SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ જેનધર્મચિંતન ધાર્મિક અસહિષ્ણુતા ટિબેટમાં માત્ર બૌદ્ધધર્મને જ પ્રચાર હતો અને ખ્રિસ્તી લેકે પિતાન. ધર્મને પ્રચાર કરવા દેવાની છૂટ માગવા ત્યાંના રાજા પાસે ગયા. ત્યાંના રૂટ કારભારીઓ અને એવા જ પ્રજાજના અગ્રણીઓએ રાજાને ખ્રિસ્તી લેકાને ધર્મ પ્રચારની છૂટ ન આપવી સલાહ આપી, પણ રાજાએ તેમને ઉત્તર આપે કે, “આપણે તેમની વાત જરૂર સાંભળીશું. આપણામાં જ–આપણા ધર્મમાં જબધું કહેવાઈ ગયું છે અને હવે કાંઈ નવું જાણવા જેવું રહ્યું નથી એમ કેમ કહેવાય ? આપણા માગે આપણે ચાલીએ છીએ, તેમના માર્ગે તેઓ ચાલે છે: પણ જે આપણે તેમના માર્ગના અનુભવો સાંભળીશું અને તેમાં પણ કાંઈ તથ્ય અને ગ્ય હશે તો તેનો મેળ આપણા માર્ગમાં આપણે કરી લઈશું. તે તેથી આપણે માર્ગ પણ સરલ બનશે. આથી બીજાને સાંભળવામાં અંતે તો આપણે જ ફાયદામાં રહીશું; તો શા માટે તેમને અવકાશ ન આપવો ? વળી આપણે ધર્મ તો આપણી રગેરગમાં ઊતરી ગયા છે; ને ત્યાંથી ખસી જવાને કઈ ભટ્ટ નથી; તો બીજાને સાંભળવામાં શું નુકસાન છે ?” રાજએ તો પોતાની ઉદારતા બતાવી. પણ ખ્રિસ્તીઓ આવી ઉદારતા બતાવી શક્યા નથી. તેઓ જ્યાં જાય છે ત્યાંના ધર્મનાં દૂષણો શોધવાનું જ કામ કરે છે. આથી અંતે તેઓ વિવિધ ધર્મોવાળી પ્રજાઓ સાથે એકરસ થઈ શકતા નથી. ટિબેટના રાજાની ઉદારતાને ગેરલાભ ઉઠાવી અંતે તેમણે તે રાજાને જ મરાવી નાખ્યો ! રોમમાં ખ્રિસ્તીઓએ બાઈબલ અને તેને લગતા સાહિત્ય સિવાય બીજા ધર્મના સાહિત્યની હોળી કરી હતી ! મુસલમાન પણ આવું જ કરે છે. તેમને પણ કુરાન સિવાય અન્યત્ર ધમ દેખાતો જ નથી. જે વયં કુરાનમાં તે ઘણી જ ઉદારતા બતાવવામાં આવી છે, પણ મુસલમાનોમાં અન્ય ધર્મ પ્રત્યે સહિષ્ણુતાનો સદંતર અભાવ જ દેખાય છે; અને જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં વિરોધી ધર્મોને નેસ્તનાબૂદ કરવાનો તેમણે પ્રયત્ન કર્યો છે. આથી તેઓ પણ અન્ય ધર્મીઓ સાથે એકરસ થઈ શક્યા નથી. કોઈ પણ સાચો ધાર્મિક પુરુષ પિતાના માની લીધેલા ધર્મમાં એકાંત બંધાઈ ન રહેતાં, જ્યાંથી પણ તેને જે કાંઈ સાચું અને એગ્ય મળે તેને સ્વીકાર રહે. તે તે અંતે તો પિતાના જ ધર્મની પુષ્ટિ કરે છે. આ વસ્તુની સચ્ચાઈ ફાઈ પણ ધર્મના ઇતિહાસમાંથી પ્રમાણ સાથે સિદ્ધ કરી શકાય તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy