SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન આપ્યું અને બ્રાહ્મણોએ એ જ ઈન્દ્રાદિની પૂજાને બદલે આત્મપૂજા શરૂ કરી, અને શારીરિક સંપત્તિ કરતાં આત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યું. અથવા તે, કહે કે, ઇન્દ્રને આત્મામાં ફેરવી નાખ્યો. ટૂંકામાં, બ્રાહ્મણધર્મનું રૂપાન્તર બ્રહ્મધર્મ અર્થાત આ-મધમમાં થયું. આ સમન્વયને કારણે શ્રમણ અને બ્રાહ્મણ બને સમૃદ્ધ થયા. પણ તેમની ભેદક રેખા વેદશાસ્ત્રમાં મર્યાદિત થઈ. અર્થાત જેઓ પોતાની માન્યતાના મૂળમાં વેદને પ્રમાણભૂત માને છે, તેઓ બ્રાહ્મણ પરંપરામાં ગણાયા અને જેઓ વેદશાસ્ત્રને નહિ પણ સમયે સમયે થનાર જિનોને પ્રમાણભૂત માને છે તેઓ શ્રમ ગણાયા શ્રમણોના સંપ્રદાયે જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક મતાન્તરો છે, તેમ શ્રમણ પરંપરામાં પણ અનેક મતાન્તરે છે. એક જ વેદશાસ્ત્રના અર્થમાં મતભેદ થવાથી જેમ બ્રાહ્મણ પરંપરામાં અનેક સંપ્રદાય થયા, તેમાં અનેક જિનોના કે તીર્થકરના ઉપદેશમાં પાર્થને કારણે શ્રમણમાં પણ અનેક સંપ્રદાય થયા–જેવા કે આજીવક, નિર્ચન્થ. બૌદ્ધ આદિ. એ બધા સંપ્રદાય જિનના ઉપાસક હોવાથી જેન કહી શકાય. બૌદ્ધ સંપ્રદાય તે છઠ્ઠી શતાબ્દી સુધી જૈનને નામે ઓળખાતા. એ ઈતિહાસસિદ્ધ હકીકત છે. આજીવોને પણ દિગંબર જૈન તરીકે કે ક્ષપણુક તરીકે ઈતિહાસમાં ઓળખાવવામાં આવ્યા જ છે એ હકીકત છે. પણ આજે રૂઢિ એવી છે કે ભગવાન મહાવીરના અનુયાયીઓને જ જૈન નામથી ઓળખવામાં આવે છે. શ્રમણનો બીજો સંપ્રદાય, જે ભગવાન બુદ્ધના અનુયાયી વગ છે, તે બદ્ધ કહેવાય છે. અને આજે આછવકોનું અને ભગવાન બુદ્ધ અને મહાવીરકાલીન બીજા શ્રણમસંપ્રદાયનું તે નામનિશાન પણ નથી. આ ઉપરથી એમ કહી શકાય કે જેનું નામ એ એક વિશાળ અર્થમાં હોવા છતાં તેનો આજે સંકુચિત અર્થ છે. વિશાળ અર્થમાં જિનના ઉપાસકે તે જેન; છતાં સંકુચિત અર્થે માં આજે ભગવાન મહાવીરની પરંપરાને અનુસરે તે જૈન છે. જેમ ભગવાન મહાવીર જિન, સુગત. શ્રમણ, તથાગત, અહંત, તીર્થંકર, બુદ્ધ એવાં નામોથી ઓળખાય છે, તેમ ભગવાન બુદ્ધ પણ જિન, સુગત, શ્રમણ, તથાગત, અહંત, તીર્થકર, બુક એવાં નામોથી ઓળખાય છે. આ વસ્તુ મૂળે તેઓ બંને એક જ શ્રમણ પરંપરાના છે એ સૂચવવા માટે પૂરતી છે. પણ એક પરંપરાએ અહંત કે જિન શબ્દ ઉપર વધારે ભાર tો, તેથી તે પરંપરા અત્યારે આહત પરંપરા કે જૈને પરંપરાને નામે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy