SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ જૈનધર્મચિંતન બૌદ્ધ પ્રભાવ સ્પષ્ટ છે. ઊલટ પક્ષે, જનધર્મને અનુસરનાર સમાજમાં ઊંચનીચની વ્યવસ્થા વેદિકાની ચતુવર્ણની વ્યવસ્થામાંથી નિષ્પન્ન થયેલી છે. મંદિરોમાં મૂર્તિ સમક્ષ આડંબરી પૂજા પ્રકાર પણ વૈષ્ણવ ધર્મને આભારી છે. આમ અનેક પ્રકારે આદાનપ્રદાન થયું છે. અને દીર્ઘકાલિન વૈદિક જેન–બૌદ્ધના પારસ્પરિક આદાનપ્રદાનને કારણે ભારતમાં એ ત્રણે સંપ્રદાયમાં ધમનું જે એક સર્વસામાન્ય રૂપ તૈયાર થયું તે જ હિંદુધમ. આ “હિંદુધમ' શબ્દ તેના વ્યાપક અર્થમાં છે; અને તેવા ધર્મને લક્ષમાં રાખીને ડો. એ. બી. ધ્રુવ વગેરેએ હિંદુધર્મ શબ્દનો પ્રયોગ કર્યો છે અને તેના ત્રણ પ્રકારે વૈદિક, જૈન અને બૌદ્ધ એમ જણાવ્યા છે. વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણે સંકુચિત એટલે કે, વૈદિક હિંદુધર્મની વાત કરતાં પહેલાં વ્યાપક હિંદુધર્મનાં કેટલાંક લક્ષણોને વિચાર કરીએ. જે ધર્મોને ઉંભવ હિંદુસ્તાનમાં થયે મનાય છે તે સર્વે હિન્દુધર્મમાં સમાવિષ્ટ છે. આમ જેન–બૌદ્ધ તો હિંદુસ્તાનની જ પેદાશ હાઈ હિંદુધમ કહેવાય જ. વૈદિક આર્યો બહારથી આવ્યા પણ તેમણે વેદની સંહિતાઓનું સંકલન તે હિંદુસ્તાનમાં જ કર્યું છે. આથી તેમને ધમ પણ હિંદુધર્મ જ કહેવાય. પણ પછીના કાળમાં તે આ ટિસૈદિક ધર્મ જ બહુજન–સમાજમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આથી હિંદુઓના ઘર્મની વાત જ્યારે કરવામાં આવે છે ત્યારે મુખ્ય રૂપે તે જ સમજાય છે. આથી હિંદુધર્મને સંકુચિત અર્થ “વૈદિક ધર્મ અને સ્વીકારવામાં આવ્યું છે. પણ વ્યાપક હિંદુધર્મનાં સામાન્ય લક્ષણો વિષે વિચાર કરવો ઉચિત છે. એટલે વૈદિક, બૌદ્ધ અને જૈનધર્મની કેટલીક સામાન્ય બાબતે વિશે પ્રથમ વિચાર કરી લઈએ. તે આ પ્રમાણે છે : કમ અને પુનર્જન્મની માન્યતા, બંધ અને મોક્ષની માન્યતા, વિદ્યમાન અવસ્થામાં અસંતોષ અને એથી ઉચ્ચ-પરમાર્ચ અવસ્થા અને તે પણ આધ્યામિક દષ્ટિએ–એમાં વિશ્વાસ અને પ્રાપ્ત કરવાના સાધન ૫ ભક્તિ, ધ્યાન આદિ અનુષ્ઠાનોની મૌલિક એકરૂપતા, ઉકત પરમાત્મારૂપ જે વ્યક્તિમાં નિષ્પન થયું હોય તેવી વ્યક્તિની આરાધના ઇત્યાદિ. વળી, શાસ્ત્રદષ્ટિએ જોઈએ તે, એ ત્રણે સંપ્રદાય સનાતન મનાય છે. એટલે કે વસ્તુત: આ સંપ્રદાયો ક્યારે શરૂ થયા એને ઇતિહાસ તે તે શાસ્ત્રો માનતા નથી. એમાં તે એવી માન્યતા છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy