SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ દક્ષિણ ભારત અને જૈનધર્મ બિહારની સ્થિતિ ઉત્તર ભારત જૈન તીર્થંકરના જન્મ અને વિહારની ભૂમિ છે. શ્રમણોના વિહારને કારણે એ પ્રદેશ જ “બિહારના નામે પ્રસિદ્ધ થયો, કે જ્યાં એમને વિહાર-વિચરણ વિશેષ થતો હતો. પણ આજે બિહાર, બંગાળ અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં જેની સંખ્યા નહીં જેવી છે. બંગાળ, બિહાર અને ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગમાં, જ્યાં જે કંઈ જૈન , એ ત્યાંના વતની નથી, પણ છેલ્લી બે સદીઓ દરમ્યાન વ્યાપાર નિમિત્તે ત્યાં જઈને વસેલા છે. જેનોનાં મૌલિક તીર્થસ્થાને વિશેષ પ્રમાણમાં બિહારમાં છે; પણ તીર્થક્ષેત્રે પ્રાચીન હોવા છતાં અત્યારે બિહારમાં પ્રાચીન મંદિર છે નહીં. જે કંઈ મંદિરે આજે સુરક્ષિત છે, એમની રચના મધ્ય યુગમાં થઈ છે. બિહારમાં જોઈએ તેટલા પ્રમાણમાં ખેદકામ પણ નથી થયું, તેથી પ્રાચીન અવશે પણ અત્યારે ઉપલબ્ધ નથી થતા. ઉત્તરથી પશ્ચિમ અને દક્ષિણ તરફ ફેલા પ્રાચીન સમયમાં રાજગૃહ અને પટના, એ જૈનોનાં કેન્દ્રો હતાં. પણ વખતને વહેવા સાથે એનું એટલું મહત્ત્વ ન રહ્યું અને જૈન સંઘે મથુરાની આસપાસ પિતાનું કેન્દ્ર જમાવ્યું. ત્યાં પણ જૈન સંઘ લાંબા વખત સુધી સ્થિર ને રહી શક્યો; છેવટે એનું કેન્દ્ર ગુજરાત, રાજસ્થાન, માળવા એટલે કે પશ્ચિમ ભારત બન્યું. આ રીતે ભારતની ઉત્તરેથી પશ્ચિમ તરફ થયેલી જૈન સંઘની યાત્રાને આ ટૂંકસાર છે. આ જ રીતે જૈન સંઘે ઉત્તરથી દક્ષિણ તરફ પણ પ્રસ્થાન કર્યું. જેનધર્મને દક્ષિણ તરફ પ્રચાર કરવામાં રાજા સંપ્રતિએ ઘણી મદદ કરી હતી. રાજા સંપ્રતિએ આંધ, દ્રવિડ વગેરે દેશોમાં સાધુઓ સુખપૂર્વક વિહાર કરી શકે એ માટે, પિતાના સૈનિકોની મદદથી, એ ક્ષેત્રોને સાધુઓના વિહારને યોગ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy