SearchBrowseAboutContactDonate
Page Preview
Page 913
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ શ્રીમદ્ રાજચંદ્ર હિાથનેધ ૨, પૃષ્ઠ ૪૫] હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યફદર્શન! તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત અનંત જીવો તારા આશ્રય વિના અનંત અનંત દુઃખને અનુભવે છે. તારા પરમાનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આવ્યો. કૃતકૃત્ય થવાને માર્ગ ગ્રહણ થયે. હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો! તમારાં વચને પણ સ્વરૂપાનુસંધાનને વિષે આ પામરને પરમ ઉપકારભૂત થયાં છે. તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું સ્મરણ થયું તે અર્થે તને મસ્કાર હો. ૨૧ [હાથનોંધ ૨, પૃષ્ઠ ૪૭] જેમ ભગવાન જિને નિરૂપણ કર્યું છે તેમ જ સર્વ પદાર્થનું સ્વરૂપ છે. ભગવાન જિને ઉપદેશેલે આત્માને સમાધિમાર્ગ શ્રીગુરુના અનુગ્રહથી જાણી, પરમ પ્રયત્નથી ઉપાસના કરે. ૨૨ [હાથોંધ ૨, પૃષ્ઠ ૪૯] बंधविहाणविमुक्कं, वंदिअ सिरिवद्धमाणजिणचंदं. सिरिवीर जिणं वंदिअ, कम्मविवागं समासओ वुच्छं, कीरई जिएण हेऊहिं, जेणं तो भण्णए कम्म.. कम्मदव्वेहिं सम्म, संजोगो होई जो उ जीवस्स, सो बंधो नायव्वो, तस्स विओगो भवे मुक्खो. ૨૩ [હાથનેધ ૨, પૃષ્ઠ ૫૧] કેવળ સમવસ્થિત શુદ્ધ ચેતન મે. તે સ્વભાવનું અનુસંધાન તે મોક્ષમાર્ગ. પ્રતીતિરૂપે તે માર્ગ જ્યાં શરૂ થાય છે ત્યાં સમ્યક્દર્શન દેશ આચરણરૂપે તે પંચમ ગુણસ્થાનક. સર્વ આચરણરૂપે તે છઠ્ઠ ગુણસ્થાનક, અપ્રમત્તપણે તે આચરણમાં સ્થિતિ તે અપૂર્વ આત્મજાગૃતિ તે સપ્તમ અષ્ટમ ) ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy