SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનકથાના ત્રણ સ્તરે ૧૩૧ ચિંતા બુદ્ધ કરે છે. આથી કહી શકાય કે બુદ્ધ એક વ્યવહારુ ઉપદેશક છે, તે સીધે માર્ગ બતાવવામાં રસ ધરાવે છે. (૨) ધર્મગત અને સંઘગત ભગવાન મહાવીરના ધર્મમાં, પ્રથમ કહ્યું તેમ, કઠોર ચર્યા ઉપર ભાર છે, જ્યારે ભગવાન બુદ્ધના ધર્મની ચર્ચા મધ્યમ માર્ગે ચાલે છે. કઠોર ચર્યાની મર્યાદા આંકી શકાય, પણ મધ્યમ માર્ગની મર્યાદા આંકી શકાય નહીં. બે છેડાની વચ્ચેને માગ ઘણે લાંબે હોય છે. અને તેમાં આત્યંતિક શિથિલ અને આત્યંતિક કઠોર એ બેની વચ્ચેને તરતમભાવ અનેક રૂપ ધારણ કરે છે. પરિણામે અચારનું એક નિશ્ચિત સ્તર બંધાતું નથી. પરિણામે, આપણે જોઈએ છીએ કે, જૈન સંઘમાં શ્રાવક હાયક સાધુ હોય પણ તેના આચારની એક નિશ્ચિત મર્યાદા આપણે જાણી શકીએ છીએ અને એ મર્યાદા બહાર જનારને ઓળખી પણ શકીએ છીએ. કારણ કે આચારનું એક નિશ્વિત ધોરણ બાંધી શકાય છે. આને લાભ જૈન સંઘને મળે; અને તેથી જૈન આચારને સ્તર બાંધી શકાય છે. પણ બૌદ્ધધર્મ અને સંગમાં મધ્યમમાગ માનેલ હોઈ આચારનું એક નિશ્ચિત ધારણ બાંધી શકાય એમ રહ્યું નહીં. પરિણામે કાળભેદે અને દેશભેદે આચારનાં ધોરણે નિશ્ચિત રહી શક્યાં નહી. પરિણામ આવ્યું કે તિબેટને બૌદ્ધધર્મ અને સિંહલને બૌદ્ધધમ બુદ્ધાદિ ત્રિરત્નને માનવા પૂરતી માન્યતામાં સમાન હોવા છતાં, એમની વચ્ચેના આચારભેદની ખાઈ ન પૂરી શકાય એવી થઈ ગઈ અને છતાં બને બૌદ્ધધ ગણુયા. એથી ઊલટું, જૈનધર્મ ગમે તે દેશમાં અને ગમે તે કાળમાં હોય છતાં પણ તેના આચારના નિયમોનું અમુક ઘેરણ તા રહેવાનું જ. બૌદ્ધધર્મ વિશ્વમાં ફેલાયે, પણ તે મૌલિક બૌદ્ધધર્મ રહ્યો નહીં; જ્યારે જૈનધર્મ પિતાના મૂળ સ્થાનમાં ભલે ટકી ન શક્યો, પણ જેનધમ રહ્યો. મધ્યમ માર્ગ અને ઉત્કટ માર્ગના આગ્રહનાં આ બે પરિણામે પ્રત્યક્ષ છે. – પ્રબુદ્ધવન, તા. ૧-૧૧-૬૪ તથા ૧૬-૧૧-૬ ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy