SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધર્મચિંતન absoluteને જેનેએ પોતાના સંગ્રહનયમાં આંશિક સત્ય તરીકે સ્થાન આપ્યું જ છે. અનેકાંતવાદ આવા અનેક પ્રકારના કલ્પિત absoluteમાંથી જ ઊભા થાય છે અને તેમને તેમનું સ્થાન સોંપૂર્ણ સત્યમાં કથાં છે તે નિશ્ચિત કરી આપે છે. આવા અનેક absoluteને સમન્વય જો કરવામાં ન આવે તે અનેકાંતવાદનુ ઉત્થાન પણ ન થઈ શકે. આ પ્રમાણે ડૉ. રાધાકૃષ્ણનને આક્ષેપ પણ તેમના બ્રહ્મ વિશેના પક્ષપાતને લઈને જ છે એમ માન્યા વિના છૂટકો નથી. ૧૪૮ એ સાચું જ છે કે વિવાદ શબ્દવ્યવહારને કારણે જ થાય છે અને ઉત્કૃષ્ટ ધ્યાનની ભૂમિકામાં જ્યાં વિતર્ક કે વિચારને અવકાશ નથી અને વળી જ્યાં ધ્યાનના વિષયભૂત એકમાત્ર આત્મતત્ત્વ કે એવા જ કાઈ ધ્યેયપદાર્થનું સાક્ષાત્કરણ છે, ત્યાં અખંડ મેધ થાય છે અને એવા મેાધને absolute−નિવિકલ્પ શબ્દથી વવવામાં આવે છે. પણ એ જ નિવિ કલ્પનું યારે વર્ણન કરવામાં આવે છે, ત્યારે વિકલ્પો ઊભા થાય છે. આમ નિવિકલ્પ અને સવિકલ્પને પુણ્ અનેકાંતવાદમાં સ્વીકાર છે જ. ખીજા શબ્દોમાં કહીએ તો વસ્તુની વાચ્યતા અને અવાચ્યતા બંનેને સ્વીકાર અનેકાંતવાદમાં છે જ. આ રીતે પણ absoluteતે અનેકાંત. વાદમાં સ્થાન નથી એમ કહેવું તે, મારા નમ્ર મત પ્રમાણે, વિચારણીય ઠરે છે. અનેકાંતમાં absolute તે પણ સ્થાન છે જ, પણ માત્ર absoluteને જ સ્થાન છે એવું નથી. અનેકાંતવાદના સ્વરૂપને કારણે આમ બને છે. અનેકાંતવાદની એ વિશેષતા છે કે તે ધ્યાનગમ્ય અને ઇન્દ્રિયગમ્ય વસ્તુની સચ્ચાઈના નિષેધ કરતો નથી; તેને મતે જેમ નિશ્ચિયનય સાચા છે, તેમ વ્યવહારનય પણ સાચા છે. વસ્તુવ્યવસ્થા કેવળ નિશ્ચયથી કે કેવળ વ્યવહારથી જૈન દર્શનમાં નથી બતાવી; તેથી જ આત્માને અરસ, અગન્ધ આદિ વિશેષણાથી નવાજવા સાથે સ*સારી આત્મામાં રૂપ, રસ, ગંધ આદિના સ્વીકાર પણ કર્યાં છે. આત્માના મેક્ષ કે આત્માની મુક્તાવસ્થા જેટલી સાચી છે તેટલી જ સાચી તેની સ`સારાવસ્થા પણ છે. ભેદ છે તો તે એ કે એક ત્યાજ્ય છે, જ્યારે બીજી ઉપાદેય છે. પણ આર્થી તેની સચ્ચાઈમાં ભેદ નથી. અદ્વૈતવેદાંત અને જૈન દનમાં અહી જ ભેદ પડે છે. અદ્વૈતવેદાંત કહે છે કે જે મુક્તાત્મા-બ્રહ્મ છે તે જ સત્ય છે અને સંસારાવસ્થા મિથ્યા છે, ત્યારે જૈન ન આત્માની મુક્તાવસ્થાની જેમ જ સ'સારી આત્માને પણ સત્ય કહેશે. વેદાંત આત્માની વૈકાલિક સત્તાને સત્ય માને છે, પણ આત્માની કાલમર્યાદિત કોઈ પણ અવસ્થાને સત્ય માનતું નથી, જ્યારે જૈને વૈકાલિક આત્મચૈતન્યની જેમ જ આત્માને મનુષ્યજન્મ આદિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy