SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન તે જ રૂપ આજે પણ વિદ્યમાન છે. પણ શબ્દો એના એ જ છતાં વૈદિકોએ એના અર્થને મહત્ત્વ ન આપ્યાથી પરિણામ એ આવ્યું છે કે તેના વિવરણમાં અનેક મતભેદો ઊભા થયા અને પરિણામે વૈદિકમાં પરસ્પરવિરોધી અનેક દર્શને પણ ઊભાં થયાં. પ્રજ્ઞાશીલ પુરુષને પિતાને જે કાંઈ દર્શન થયું હોય તે વેદને નામે ચડાવી દેવામાં કશો જ આંચકો આવતો નહિ. પરંતુ જેને આગને વિષે આવું નથી. તેમાં ભગવાન મહાવીરના ઉપદેશના શબ્દોનું નહિ પણ અર્થનું મહત્ત્વ છે. આથી તેમના ઉપદેશને આધારે તેમના ગણધરોએ આગમોની રચના કરી. શબ્દો સચવાયા નહિ. પણ અર્થ સચવાયે, તાત્પર્ય સચવાયું. તેથી શાબ્દિક રચના ગમે તેવી હોય, પણ વિચારભેદને જૈનશાસ્ત્રરચનામાં અવકાશ રહ્યો નહિ. વળી, વેદને કાળ આજથી સાડા ત્રણ હજાર વર્ષ જેટલો જૂનો છે. આથી અને અર્થની ઉપેક્ષા થવાથી અર્થની બાબતમાં મતભેદ થાય એમાં નવાઈ પણ નથી. પણ જેનાગમોની રચનાના સમયમાં ભાષામાં વપરાતા શબ્દોએ નિશ્ચિત અર્થ ધારણ કર્યો હતો. આથી પણ જેન આગમના શબ્દોને અર્થ કરવામાં મતભેદને અવકાશ રહ્યો નહિ. પરિણામે, આપણે જોઈએ છીએ કે, જૈનધર્મમાં જે સંપ્રદાય થયા તેમાં દર્શનભેદ અગર વિચાર ભેદ નથી. આચારને ભેદ છે. આનું બીજુ પરિણામ એ આવ્યું કે ગધરે રચેલા અગમાં પણ તેના તે જ રૂપમાં, વેદની જેમ, સચવાયા નહિ. વળી, વેદની ભાષા સંસ્કૃત છે અને શબ્દરૂપની જાળવણી તેમાં છે, પણ આગમોની ભાષા તો લેકભાષા પ્રાકૃત છે. આથી પણ ભગવાન મહાવીરને કાળની પ્રાકૃત આજે આગમ માં રહી નથી; પણ જે કાળે અંતિમ સંકલન થયું તે કાળની પ્રાકૃત ભાષાની અસર તેમાં પડે તે સ્વાભાવિક છે. ભગવાન મહાવીરે અને બુદ્ધ પુરોહિત સમાજની સંસ્કૃત ભાષા છોડીને બહુજનસમાજની ભાષા પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો તેની પાછળનો હેતુ પણ એ જ છે કે તેમને ઉપદેશ ગણ્યાગાંડ્યા લેકની મૂડી ન બને, પણ આમજનતા તેનાથી પૂરો લાભ ઉઠાવે. પરિણામે વેદ એ માત્ર વૈદિક ધર્મને અનુસરનારાં અમુક જ બ્રાહ્મણ કુટુંબની મૂડી બની ગયા અને તેમણે એના બળે ધાર્મિક નેતૃત્વને ઈજારો લીધો. પણ ભગવાન મહાવીરને ઉપદેશ લેકભાષામાં હેઈ આવે કે ઈ ઈજા કેઈ લઈ શક્યું નહિ. એથી એક લાભ એ થશે કે તેને પ્રચાર તે વ્યાપક બને, પણ કોઈ એક વર્ગની આગવી મૂડી ગણાયેલ ન હોઈ કેઈએ તેને સાચવવાને પૂરો પ્રયત્ન પણ કર્યો નહિ, આથી તે આજે શબ્દરૂપમાં છિન્નભિન્ન દશામાં મળે છે -- કે, ઉપર કહ્યું તેમ, તેના અર્થમાં વિપર્યય નથી થયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy