SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ જનધર્મચિંતન વિષે દાર્શનિકોએ માત્ર ખંડનદષ્ટિ અપનાવી તેનો જે નિરાશ કર્યો છે, તે સર્વથા અનુચિત છે. શંકરાચાર્ય જેવા મહાન દાર્શનિક ગણાતા આચાર્યું પણ અનેકાંતવાદમાં ગુણ જેવાને બદલે, પિતાની સાંપ્રદાયિકતાને કારણે, દોષો જોયા છે, અને તેનું જે ખંડન કર્યું છે તે તેમની કીર્તિ ને ઉજજવલ કરનાર તો નથી જ. સ્યાદ્વાદને સંશયવાદ કહેવો એ તો જ સાચું ઠરે છે જેને બે ધર્મો વિષે ડેલાયમાન સ્થિતિમાં હોય અને બેમાંથી એક વિષે પણ નિર્ણય આપી શકતા ન હોય. જેનેએ બે વિરોધી ધર્મોની અપેક્ષાભેદે સિદ્ધિ જ કરી છે, તો પછી તેમાં સંશય જેવું ક્યાં રહ્યું ? સામે ઊભેલ સ્ત્રીમાં માતૃત્વ અને પત્નીત્વ છે અને ધમ વિષે નિશ્ચિત મત હોય અને એ બંને ધર્મ વિષે નિશ્ચિત દલીલ પણ હાવ, તો પછી તે બંને ધર્મો માનવામાં સંશયને સ્થાન નથી જ. તે રીતે જ તેમાં વિરોધ પણ નથી, કારણ કે એને માતા માનવામાં અને પત્ની માનવામાં અપેક્ષાઓ જુદી જુદી છે. એક જ અપેક્ષાએ તેમાં માતૃત્વ–પત્નીત્વ માનવા જતાં જરૂર વિરોધ આવે, પણ તેમ તે જૈનો માનતા જ નથી. વસ્તુમાં એકતા, નિત્યતા માનવામાં દ્રવ્યદષ્ટિને આશ્રય છે અને અનેકતા, અનિત્યતા માનવામાં પર્યાયદષ્ટિને. આશ્રય છે; તો પછી વિરોધ ક્યાં રહ્યો ? વેદમાં દેવસમન્વય–અનેકાંતની ભાવના તે વેદ જેટલી નો મળે છે. જ્યારે અનેક દેવવાદ ચાલ્યો ત્યારે ઇન્દ્રદેવ મોટા ક વરુણ મેટા એ વિવાદ શરૂ થયો. ભક્તો પિતાપિતાના ઇષ્ટદેવને ઊંચા કરાવવા પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ અંતે એ વિવાદને અંત તો અનેકાંત જ કરી આપે છે, દીર્ઘતમા કષિએ કહ્યું કે –“ સત્ વિઘા વહુધા વનિત” ( વેદ ૧, ૧૬૪, ૬) પરમ સત એક જ છે, પણ કવિઓ તેમને જુદા જુદા નામે કહે છે. આમ અનેક દેવોને સમન્વય એકમાં કરવામાં આવ્યો. ક્યાં વરુણ અને કયાં ઇ-- બેને અને તેવા જ બીજા અનેક દેવોનો દેખીતે વિરોધ ગાળીને તેને રીને એક બનાવી દેવામાં આવ્યા અને વિવાદને શમાવી દેવામાં આવ્યો. આમ કરવામાં ઋષિને અનેકાંતવાદમાં તે અજ્ઞાનવાદની ઝાંખી થઈ કે ન સંશયવાદ દેખાય, અને ન વિરોધ પણ દેખાયો. તે પછી શંકરાચાર્ય જેવા વિદ્વાન દાર્શનિકને જૈન અનેકાંતમાં એ બધા દે શા માટે દેખાયા ? ઉત્તર શંકરાચાર્યની પ્રદાયિક દૃષ્ટિમાંથી જ મળી રહે છે. શ્રામાં સમન્વય –એ - શંકરાચાર્ય, મને જેન અનેકાંતના શય, અજ્ઞાન, વિરોધ આદિ દે દેખાય છે, તેમણે જ્યારે ઉપનિષદની ટીકા. રચી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy