SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૪૫ અર્થનો છે, એટલે કે, નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને ઋજુસૂત્ર એ અર્થન છે; જ્યારે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત એ શબ્દનો છે. બધા જ શબ્દો પર્યાયાર્થિક નયમાં ગણાય છે, કારણ કે, તે સામાન્યને-દ્રવ્યને નહિ, પણ વિશેષને -પર્યાયને પિતાના વિષય બનાવે છે. શબ્દનોમાંના પ્રથમ શબ્દનયને એવો અભિપ્રાય છે કે, ઈન્દ્ર શબ્દથી જે અર્થને બોધ થાય છે તે જ અર્થનો બેધ શચીપતિ શબ્દથી પણ થાય છે. માત્ર કારકભેદે કે કાલભેદે અર્થભેદ છે, પર્યાય. ભેદે નહિ. પણ સમભિરૂઢ તે પર્યાયભેદે પણ અર્થભેદ સ્વીકારે છે. એટલે કે સમભિરૂઢના મત પ્રમાણે કોઈ બે શબ્દને એક જ અર્થ હોઈ શકે નહિ. આથી ઈન્દ્ર અને શચીપતિ એક નથી, કારણ, શબ્દોની વ્યુત્પત્તિ જુદી જુદી હોય છે. આથી પણ વધારે સૂક્ષ્મતાથી શબ્દાર્થની વિચારણા એવંભૂત નય કરે છે. તેના મતે તે શબ્દની વ્યુત્પત્તિ જે ક્રિયાને લઈ હોય તે ક્રિયાને અર્થ જે વરતુમાં ન મળે તો તેને તે શબ્દનો અર્થ કહી શકાય નહિ. જેમ કે ગૌ શબ્દના મૂળમાં ગમનક્રિયા છે, એટલે કે ગમન કરે તે ગૌ. પછી એવંભૂતના મત પ્રમાણે બેઠેલી હોય ત્યારે તે ગૌ ન કહેવાય, પણ જે ચાલતી હોય તો જ ગૌ કહેવાય. આમ આ શબ્દનો પણ આંશિક સત્યો ઉપર ભાર આપે છે, પણ તેમને અને કાંતવાદમાં સ્થાન છે. તેમાંના એક પણ નયને નિરાસ જૈન દર્શન કરતું નથી, પણ તે સૌનો સ્વીકાર કરી એમને યથાસ્થાને ગોઠવે છે. ' અને આ રીતે, આપણે જોયું તેમ, તે પિતાની સર્વયમયતા સાધે છે અને આચાર્ય જિનભદ્રની એ ઉક્તિ છે, જેના દર્શન એ સર્વ દર્શનના સમૂહરૂપ છે, તેને સાચી ઠરાવે છે. આ અનેકાંતની વિચારણની પુષ્ટિ અથે જ સાત ભંગની રચના કરી વસ્તુના ધર્મોનું પ્રતિપાદન કરવાની એક ખાસ પ્રણાલી પણ જૈન દર્શનમાં અપનાવવામાં આવી છે અને તેમાં સ્યાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે, તે એટલા માટે કે, જે કાંઈ પ્રતિપાદન છે તે એક કોઈ અપેક્ષાએ છે, કેઈ એક નય પ્રમાણે છે, નહિ કે, એકાંત; આમ “સ્માત’ શબ્દના પ્રયોગને કારણે અનેકાંતવાદનું બીજુ નામ સ્યાદ્વાદ પણ પ્રસિદ્ધ થયું છે. (૪) આક્ષેપ-પરિહાર સંશયાદિ દોષનો પરિહાર–સાંપ્રદાયિક અભિનિવેશને કારણે અનેકાંતવાદ, જે જીવનમાં સ્વાભાવિક છે અને તેથી જ દર્શનમાં જે અનિવાર્ય છે, તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy