SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૪. : આરામોભા રાસમાળા છે તે કુલધરકન્યાના વિલાપ અને પતિએ છેાડતાં એને આવેલા વિચારા (૩૨૧૪૧). પૂ.જાઋષિએ એના વિલાપમાં પાપસવેદન ગૂ થેલું. જિતહષે અને એના આજ સુધીના જીવનની નિઃસારતા ને પતિ પ્રત્યેના તીવ્ર આક્રેશ વ્યક્ત કરતી બતાવી છે. તરણાના તાપ જેવા નિર્ગુણુ નરના સ્નેહને એ ઉપાલ'ભા આપે છે અને પુરુષતિ-સ્ત્રીતિ વચ્ચેની વિષમતા પણુ એ માર્મિક રીતે બતાવે છે: પુરુષ તા કનકના કચાળા જેવા છે, ત્યારે સ્ત્રી છે રાંધ્યું. ધાન; સ્ત્રીની પાછળ સૌ પડે, તા હવે કેમ ઊગરવું ? આમાં પરપરાગત સામાજિક ખ્યાલ મુકાયેલા છે, પરંતુ પુરુષ કનકકચાળા જેવા, સદાયે નિળ ગણાય છે તેના પર કટાક્ષ જોવા હાય તાપણુ જોઈ શકાય. પતિ તા આંખે। માન્યા હતા તે આકડા નીકળ્યા, બાપતા ઘેર વગડાના વૃક્ષની પેઠે કશી સારસભાળ વિના જ ઊછરી – એમ અનુરૂપ દષ્ટાંતાથી કુલધરકન્યાની વેદના અસરકારક બની છે. કાંક આવું નવું અલંકારપ્રયેાજન છે, પરંતુ સામાન્ય રીતે અભિવ્યક્તિમાં પરંપરાની શોભા જ છે. અહીં પણ રાસિંહની જેમ થાડા ફારસી શબ્દ નજરે પડે છે. કવિએ વીરચંદ્રસૂરિના ધર્મબેાધને તથા કુલધરકન્યાની ધર્મસાધનાને ને તને અનુષંગે કથાના સમાપનને અન્ય સૌ ગુજરાતી કવિઓ કરતાં વિસ્તાર્યા છે. આવું થોડું બાદ કરતાં જિન ની કૃતિ રાજ્જસહની કૃતિ કરતાં વધુ વિસ્તાર નથી બતાવતી, ઊલટું લાધવ બતાવે છે, તેથી એ દૃષ્ટિએ રાજસિંહમાં ગુજરાતી આરામોાભાકથાપર પરાને છેવટને વિકાસ જોવા મળે છે . એમ કહી શકાય. આરામશેાભાકથાનકા : તુલનાત્મક અધ્યયન આરામશાભાકથા બહુધા પરંપરાગત રીતે જ ચાલતી આવી છે. પરંતુ સ્વાભાવિક રીતે જ કથા કહેનાર બદલાય એની સાથે અહીં તહીં નાનકડા ફેરફારા થતા આવે. વસ્તુના ફેરફારા સ્મૃતિભેદથી, સરતચૂકથી કે સભાનપણે પણ થયા હેાય. શૈલીભેદ વૈયક્તિક સજ્જતા અને કવિસ્વભાવથી નીપજે. બધે જ સમયસંદર્ભની પણ અહીં તહીં છાયા પડેલી હોય. પરંપરા, વૈયક્તિકતા અને સામયિકતાના આ બધા તાણાવાણા તુલનાત્મક નિરીક્ષણથી ફ્રુટ થાય. આગળ આરામશાભાકથાનકાના આપણે જે પરિચય કર્યો એમાં તુલનાત્મક નિરીક્ષણની ધણી સામગ્રી આપવામાં આવી છે. અહીં આપણે કેટલુંક સ’કલિત કરીને જોઈશું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy