SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ જૈનધર્મચિંતન તેને સ્થાને ગુણવાન વ્યક્તિ–પછી ભલેને તે જન્મ ચંડાલ હેય–ગુરુપદને રેગ્ય બને છે એમ જાહેર કર્યું; એટલું જ નહીં પણ પિતાના ભિક્ષુકસંધમાં તથાકથિત શુદ્રોને પણ ઉચ્ચ સ્થાન આપ્યું. આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી-પુરુષના ભેદ ખતમ કરીને બંનેને સાધના કરવાને સમાન હકક આપ્યો. બંનેએ આધ્યામિક સંપત્તિને મહત્ત્વ આપ્યું અને ભૌતિક સંપત્તિને તુચ્છ ગણી. બંનેએ સંસ્કૃતને બદલે લોકભાષાને મહત્વ આપ્યું. આવી ઘણી સમાનતાને કારણે તેમ જ તેમના સંબંધીઓના નામ સામ્યને કારણે એક સમય એવો હતો જ્યારે બંનેનું વ્યક્તિત્વ એક જ મનાયું હતું. પણ વિદ્વાનોને જેમ જેમ જૈન–બૌદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થતાં ગયાં અને એનું અધ્યયન થતું ગયું તેમ તેમ એ ભ્રમ ભાંગી ગયો અને હવે તે બંને મહાપુરુષોને એકમતે સૌ વિદ્વાને જુદા જ માનતા થયા છે. (૨) બંનેના ઉપદેશનું સામ્ય (૧) કર્મ-પુનર્જન્મ-કર્મ અને પુનર્જન્મને સિદ્ધાંત બંને માને છે, એટલું જ નહીં પણ, તે સિદ્ધાંતને તેના ખરા સ્વરૂપમાં તેમણે રજૂ કર્યો છે. એટલે કે ઈશ્વરની દખલગીરી વિના કર્મને નિયમ સ્વતઃસિદ્ધ છે. કર્મફળ દેવામાં કર્મની જ શક્તિ છે, ઈશ્વરની નહીં–આમ સ્પષ્ટપણે ઉપદેશાને બંનેએ કમને આધારે સંસારચક્ર અને સૃષ્ટિના કમને સ્વીકારીને પ્રાણીમાત્રને તેમના પિતાના ભાયના સ્ત્રષ્ટા બનાવી દીધા છે. પોતાનું ભવિષ્ય બગાડવું કે સુધારવું એ બીજાના હાથમાં નહીં, ઈશ્વરના હાથમાં પણ નહીં, પરંતુ પ્રાણીના પિતાના હાથમાં છે આવી સ્પષ્ટ ઘોષણા બંનેએ સમાનભાવે કરી છે. (૨) ઈશ્વરનું નિરાકરણ–સ્વયં તીર્થકર મહાવીર કે બુદ્ધ એ બંને ઉપદેશ આપી શકે છે, આદર્શ ઉપસ્થિત કરી શકે છે, મોક્ષને માર્ગ ચીંધી શકે છે, પણ તેમની કૃપા વડે કોઈ મોક્ષ પામી શકતું નથી, તેમને બંનેને કેઈને પણ પસંદ કરીને મેક્ષે પહોંચાડવાનો અધિકાર નથી. જેણે મોક્ષ મેળવવો હોય તેણે માર્ગગામી બનવું પડે છે. એટલે ખરી રીતે તેઓ માર્ગદર્શક છે. (૨) યોગમાર્ગ–યજ્ઞથી સ્વર્ગ પ્રાપ્તિના ધ્યેયને બદલે બંને એ સમાનભાવે યોગ–સમાધિના માર્ગ દ્વારા મોક્ષની પ્રાપ્તિ બતાવી છે. યજ્ઞમાં પશુહિંસા જેવી સામનસામગ્રીની જરૂર પડતી તેને સ્થાને બંનેએ આધ્યાત્મિક યજ્ઞનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy