SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ જનધર્મચિંતન પોતે ભલે જ્ઞાન રૂ૫ ન હોય, પણ તે વિષેનું જ્ઞાન જે ન હોય અને અજ્ઞાન જ હોય તો અમુક જ કર્મમાં પ્રવૃત્તિ અને અમુકમાં નિવૃત્તિ કેવી રીતે થાય ? માટે મીમાંસકોએ પણ એકાંત કર્મ નહિ પણ જ્ઞાનને પણ માનવું જરૂરી છે. માત્ર દવા લેવાની ક્રિયાથી-કર્મમાત્રથી રોગમુક્તિ નથી થતી, પણ યોગ્ય દવા કઈ એ જાણીને દવા લેવાથી રોગમુક્ત થવાય છે. માટે જ્ઞાન અને કર્મના સમુચ્ચનો માર્ગ એ જ હિતાવહ છે. મીમાંસકેએ વેદોને અપૌરુષેય માન્યા, તેમાં પણ અજ્ઞાનવાદને જ આશ્રય છે. કયા પુરુષે અને ક્યારે તે રચ્યા તે જાણી શકાતું નથી માટે તે અપરણેય છે. પણ તેથી વિરુદ્ધ, જેનું કહેવું છે કે, વિદ્યાઓ ભલે અનાદિ હોય અને તે તે વિદ્યાઓના આદિ ઉપદેષ્ટા જ્ઞાત નથી માટે તે દષ્ટિએ ભલે તેને અપૌરુષેય કહે, પણ તે તે વિદ્યાઓને નવું નવું રૂપ આપનાર તે પુરુષો જ છે અને તેઓ સાત પણ છે. ઋચાના અમુક મંત્રના દ્રષ્ટા અમુક ઋષિઓને માનવામાં આવે જ છે, તો પછી એ દૃષ્ટિએ વેદોને પૌરુષેય માનવામાં શે બાધ છે ? જેનોનાં બાર અંગે વિશે પણ જેની ધારણું છે કે, તે અનાદિ-અનંત છે અને છતાં વિદ્યમાન અંગે ભગવાન મહાવીરના ઉપદેશને અનુસરીને ગણધરની રચના છે. આમ તે પણ પૌરુષેય અને અપૌરુષેય સિદ્ધ બને છે. સંગ્રહનય–એક તરફ ચાર્વાક છે, જેણે માત્ર જડ તત્વે જ માન્ય પણ તેથી વિરુદ્ધ વેદાંત કે ઔપનિષદ દર્શન છે, જેણે માત્ર ચેતન્યને જ માન્યું. એ વેદાંત દર્શનનો સમાવેશ જૈનસંમત સંગ્રહનમાં છે. લોક્માં જે કાંઈ છે તે સવને સંગ્રહ–સમાવેશ સત્તત્ત્વમાં થઈ શકે છે, કારણ તે બધું સત તે છે જ—એમ સંગ્રહનય પણ માને છે. વેદાંત દર્શન તત્વને માત્ર સત કહીને જ સંતુષ્ટ નથી થતું, પણ તે સત ચૈતન્યરૂપ જ છે, જે પુરુષ કે બ્રહ્મ કે આત્મા કહેવાય છે આમ પણ આગ્રહ ધરાવે છે. જૈન દર્શન તન્યતત્વના અસ્તિત્વમાં તો સંમત છે જ, પણ તે માને છે કે, ચૈતન્ય ઉપરાંત અચેતન કહી શકાય તેવું તત્વ પણ હોવું જોઈએ, અન્યથા ચૈતન્યમાં બંધ અને મોક્ષ, સંસાર અને નિર્વાણની ઘટના સંભ નહિ. વેદાંતમાં માયા, મિથ્યાત્વ, અજ્ઞાનને ચૈતન્યવિરાધી માનવામાં આવે છે, પણ માવાને સત્ શબ્દથી કહેવામાં તેઓ સંમત નથી. પણ તેને અનિર્વા કહે છે. તે એટલા માટે કે, બ્રહ્મથી માયાને ભિન્ન પણ નહિ તેમ જ અભિન્ન પણ નહિ એવી તેઓ માને છે. એ ગમે તે હે પણ માયા જેવું કાંઈક પણું–ભલે તેને તેઓ સત્ શબદથી કહેવા ન માગે— માન્યા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy