SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ જેન આચારના મૂળ સિદ્ધાંતે જન આચારનું ઘડતર સમજવા માટે વૈદિક અને બૌદ્ધ આચાર વિષે પણ થોડું જાણવું જરૂરી છે. એ વિના જૈન આચારના ઘડતરમાં કયાં ક્યાં તોએ કેવી રીતે ભાગ ભજવ્યો છે એ સમજવું કઠણ છે. વ્યક્તિના આચારનો અધિકાંશ તે સમાજ ઉપર આધાર રાખે છે. અને જૈન સમાજ કે સંઘ કદી પણ એલે–અટલે રહ્યો હોય તેમ જણાતું નથી. જૈન સમાજ સદૈવ વૈદિક સમાજની વચ્ચે રહેતે આવ્યો છે અને વચલા કાળમાં બદ્ધ સંઘ સાથે પણ તેને સંપર્ક રહ્યો છે. આવી સ્થિતિમાં જૈન સદાચારને સમજવાની ચાવી કેવળ જૈન શાસ્ત્રમાં નહિ, પણ વૈદિક અને બૌદ્ધ આચારની તુલનામાં પણ રહેલી છે એ સ્પષ્ટ છે. એટલે પ્રથમ વૈદિક આચારના મૂળ સ્ત્રોત વિષે થોડું વિવેચન કરીને બૌદ્ધ આચારના સ્ત્રોતને સંકેત કર્યા પછી જ જૈન આચાર વિષે વિવેચના કરવી સંગત છે. વૈદિક આચારના શ્રોત વૈદિક પરંપરાને આધાર વેદ છે, એટલે વૈદિક આચારને મૂળ સ્ત્રોત શ્રુતિ–વેદ છે; અને તે અપૌરુષેય હેય કે ઈશ્વરપ્રણીત હેય-બંને સ્થિતિમાં તે સદાચારની બાબતમાં આજ્ઞારૂપ છે. એમાં તર્ક કે ઉપપત્તિને સ્થાન નથી. અમુક આચરણ શા માટે કરવું એના કારણમાં ઊતરવાની આવશ્યકતા નથી, માત્ર તે વેદપ્રતિપાદિત છે એટલું જ પર્યાપ્ત છે. વેદ ઉપરાંત સ્મૃતિઓ પણ સદાચારમાં પ્રમાણ છે. એમ માનવામાં આવે છે કે સ્મૃતિઓનું મૂળ વેદ છે, તેથી તે પણ સદાચાર વિષે પ્રમાણ છે. એ સ્મૃતિપ્રતિપાદિત આચાર, જેનું મૂળ વિદ્યમાન વેદમાં ન મળતું હોય, એને માટે પણ એમ જ માનવામાં આવ્યું છે કે તેવા આચારનું મૂળ વેદમાં જ છે, પણ વેદને તે અંશ નષ્ટ થયું છે. આમ વેદપ્રતિપાદિત આચારનું જ સમર્થન સ્મૃતિઓ કરે છે એમ મનાયું છે—જો કે વસ્તુસ્થિતિએ જોતાં સ્મૃતિઓમાં એવા ઘણું આચાર છે, જેનું મૂળ તે વેદમાં નથી જ, પણ ઊલટું વેદપ્રતિપાદિત આચારથી તે વિરુદ્ધ પણ જાય છે. બાદના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy