SearchBrowseAboutContactDonate
Page Preview
Page 900
Loading...
Download File
Download File
Page Text
________________ આત્યંતર પરિણામ અવકન–હાથનોંધ ૧ ૮૧૧ શું વિચારતાં, શું માનતાં, શી દશા થતાં એથે ગુણસ્થાનક કહેવાય? શાથી એથે ગુણસ્થાનકેથી તેરમે ગુણસ્થાનકે આવે ? | [હાથોંધ ૧, પૃ ૧૪૮] વર્તમાનકાળની પેઠે આ જગત સર્વકાળ છે. પૂર્વકાળે તે ન હોય તે વર્તમાનકાળે તેનું હોવું પણ હોય નહીં. વર્તમાનકાળે છે તે ભવિષ્યકાળમાં તે અત્યંત વિનાશ પામે નહીં. પદાર્થમાત્ર પરિણામી હોવાથી આ જગત પર્યાયાંતર દેખાય છે, પણ મૂળપણે તેનું સદા વર્તમાનપણું છે. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૦] જે વસ્તુ સમયમાત્ર છે, તે સર્વકાળ છે. જે ભાવ છે તે છે, જે નથી તે નથી. બે પ્રકારને પદાર્થ સ્વભાવ વિભાગપૂર્વક સ્પષ્ટ દેખાય છે. જડ સ્વભાવ, ચેતન સ્વભાવ. [હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૫૨] ગુણાતિશયતા શું? તે કેમ આરાધાય ? કેવળજ્ઞાનમાં અતિશયતા શું ? તીર્થકરમાં અતિશયતા શું? વિશેષ હેતુ શો? જે જિનસમ્મત કેવળજ્ઞાન કલેકજ્ઞાયક માનીએ તે તે કેવળજ્ઞાનમાં આહાર, નિહાર, વિહારાદિ ક્રિયા શી રીતે સંભવે? વર્તમાનમાં તેની આ ક્ષેત્રે અપ્રાપ્તિને હેતુ છે? [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૪] મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ, પરમાવધિ, કેવલ, [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૫૫ પરમાવધિજ્ઞાન ઉત્પન્ન થયા પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે, એ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ગ્ય છે. અનાદિ અનંતકાળનું, અનંત એવા અલકનું? ગણિતથી અતીત અથવા અસંખ્યાતથી પર એવો જીવસમૂહ, પરમગુસમૂહ અનંત છતાં અનંતપણાને સાક્ષાત્કાર થાય તે ગણિતાતીતપણું છતાં શી રીતે સાક્ષાત્ અનંતપણું જણાય? એ વિરોધની શાંતિ ઉપર કહ્યાં તે રહસ્યથી થવા યોગ્ય સમજાય છે. વળી કેવળજ્ઞાન નિર્વિકલ્પ છે, ઉપયોગને પ્રયોગ કરે પડતું નથી. સહજ ઉપગ તે જ્ઞાન છે, તે પણ રહસ્ય અનુપ્રેક્ષા કરવા ગ્ય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy