SearchBrowseAboutContactDonate
Page Preview
Page 902
Loading...
Download File
Download File
Page Text
________________ આત્યંતર પરિણામ અવલેકન–હાથનેધ ૧ ૮૧૩ ૪ સર્વ પ્રત્યક્ષેત્રાદિની પ્રકાશકતા તે રૂપ કેવળજ્ઞાનસ્વભાવી આત્મા છે, કે સ્વસ્વરૂપાવસાન નિજજ્ઞાનમય કેવળજ્ઞાન છે? ૫ આત્મામાં ગે વિપરિણામ છે? સ્વભાવે વિપરિણામ છે? વિપરિણામ આત્માની મૂળ સત્તા છે? સંગી સત્તા છે? તે સત્તાનું કયું દ્રવ્ય મૂળ કારણ છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૩] ૬ હીનાધિક અવસ્થા ચેતન પામે તેને વિષે કંઈ વિશેષ કારણ છે? સ્વસ્વભાવનું? પુદ્ગલ સંગનું કે તેથી વ્યતિરિક્ત? ૭ જે પ્રમાણે મોક્ષપદે આત્મતા પ્રગટે તે પ્રમાણે મૂળ દ્રવ્ય માનીએ તો લેકવ્યાપક પ્રમાણ આત્મા ન થવાનું કારણ શું? ૮ જ્ઞાન ગુણ અને આત્મા ગુણ એ ઘટના ઘટાવવા જતાં આત્મા કથંચિત જ્ઞાનતિરિક્ત માને તે કેવી અપેક્ષાએ? જડત્વભાવે કે અન્યગુણ અપેક્ષાએ? ૯ મધ્યમ પરિણામવાળી વસ્તુનું નિત્યપણું શી રીતે સંભવે છે? ૧૦ શુદ્ધ ચેતનમાં અનેકની સંખ્યાને ભેદ શા કારણે ઘટે છે? ૧૧ ૭૩ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૫] જેનાથી માર્ગ પ્રવર્યા છે, એવા મોટા પુરુષના વિચાર, બળ, નિર્ભયતાદિ ગુણો પણ મોટા હતા. એક રાજ્ય પ્રાપ્ત કરવામાં જે પરાક્રમ ઘટે છે, તે કરતાં અપૂર્વ અભિપ્રાય સહિત ધર્મસંતતિ પ્રવર્તવામાં વિશેષ પરાક્રમ ઘટે છે. તથારૂપ શક્તિ છેડા વખત પૂર્વે અત્ર જણાતી હતી, હાલ તેમાં વિકળતા જોવામાં આવે છે તેને હેતુ શો હોવો જોઈએ તે વિચારવા યોગ્ય છે. - દર્શનની રીતે આ કાળમાં ધર્મ પ્રવર્તે એથી જીવોનું કલ્યાણ છે કે સંપ્રદાયની રીતે પ્રવર્તે તે જીવનું કલ્યાણ છે તે વાત વિચારવા લાગ્યા છે. સંપ્રદાયની રીતે ઘણા જીવને તે માર્ગ ગ્રહણ થવા યોગ્ય થાય, દર્શનની રીતે વિરલ જીવોને ગ્રહણ થાય. જે જિનને અભિમતે માર્ગ નિરૂપણ કરવા યોગ્ય ગણવામાં આવે, તે તે સંપ્રદાયના પ્રકારે નિરૂપણ થવો વિશેષ અસંભવિત છે, કેમકે તેની રચનાનું સાંપ્રદાયિક સ્વરૂપ થવું કઠણ છે. દર્શનની અપેક્ષાએ કોઈક જીવને ઉપકારી થાય એટલે વિરોધ આવે છે. ૭૪ હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૬૬] જે કોઈ મોટા પુરુષ થયા છે તેઓ પ્રથમથી સ્વસ્વરૂપ (નિજશક્તિ) સમજી શકતા હતા, અને ભાવિ મહતકાર્યનાં બીજને પ્રથમથી અવ્યક્તપણે વાવ્યા રહેતા હતા અથવા સ્વચરણ અવિધ જેવું રાખતા હતા. અત્રે તે પ્રકાર વિશેષ વિરોધમાં પડ્યો હોય એમ દેખાય છે. તે વિરોધના કારણે પણ અત્રે લખ્યાં છે. ૧ અનિર્ણયથી— ૨ વિશેષ સંસારીની રીતિ જે વ્યવહાર વર્તતે હેવાથી. ૩ બ્રહ્મચર્યનું ધારણુ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy