SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જે ન ધર્મ જેનધર્મનાં બે રૂપ છે એક આન્તરિક, નૈયિક કે વાસ્તવિક અને બીજુ વ્યાવહારિક, બાહ્ય કે અવાસ્તવિક. જૈનધર્મ વિષે વિચાર કરવો હોય ત્યારે આ બન્ને રૂપિ વિષે વિચાર કરવો પ્રાપ્ત થાય છે. વળી, ભારતીય ધર્મોની એ વિશેષતા છે કે પ્રત્યેક ધર્મનું એક પોતીકું દર્શન પણ હોય છે. ધર્મ એ આચરણની વસ્તુ છે, પણ એ આચરણના મૂળમાં જે કેટલીક નિછાઓ છે એને આપણે દશ કહીશું. એટલે જૈન ધર્મના વિચાર સાથે દર્શનવિચાર પણ ઓતપ્રોત રહેવાના જ. (૬) શ્રમણ અને બ્રાહ્મણ ઇંદ્રને વિજય જૈનધર્મ એ જિન ધર્મ છે, એટલે કે વિજેતાઓને ધર્મ છે. પ્રાચીન કાળમાં ઇન્દ્ર જેવા દેને વિજેતા માનીને તેમની ઉપાસના કરવામાં આવતી. પણ આ જિન વિજેતાઓ અને વિજેતા ઈન્દ્રમાં ઘણે ભેદ છે. ઇન્ડે પોતાના સમયમાં જે કાઈ વિરોધીઓ હતા તે સર્વને નાશ કર્યો અને મહાન વિજેતા પદને તે પામે, અને આર્યોને સરદાર અને ઉપાસ્ય બન્યો. આ તેનો બાહ્ય વિજય હતભૂતવિજય હતો. વિજયને પ્રતાપે તેણે જે પ્રાપ્ત કર્યું તે ભૌતિક સંપત્તિ હતી. એમાં જ એ મસ્ત હતો અને તેનું ગૌરવ પણ તેમાં જ હતું. આ કાંઈ નવી વાત ન હતી. તે જ રીતે મનુષ્ય અનાદિ કાળથી શક્તિપૂજક હતે. પણ જ્યારે એક પ્રજા ઉપર બીજી પ્રજાએ વિજય મેળવ્યું, ત્યારે એ મહાન વિજ્યના વિજેતા ઈ એક વિશિષ્ટ પ્રકારે મહત્ત્વ પ્રાપ્ત કર્યું, અને એને લીધે ભારતવર્ષ માં જે સંસ્કૃતિનો વિકાસ થયો, તેને આપણે યજ્ઞસંસ્કૃતિ તરીકે ઓળખીએ છીએ. એ સંસ્કૃતિના વિકાસમાં મૂળે તો ક્ષાત્રતેજ અથવા શારીરિક બળ હતું. પણ બુદ્ધિબળે એના ઉપર વિજય મેળવ્યો ત્યારે તે ક્ષત્રિય સંસ્કૃતિના નામે નહિ પણ બ્રાહ્મણ સંસ્કૃતિના નામે પ્રસિદ્ધ થઈ. આર્યો જયારે આ પ્રકારનો વિજય કરતા કરતા ભારતવર્ષમાં આગળ વધી રહ્યા હતા ત્યારે પણ ભારતવર્ષમાં નગરસંસ્કૃતિને વિકારી ડી ડીક થઈ ગયે ના. ”િ મણશીલ આર્યોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy