાયોમાં મિથ્યાદૃષ્ટિથી પ્રારંભીને અનિવૃત્તિ સુધીના ૯ જીવસમાસ જ પ્રાપ્ત થાય છે, અને લોભ કષાયમાં ૯ જીવસમાસ તો એ કહ્યા તે જ અને દશમો સૂક્ષ્મસંહરાય જીવસમાસ પ્રાપ્ત થાય છે. એ કારણથી જ ગાથામાં કહ્યું છે કે – તો મો સરાસંતો = સૂક્ષ્મકિટિકૃત લોભારૂપ રાગ સહિત હોય તે સરી એટલે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાન, તે સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં કષાયનો – લોભનો અભાવ છે. અહીં લોભને સ૨IFIIન્ત કહ્યો તે સરાગાન્ત પદની વ્યુત્પત્તિ આ પ્રમાણે - સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં લોભ કષાયનો સદ્દભાવ, અને તેથી અગ્રનાં ગુણસ્થાનોમાં કષાયના અભાવરૂપ અન્ત = વિચ્છેદ છે જેનો તે સર!IIન્ત લોભ કહેવાય. એમાં તાત્પર્ય એ છે કે – ક્રોધ, માન, માયારૂપ ૩ કમાયનો અનિવૃત્તિ બાદર નામના નવમા ગુણસ્થાનમાં જ વિચ્છેદ થાય છે, તેથી તેના આગળનાં દશમાં વિગેરે ગુણસ્થાનોમાં એ ૩ કષાયના ઉદયનો અભાવ હોય છે, તે કારણથી એ ૯ ગુણસ્થાનો જ ક્રોધાદિ ૩ કષાયમાં પ્રાપ્ત થાય છે. અને લોભ કષાયનો ઉદય તો દશમા સૂક્ષ્મસંપરાય ગુણસ્થાનમાં પણ હોય છે, માટે લોભ કષાયમાં સૂક્ષ્મસંપરાય સુધીનાં ૧૦ ગુણસ્થાન પ્રાપ્ત થાય છે. એ પ્રમાણે ૬૦મી ગાથાનો અર્થ સમાપ્ત થયો //૬ll વતર : પૂર્વ ગાથામાં કષાયદ્વારમાં ૧૪ જીવસમાસ કહીને હવે જ્ઞાન દ્વારમાં ૧૪ જીવસમાસની યથાસંભવ પ્રાપ્તિ કહેવાય છે. તે આ પ્રમાણે : आभिणिसुओहिमणके-वलं च नाणं तु होइ पंचविहं । ओग्गह ईह अवाया, धरणाऽऽभिणिबोहियं चेव ॥६१॥ માથાર્થ : આભિનિબોવિકજ્ઞાન - શ્રુતજ્ઞાન -અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એ પ્રમાણે જ્ઞાન ૫ પ્રકારનું છે. તેમાં આભિનિબોવિકજ્ઞાન અવગ્રહ- ઈહા-અપાય-ધારણા એ પ્રમાણે ૪ પ્રકારનું છે. એ૬ ૧ી. વ્યાધ્યાર્થ : જ્ઞાયતે = પરિચ્છિદ્યતે એટલે વસ્તુ જેના વડે પરિછેદાય એટલે ઓળખાય તે જ્ઞાન કહેવાય. અથવા જ્ઞાતિઃ એટલે જાણવું તે જ્ઞાન, અર્થાત્ સામાન્યધર્મ તથા વિશેષ ધર્મ એ ઉભયધર્માત્મક વસ્તુમાં જે વિશેષધર્મગ્રાહી બોઘ તે જ્ઞાન, અને તે પુનઃ આભિનિબોધિકજ્ઞાન-શ્રુતજ્ઞાન-અવધિજ્ઞાન-મન:પર્યવજ્ઞાન-કેવળજ્ઞાન એમ ૫ પ્રકારનું જ્ઞાન છે. અહીં “ભીમ એટલે ભીમસેન ઈત્યાદિ ન્યાયથી પદના એકદેશ વડે પણ સમસ્ત - સંપૂર્ણ પદનો બોધ થતો હોવાથી ગાથામાં ‘ગામfor = આભિનિ” એટલું જ પદ કહેવાથી પણ સામનિવાધિક જ્ઞાન એ સંપૂર્ણ પદનું ગ્રહણ થાય છે. ત્યાં મામિ પદ અભિમુખ અર્થમાં છે, નિ પદ નિયતપણાના અર્થમાં છે, તેથી જે વસ્તુનો બોધ કરવાનો છે તે વસ્તુ પોતાના યોગ્ય પ્રદેશમાં - સ્થાનમાં રહી હોય તે અભિમુખ વસ્તુ કહેવાય, માટે fમ એટલે અભિમુખ એટલે વસ્તુના યોગ્ય દેશાવસ્થાનની અપેક્ષાવાળો અને નિયતિ એટલે ઈન્દ્રિયોને આશ્રયિ પોતપોતાના વિષયની અપેક્ષાવાળો જે વાઘ તે મિનિવોઘ, અને અભિનિબોધ પદને આર્થિક તદ્ધિતનું રૂપ બનાવતાં યામિનિવોધિક પદ થાય છે. અથવા કર્તરિ પ્રયોગની વ્યુત્પત્તિ કરીએ તો વસ્તુને જે મિનિધ્યતે-રવિ નત્તિ એટલે જાણે તે આમિનિધિશ્વજ્ઞાન, અથવા કર્મણિ પ્રયોગને For Privat ot ersonal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001451
Book TitleJivsamasprakaran
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJain Granth Prakashan Samiti
Publication Year1994
Total Pages496
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Philosophy, & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy