SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ 318 आचाराङ्ग इस पुस्तक में कालानुक्रम से दिये गये कतिपय शब्दों के प्रयोगों ने प्राचीन प्राकृत ग्रंथों के सम्पादन को भी एक दिशा दी है। इससे यह बौद्धिक निष्कर्ष भी निकलता है कि कोई भी प्राकृत कुछ निश्चित बंधे-बंधाये नियमों के सहारे नहीं समझी जा सकती । इसके लिए सभी प्राकृतों के अन्तः- सम्बन्धों को समझना भी जरूरी है। इसे आपने अर्धमागधी के स्वरूप की कुछ विशेषताओं द्वारा समझाया भी है। पाण्डुलिपियों के प्रयोगों के महत्त्व को भी पुस्तक में रेखांकित किया है। इस तरह का सत्प्रयत्न शौरसेनी प्राकृत के प्राचीन सिद्धान्त-ग्रन्थों की भाषा के क्षेत्र में भी होना चाहिए। आपका यह प्रेरणास्पद सारस्वत पुरुषार्थ अभिनंदनीय है। उदयपुर -डॉ. प्रेमसुमन जैन ર૫-૨-૧૭ સંશોધનનું અતિસુંદર પુસ્તક. પ્રારંભમાં લેખકે સંસ્કૃત અને પ્રાકૃત ભાષાઓના પરસ્પર સંબંધને ઉદાહરણો તથા ઉદ્ધરણો આપી વિશદ રીતે સમજાવ્યો છે. આમાં “પ્રકૃતિ” અને “યોનિ” શબ્દોનો જે અર્થ કર્યો છે તે પ્રતિતિકર લાગતો નથી. પરંતુ તે પછીનું જે મુદ્દાસર વિવેચન છે તે સઘળું દાદ માગી લે એવું છે. ઉપલબ્ધ પ્રાચીન સાહિત્ય તેમજ શિલાલેખોમાં મળતા ભાષાનાં સ્વરૂપની દૃષ્ટિએ અહીં પરંપરાગત પ્રાકૃત વ્યાકરણના કેટલાક નિયમોની સમીક્ષા કરી અર્ધમાગધી ભાષાની વિશેષતાઓ દર્શાવવાનો પ્રબળ અને પ્રશસ્ય પ્રયત્ન કર્યો છે. વિશેષાવશ્યકભાષ્યની એક પ્રાચીન તાડપત્રીય હસ્તપ્રત જેસલમેરના ભંડારમાંથી પ્રાપ્ત થઈ તેમાંના પાઠોના અભ્યાસે લેખકને આ નવી દિશા સુઝાડી. વ્યાકરણના આ નિયમોની ચર્ચામાં વિવિધ લબ્ધપ્રતિષ્ઠિત વિદ્વાનોનાં મન્તવ્યો રજૂ કરી સરસ વિશ્લેષણ કર્યું છે. વળી આગમો આદિમાંથી થોકબંધ ઉદાહરણો આપ્યાં છે. અર્ધમાગધીનું તો વ્યાકરણ જ રચાયું નથી; આચાર્ય હેમચન્દ્ર પણ તેને “આર્ષ' કહી અટકી ગયા છે. વ્યાકરણના નિયમો પછીની પ્રાકૃત ભાષાઓ માટે ઘડાયા છે. આથી અઘોષ વ્યંજનોનું ઘોષીકરણ, મધ્યે આવતાં વ્યંજનનો લોપ તથા ન નો ણ થવો વગેરે માટેના નિયમો પ્રાચીન અર્ધમાગધીને લાગુ પાડવા ઉચિત નથી. અર્ધમાગધી આગમોના સર્વ સંપાદકોએ વ્યાકરણના નિયમોને લક્ષમાં લઈને સંપાદન કર્યું હોવાથી ભાષામાં ખૂબ પરિવર્તન આવી ગયું છે. આ રીતે મહારાણી પ્રાકૃતનાં રૂપો સારા પ્રમાણમાં ઘૂસી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001438
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra
Original Sutra AuthorN/A
AuthorK R Chandra, Dalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1997
Total Pages364
LanguagePrakrit, Gujarati, Hindi, English
ClassificationBook_Devnagari, Agam, Canon, & Research
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy