SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ અનેકાંતવાદ ૧૪૩ વિના તે ચાલતું જ નથી. એ જ તો જેનો કહે છે કે, જડ તત્તવ છે, જેને કારણે આત્મા બંધનમાં પડે છે. માયાને જે સત માનવામાં આવે તો બ્રહ્મ અને માયા એમ બે સત થાય તે અત સિદ્ધ ન થાય અને જે માયાને અસત કહેવામાં આવે તો અસથી પ્રપંચ કેમ ઘટે ? આત્મા આત્માથી બંધાય નહિ પણ અનાત્માથી બંધાય, માટે આત્મા અને અનામા-અજીવતવ–બને સ્વીકારવા આવશ્યક છે, આથી વેદાંત દશનને પણ આંશિક સત્યરૂપે સંગ્રહનયમ ના - ચાર્યોમાં સમાવિષ્ટ કર્યું છે. જેનોની જેમ જ સાંખ્યો પણ જીવ અને અજીવ એ બે તને પુરુષ અને પ્રકૃતિરૂપે માને છે. અને પ્રકૃતિમાંથી જ સમગ્ર જડસુષ્ટિને વિકાસ પુરુષ સંપર્કને કારણે સ્વીકારે છે. નૈયાયિકાદિ દશને પણ જીવ અને જડ સુષ્ટિ સ્વીકાર છે. આથી કેવળ છવ–આત્મા માનવ એ જૈન દૃષ્ટિએ આંશિક સત્ય છે. પણ સત્ય જીવ અને અજીવ બંને માનવામાં આવે તે બને. આ જ ન્યાયે કેવળ વિજ્ઞાનવાદ, શુન્યવાદ અને શબ્દાદ્વૈતવાદને પણ જેને આંશિક સત્ય માની સંહયમાં સ્થાન આપે છે. જસુત્રનય–વેદાંતને મતે સંત તે કહેવાય, જે શૈકાલિક હોય. પણ તેથી વિરદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સત્ તે જ કહેવાય, જે માત્ર વર્તમાનકાલિક હેય. અન્ય નહિ. વેદાંતને મતે સર્વ પ્રપંચન સંગ્રહ એક બ્રહ્મમાં–એક સામાન્ય સિતમાં થઈ જાય છે. તેથી પૃથફ કાંઈ રહેતું નથી. પણ તેથી વિરુદ્ધ બૌદ્ધોએ કહ્યું કે, સામાન્ય જેવી વાતુ કઈ છે જ નહિ, જે સર્વ સંગ્રાહક હેય; રાત્રે વિશેષ જ છે, અને તે સૌ પૃથ પૃથફ છે, અને ક્ષણિક છે; સંસારમાં નિત્ય એવી કઈ વસ્તુ જ નથી. બૌદ્ધોને આ વાદ પયયનયના એક ભેદ ઋજુસૂત્રમાં સમાવિષ્ટ છે. બૌદ્ધ અને વેદાંત પરસ્પરવિરોધી મંતવ્યો છે. પણ જેનોએ એ બંનેને આંશિક સત્ય માની પોતાનાં દ્રવ્ય-પર્યાયવાદમાં સમાવી લીધાં છે. દ્રવ્ય એ કાલિક સ-નિત્ય છે, પણ તેનાં પરિણામો-વિશેષો અનિત્ય છે, એમ કહી ઉકત બંને વિરોધી વાદને એણે સમન્વય કર્યા છે. વેદાંતને જૈન રમત ગ્રહનયમાં સમાવેશ છે, તો બૌદ્ધોને પર્યાયનના એક ભેદ જુસૂત્ર નામના નિયમ છે. જે વસ્તુને સામાન્ય-વિશેષાત્મક માને છે, આથી તે બંને ને તેમાં સ્થાન છે. નેગમનથ–વેદાંતને મતિ રત્ તે જ કહેવાય છે કાલિક હોય. આની સામે ન્યાય–વૈશેષિક દર્શનની માન્યતા છે કે આત્મા આદિ પદાર્થો શૈકાલિક સત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy