SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૪૯ જે મર્યાદિત કાલની વિવિધ અવસ્થાઓ છે, તેને પણ સત્ય માને છે. ટૂંકમાં, અદ્વૈતવેદાંત જે પ્રપંચને મિથ્યા માને છે, તેને જૈન દર્શન સત્ય માને છે. જૈન દર્શનમાં પરમબ્રહ્મ સમાવેશ નિશ્ચયનયમાં છે અને પ્રપંચનો સમાવેશ વ્યવહારનયમાં છે. અને નિશ્ચય તથા વ્યવહાર બંનેને જૈન દર્શન સત્ય માને છે. આથી જ નિશ્ચયનયની દૃષ્ટિએ absoluteને જૈન દર્શનમાં સ્થાન છે જ, પણ માત્ર absoluteને જ જૈન દર્શનમાં સ્થાન છે એવું નથી. non-absolute પણ જૈન દર્શન માને છે, કારણ કે, તે વ્યવહારને પણ સત્ય માને છે. શ્રી અરવિંદને સમન્વય–શ્રી અરવિંદને તત્ત્વજ્ઞાનમાં એક પરમતત્વ માનવામાં આવ્યું છે, જેને ખરી રીતે તેઓ અવર્ણનીય કહે છે, છતાં પણ કંઈક વર્ણન કરવું જ હોય તો તેને તેઓ સચ્ચિદાનંદ કહેવાનું પસંદ કરે છે. એમના મતે આ એક જ તવમાંથી ચેતન અને જડ બંને તત્ત્વોની સૃષ્ટિ થાય છે. અર્થાત્ એક જ તત્ત્વમાં જડ-ચેતનને કશે જ વિરોધ નથી. શંકરની જેમ તેઓ જડને માયિક નથી માનતા, પણ જ્યારે સતવમાં ચેતનશક્તિ કે જ્ઞાનશક્તિ સુપ્ત હોય છે ત્યારે તે જડ કહેવાય છે અને ક્રમે કરી તે વિકસે ત્યારે અંતમાં ચૈતન્ય એના પૂર્ણ સ્વરૂપમાં આવી જાય છે. બાહ્ય જે ભૌતિક વસ્તુઓ છે તે પણ શ્રી અરવિંદના મતે સત્ છે. એને શંકરની જેમ શ્રી અરવિંદ માયિક નથી કહેતા, જેન દૃષ્ટિએ પણ સત્ સામાન્ય તત્ત્વ એક જ છતાં તેના બે વિશેષ છે : એક શૈતન્ય અને બીજુ જડ. આમ એક રીતે અનેકાંતને શ્રી અરવિંદના મતમાં પણ સ્થાન છે જ. બૌદ્ધ વગેરેમાં અનેકાંતવાદ––ભગવાન બુદ્ધના અનુયાયી ધમકીર્તિ અને શાંતરક્ષિત જેવા આચાર્યોએ પણ અનેકાંતવાદમાં વિરોધાદિ દોષ જોયાં છે, પણું સ્વયં બુદ્ધ વિભજ્યવાદી હતા. આથી જ તેઓએ અનેક પ્રકારના એ કાંતોને નિષેધ કરીને પિતાના માર્ગને મધ્યમ માર્ગનું નામ આપ્યું છે. તેમણે વસ્તુને ક્ષણિક કહી છે એ સાચું છે, પરંતુ સાથે જ ધમકીતિ અને શાંતરક્ષિત પણ પ્રવાહનિત્યતા માનીને પુનર્જન્મની વ્યવસ્થા ઘટાવે જ છે. આમ અનેકાંતવાદને નિષેધ કરવા છતાં તેઓ આડકતરી રીતે તેને સ્વીકાર કરે છે જ. મીમાંસક કુમારિલ એક તરફ એમ કહે છે કે જેન–બૌદ્ધને અહિંસા આદિને ઉપદેશ સાર તો છે, પણ તે ચામડાની બોખમાંના પાણીની જેમ અગ્રાહ્ય છે, કારણ કે તે વેદવિરોધીઓના મુખથી થયેલ છે. પણ એ જ કુમારિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy