SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ જૈનધમ અને બૌદ્ધધર્મ ૮૧ સમાન અધિકાર, સંસ્કૃત જેવી વિદ્યાનેાની ભાષાના અનાગ્રહ આદિ પણ છે. આ બધા શ્રમદ્ધમ નાં સામાન્ય લક્ષણા જૈન–બૌદ્ધ ધર્મમાં સમાન રૂપે જોવા મળે છે. એ ઉપરાંત અરિહંત, તીર્થંકર, શાસ્તા, જિન, ક્ષુદ્ર જેવા શબ્દો અને માર્ગમાં સાધારણ છે. બન્નેમાં યજ્ઞયાગને વિરાધ અને જાતિને વિરાધ સમાનભાવે છે. કેટલાંક ગૌતમ, સિદ્ધાર્થ જેવા વ્યક્તિવાચક નામે પણ સમાન છે. આસવ, સંવર, મેાક્ષ-નિર્વાણુ, પુનર્જન્મ આદિ કલ્પના, ઉપેાસથ-પૌષધ જેવા આચારે!, પ્રતિક્રમણ જેવી ક્રિયા, અહિંસા આદિ વ્રતા, ભિક્ષુના વિનયના નિયમા, પ્રાયશ્ચિત્તો, શાસ્તા, સંધ અને ધર્માંની મહત્તા—આવું આવું તે ધણુ અન્તે ધર્મમાં સમાન છે. છતાં પણ બન્ને ધર્મોની દા`નિક વિચારણા જુદી પડે છે, બન્નેના પ્રવતા જુદા પડે છે, એટલે બન્ને ધર્માં પણ જુદા છે. તી''કર અને બુદ્ધ છે જૈનધર્મી અને મુધ એ બન્નેમાં વ્યક્તિપૂજ્જ નહિ પણ ગુણપૂજાનુ મહત્ત્વ છે; એ તા એના નામથી જ સ્પષ્ટ છે. છતાં પણ મને ધર્મમાં તીથકરા અને મુદ્દોની પરંપરા માનવામાં આવી છે. ભગવાન મહાવીર એ ૨૪મા તીથ કર છે, તા ભગવાન બુદ્ધ એ ૨૫મા ખુદ્દ છે, મનુષ્યરૂપે જન્મવા છતાં સાધનાને બળે આત્મવિકાસ કરીને જે વ્યક્તિ વીતરાગ અને સર્વજ્ઞ બને છે અને જગદુલ્હારની દૃષ્ટિએ શાસન કરે છે, તે બન્ને ધમમાં ભગવાનને નામે એળખાય છે, અને તી કર કે યુદ્ધ તરીકે પૂજાય છે. બન્નેમાં સમાન રૂપે એ મનાયું. કે તીથ``કર કે બુદ્ધપદની પ્રાપ્તિ એ કાંઈ એક જન્મની સાધનાનું ફળ નથી, પણ અનેક જન્મોમાં અનેક ગુણેાની સાધના કરતાં કરતાં અન્તે કોઈ વ્યક્તિ તીર્થંકર કે બુદ્ધ બને છે. બન્ને ધર્મમાં પ્રત્યેકમુદ્ધ નાંમના એક વર્ગ અલગ માનવામાં આવ્યા છે, જે મૂકકેવળી પણ કહેવાય છે; જે માત્ર આત્મકલ્યાણ જ કરીને કૃતકૃત્યતા અનુભવે છે. પ્રત્યેકમુદ્ધ અને તીર્થંકર-યુદ્ધ વચ્ચે જે ભેદ છે તે એ છે કે પ્રત્યેકમુદ્ધની સાધના સ્વકલ્યાણની દષ્ટિએ થઈ હોઈ તે પરકલ્યાણ સિવાયના બધા ગુણે તીથંકર-યુદ્ધ જેવા જ ધરાવે છે; અર્થાત્ એ પણ પૂછ્યુંપુરુષ તો છે જ અને નિર્વાણને પણ પામે જ છે, છતાં તે પરકલ્યાણની પ્રવૃત્તિ કરતા નથી; જયારે તી કર અને શુદ્ર આત્મકલ્યાણ સાથે સાથે પરકલ્યાણમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001434
Book TitleJain Dharma Chintan
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania
PublisherPrakrit Jain Vidya Vikas Fund Ahmedabad
Publication Year1991
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy