SearchBrowseAboutContactDonate
Page Preview
Page 899
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૦ શ્રીમદ્ રાજચંદ્ર મથન કર્યું, અને પ્રસંગે પ્રસંગે મથનની યેગ્યતાને પ્રાપ્ત થયેલું એવું જૈનદર્શન તે સંબંધી ઘણું પ્રકારે જે મથન થયું, તે મથનથી તે દર્શનને સિદ્ધ થવા અર્થે, પૂર્વાપર વિરોધ જેવાં લાગે છે એવાં નીચે લખ્યાં છે તે કારણે દેખાયાં. [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૨] ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તથા આકાશાસ્તિકાય અરૂપી છતાં રૂપીને સામર્થ્ય આપે છે, અને એ ત્રણ દ્રવ્ય સ્વભાવપરિણમી કહ્યાં છે, ત્યારે એ અરૂપી છતાં રૂપીને સહાયક કેમ થઈ શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એકક્ષેત્રાવગાહી છે, અને પરસ્પર વિરુદ્ધતાવાળા તેના સ્વભાવ છે, છતાં તેમાં વિરોધ, ગતિ પામેલી વસ્તુ પ્રત્યે સ્થિતિસહાયકતારૂપે અને સ્થિતિ પામેલી વસ્તુ પ્રત્યે ગતિ સહાયકતારૂપે થઈ શા માટે આવે નહીં? જ ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આત્મા એક એ ત્રણ સમાન અસંખ્યાતપ્રદેશ છે, તેને કંઈ બીજે રહસ્યાર્થ છે? . ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની અવગાહના અમુક અમૂર્તાકારે છે, તેમ હોવામાં કંઈ રહસ્યાર્થ છે? લેક સંસ્થાન સદેવ એક સ્વરૂપે રહેવામાં કંઈ રહસ્યાર્થ છે? એક તારે પણ ઘટવધ થતું નથી, એવી અનાદિ સ્થિતિ શા હેતુથી માનવી ? શાશ્વતપણની વ્યાખ્યા શું? આત્મા, કે પરમાણુ કદાપિ શાશ્વત માનવામાં મૂળ દ્રવ્યત્વ કારણ છે, પણ તારા, ચંદ્ર, વિમાનાદિમાં તેનું કારણ છે? ૬૪ [હાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૩] સિદ્ધ આત્મા કાલકપ્રકાશક છે, પણ કાલેકવ્યાપક નથી, વ્યાપક તે સ્વઅવગાહનાપ્રમાણ છે. જે મનુષ્યદેહે સિદ્ધિ પામ્યા તેના ત્રીજા ભાગ ઊણે તે પ્રદેશ ઘન છે, એટલે આત્મદ્રવ્ય કાલેકવ્યાપક નથી પણ કાલેકપ્રકાશક એટલે કાલેકજ્ઞાયક છે, કાલેક પ્રત્યે આત્મા જ નથી. અને કલેક કંઈ આત્મામાં આવતાં નથી, સર્વે પિતપોતાની અવગાહનામાં સ્વસત્તામાં રહ્યાં છે, તેમ છતાં આત્માને તેનું જ્ઞાનદર્શન શી રીતે થાય છે? અત્રે જે એવું દ્રષ્ટાંત કહેવામાં આવે કે જેમ આરીસામાં વસ્તુ પ્રતિબિંબિત થાય છે, તેમ આત્મામાં પણ લોકાલોક પ્રકાશિત થાય છે, પ્રતિબિંબિત થાય છે, તે એ સમાધાન પણ અવિરોધ દેખાતું નથી, કેમ કે આરીસામાં તે વિસસાપરિણામી પુદ્ગલરશ્મિથી પ્રતિબિંબિત થાય છે. આત્માને અગુરુલઘુ ધર્મ છે, તે ધર્મને દેખતાં આત્મા સર્વ પદાર્થને જાણે છે, કેમકે સર્વ દ્રવ્યમાં અગુરુલઘુ ગુણ સમાન છે. એમ કહેવામાં આવે છે, ત્યાં અગુરુલઘુ ધર્મને અર્થ શું સમજે? હિાથોંધ ૧, પૃષ્ઠ ૧૩૬] આહારને જય, આસનને જાય, નિદ્રાને જય, વાસંયમ, જિનોપદિષ્ટ આત્મધ્યાન , આત્મધ્યાન શી રીતે? જ્ઞાન પ્રમાણ દયાન થઈ શકે, માટે જ્ઞાનતારતમ્યતા જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy