SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, જીવનસ્થાના ત્રણ સ્તરો ૧૨૩ છે. આવી તે કેટલીય ઘટનાઓ વિષે બુદ્ધચરિતમાં નિર્દેશ મળે છે. બુદ્ધની પત્નીનું નામ પાલિમાં યશોદા છે, તે સંસ્કૃતમાં ગોપા છે; તે કૃષ્ણની ગોપીઓની યાદ આપે છે. વળી, એ ગોપા રાધાની જેમ સર્વ પનીઓમાં પ્રધાન પણ છે. વળી, બુદ્ધ અને ગોપા એ બંને જાણે કે પ્રારંભથી સર્વગુણસંપન્ન જ હાય પણ લીલા ખાતર સંસાર ચલાવતાં હોય, તેમ તેમને ચીતરવામાં આવ્યાં છે. આવી આવી અનેક ઘટનાઓ છે, જે આપણને સ્પષ્ટ બતાવી આપે છે કે આ કોઈ માનવનું ચરિત નથી, પણ અવતારી પુરુષનું ચરિત છે. હીનયાનનો આદર્શ હતા કે બુદ્ધ સ્વયં પિતાનું આયુ પૂરું થાય એટલે નિવાણને પામે છે. આથી વિરુદ્ધ, મહાયાનનો આદર્શ એ છે કે બોધિસત્વને નિર્વાણ હેય નહીં; તે તે જ્યાં સુધી સંસારમાં એક પણ જીવ બંધનબદ્ધ છે, ત્યાં સુધી મુક્તિલાભ વાંછતા જ નથી. મહાયાનની આ ભાવનાને લીધે પણ આ ત્રીજ સ્તરની બુદ્ધકથામાં ભેદ પડી ગયું છે. બન્નેની સમાનતા (૧) વાદક પરંપરાને વિરોધ ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બંનેએ એક જ પરિસ્થિતિને સામને સમાન ભાવે કર્યો. બંનેએ વેદપરંપરાનો વિરોધ કર્યો, વૈદિક દેવેની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને એક જુદું જ વલણ આપ્યું. આરાધ્ય દેવ વિષેની કલ્પના બદલવામાં બંનેનું પ્રદાન નોંધપાત્ર છે. માનવસુલભા ક્રોધ, પક્ષપાત, રાગદ્વેષ આદિ દૂષણે વૈદિક આરાધ્ય દેવમાં હતાં, તેને સ્થાને તેવાં દૂષણોથી રહિત હોય તે જ આરાધ્ય દેવ બને છે એવી ભવ્ય કલ્પના દેવ વિષે બંનેએ આપી. - ભારતીય સમાજમાં તત્કાળે ઘર કરી ગયેલી ઊંચ-નીચપણની ભાવનાને નિરાશ કરી માનવસમાજની એકતાની ભાવના પ્રસારવાને યશ તે બંનેને ફાળે જાય છે. ધાર્મિક ક્ષેત્રે પુરેહિતાઈ ચાલતી હતી એટલે ત્યાં એક રીતે દલાલીની ભાવ પસી ગઈ હતી. તેને દૂર કરી ધર્માચરણમાં મધ્યસ્થીની સદંતર અનાવશ્યકતાને નિર્દોષ બંનેએ સમાનભાવે કર્યો અને ધર્મદલાલીને દૂર કરી. માનવની એકતા અને સમાનતાને પરિણામે ગુરુપદ, જે માત્ર બ્રાહ્મણે જ પામી શકતા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy