SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ ભૂમિકા: ૨૧ સરલ કર્યું છે. શુભવર્ધને નામોનાં અર્થઘટન કર્યા છે તે એમણે જતાં કર્યા છે અને સૈન્યના પડાવનું જે થેડુ પ્રભાવક વર્ણન શુભવર્ધને આપેલું તમે અહીં નથી. તળપદાં ઓઠાં શુભવધને યોજેલાં છે તેનોયે રાજકીર્તિએ લાભ લીધો નથી. આ કવિ નંદનના વર્ણનમાં “એના વાળ વીખરાયેલા છે, એનાં વસ્ત્રો તથા વાળમાં જૂના ઢગલા છે” એ રંગ ઉમેરે છે એ જરા વિલક્ષણ લાગે છે. બાકી શુભવધનમાં જે લાક્ષણિક નિરૂપણ-અંશો છે તે રાજકીર્તિમાં પણ છે અને બન્નેની શબ્દરચના પણ ઘણું સમાન છે. આમ છતાં શુભવર્ધનની કૃતિથી - કવચિત આખી પરંપરાથી – અહીં થોડાક ફેરફારો નજરે ચડે છે: ૧. નામમાં ફેરફાર છે. અહીં એક સ્થાને અપરમાનું નામ અગ્નિશિખા આપવામાં આવ્યું છે જે આખી પરંપરામાં ક્યાંય નથી. કુલધરની પુત્રીઓનાં શુભવધનના અકાતરા ને યશોદેવી એ નામોને સ્થાને સરસ્વતી અને જમતી નામો મળે છે. શ્રીદત્તનું અહીં નામ નથી. વસંતદેવને ઘેર જ સંદેશ આપવાની વાત છે. ૨. નાગકુમાર અહીં ઘણી વાર યક્ષ તરીકે ઉલેખાય છે. ૩. આરામશોભાએ ઓરમાન બહેનને રાજાના મારમાંથી બચાવી પણ એને કાઢી મૂકવામાં તો આવી એવું અહીં વર્ણન છે. સમગ્ર પરંપરામાં આરામશોભા એને બહેન કરીને રાખે છે એવી વાત છે. એ જ રીતે અહીં આરામશોભાના માતપિતાને દેશપાર કર્યાનું કહેવાયું છે, જે પરંપરાથી તદ્દન જુદી વાત છે. પરંપરામાં તે આ બધાં પર આરામશોભા ભલાઈ બતાવે છે તે નિમિત્તે સજજન-દુર્જનભેદ બતાવાય છે. ૪. શુભવધનમાં વિદ્યુપ્રભા પિતાને પરણવાનું કહે છે ત્યારે પિતા સ્વીકારે છે કે “વિપુલ સનાથી ભરેલું, સો-સો ગેખ ને સાત માળવાળું ઘર પણ ઉત્તમ ગૃહિણ વિના ભતું નથી.” દેખીતી રીતે જ આ ઉત્તમ ગૃહિણની આવશ્યકતા બતાવતી સામાન્ય ઉક્તિ છે. રાજકીર્તિ પિતાના મુખમાં “આ ઘર શોભતું નથી” એવા શબ્દો મૂકે છે તેથી અગ્નિશર્માનું ઘર એવી સમૃદ્ધિવાળું છે એવો અથ થઈ જાય છે. ૫. આરામશોભાની ઓરમાન મા અહીં “સાવકી પુત્રીને મારવામાં પાપ નથી” એમ કહે છે તે સમાજશાસ્ત્રીય દષ્ટિએ નોંધપાત્ર મુદ્દો છે. ૬. આરામશોભાને સ્થાને બેસાડેલી પોતાની પુત્રીના રગદેગ દૂર કરવા નજર ઉતારવાની વિધિ મા કરે છે એ નિદેશ અહીં છે તે પણ સામાજિક માન્યતાની દષ્ટિએ નોંધપાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001437
Book TitleAramshobha Rasmala
Original Sutra AuthorN/A
AuthorJayanti Kothari, Kirtida Joshi
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1989
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, Story, & Kavya
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy