SearchBrowseAboutContactDonate
Page Preview
Page 901
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૨ શ્રીમદ્ રાજચંદ્ર કેમકે પ્રથમ સિદ્ધ કેણ? પ્રથમ છવપર્યાય કર્યો? પ્રથમ પરમાણુપર્યાય કર્યો? એ કેવળજ્ઞાનગોચર પણ અનાદિ જ જણાય છે; અર્થાત કેવળજ્ઞાન તેની આદિ પામતું નથી, અને કેવળજ્ઞાનથી કંઈ છાનું નથી એ બે વાત પરસ્પર વિરોધી છે, તેનું સમાધાન પરમાવધિની અનુપ્રેક્ષાથી તથા સહજ ઉપયેગની અનુપ્રેક્ષાથી સમજાવા ગ્ય રસ્તે દેખાય છે. ૧. [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૫૬] કંઈ પણ છે? શું છે ? શા પ્રકારે છે?. જાણવા યોગ્ય છે? જાણવાનું ફળ શું છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૭]. બંધને હેતુ શું છે? પુદ્ગલનિમિત્ત બંધ કે જીવના દોષથી બંધ? જે પ્રકારે માને તે પ્રકારે બંધ ન ટાળી શકાય એ સિદ્ધ થાય છે, માટે મોક્ષપદની હાનિ થાય છે. તેનું નાસ્તિત્વ ઠરે છે. અમૂર્તતા તે કંઈ વસ્તુતા કે અવસ્તુતા ? અમૂર્તતા જે વસ્તુતા તે કંઈ મહત્વવાન કે તેમ નહીં? [હાથનેધ ૧, પૃષ્ઠ ૧૫૮] મૂર્ત એવાં પુદ્ગલને અને અમૂર્ત એવા જીવન સંગ કેમ ઘટે? ધર્મ, અધર્મ અને જીવ દ્રવ્યનું ક્ષેત્રવ્યાપીપણું જે પ્રકારે જિન કહે છે તે પ્રમાણે માનતા તે દ્રવ્ય ઉત્પન્નસ્વભાવવત્ સિદ્ધ થવા જાય છે, કેમકે મધ્યમપરિણમીપણું છે. ધર્મ, અધર્મ અને આકાશ એ વસ્તુ દ્રવ્યપણે એક જાતિ અને ગુણપણે ભિન્ન જાતિ એમ માનવા યોગ્ય છે, કે દ્રવ્યતા પણ ભિન્ન ભિન્ન માનવા યંગ્ય છે? | હિાથનેધ ૧, પૃષ્ઠ ૧૫૯] દ્રવ્ય એટલે શું? ગુણપર્યાય વિના તેનું બીજું શું સ્વરૂપ છે? કેવળજ્ઞાન સર્વ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવનું જ્ઞાયક ઠરે તે સર્વ વસ્તુ નિયત મર્યાદામાં આવી જાય, અનંતપણું ન કરે, કેમકે અનંતપણું અનાદિપણું સમજ્યું જતું નથી, અર્થાત્ કેવળજ્ઞાનમાં તેનું કઈ રીતે પ્રતિભાસવું થાય ? તેને વિચાર બરાબર બંધ બેસતું નથી. ૭ર [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૬૨] જેને જૈન સર્વપ્રકાશતા કહે છે, તેને વેદાંત સર્વવ્યાપકતા કહે છે. દ્રષ્ટ વસ્તુ પરથી અદ્રષ્ટને વિચાર અનુસંધાન કર ઘટે. જિનને અભિપ્રાય આત્મા માનતાં અત્ર લખ્યા છે તે પ્રસંગે પ્રત્યે વધારે વિચાર કરો – ૧ અસંખ્યાત પ્રદેશનું મૂળ પરિમાણ. ૨ સંકેચ, વિકાસ થઈ શકે એ આત્મા માન્ય છે તે સંકેચ, વિકાસ અરૂપીને વિષે હેવા યોગ્ય છે? તથા કેવા પ્રકારે હેવા યોગ્ય છે? ૩ નિગદ અવસ્થા વિષે વિશેષ કારણ કંઈ છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy