SearchBrowseAboutContactDonate
Page Preview
Page 872
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાર-૨ ૭૮૩ ૭ દર્શનાવરણીય કર્મના આવરણને લઈને દર્શન અવગાઢપણે અવરાયું હોવાથી, ચેતનમાં મૂઢતા થઈ ગઈ, અને ત્યાંથી શૂન્યવાદ શરૂ થયો. ૮ દર્શન રોકાય ત્યાં જ્ઞાન પણ રેકાય. ૯ દર્શન અને જ્ઞાનની વહેંચણ કરવામાં આવી છે. જ્ઞાન, દર્શનના કાંઈ કટકા થઈ જુદા પડી શકે એમ નથી. એ આત્માના ગુણે છે. રૂપિયાના બે અર્ધા તે જ રીતે આઠ આના દર્શન અને આઠ આના જ્ઞાન છે. ૧૦ તીર્થકરને એક સમયે દર્શન અને તે જ સમયે જ્ઞાન એમ બે ઉપગ દિગંબરમત પ્રમાણે છે, શ્વેતાંબરમત પ્રમાણે નથી. બારમા ગુણસ્થાનકે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અને અંતરાય એમ ત્રણ પ્રકૃતિને ક્ષય એક સાથે થાય છે અને ઉત્પન્ન થતી લબ્ધિ પણ સાથે થાય છે. જે એક સમયે ન થતું હોય તે એકબીજી પ્રકૃતિએ ખમવું જોઈએ. શ્વેતાંબર કહે છે કે જ્ઞાન સત્તામાં રહેવું જોઈએ, કારણ એક સમયે બે ઉપગ ન હોય; પણ દિગંબરની તેથી જદી માન્યતા છે. ૧૧ શૂન્યવાદ કાંઈ નથી એમ માનનાર; એ બૌદ્ધ ધર્મને એક ફાંટો છે. આયતન=કઈ પણ પદાર્થનું સ્થળ, પાત્ર. કુટસ્થ અચળ, ન ખસી શકે છે. તટસ્થ કાંઠે, તે સ્થળે. મધ્યસ્થ વચમાં. ૨૭ મોરબી, અષાડ વદ ૧૩, ભેમ, ૧૯૫૬) ૧ ચપચય =જવુંજવું, પણ પ્રસંગવશાત્ આવવુંજવું, ગમનાગમન. માણસના જવાઆવવાને લાગુ પડે નહીં. શ્વાસોચ્છવાસ ઈત્યાદિ સૂક્ષ્મ ક્રિયાને લાગુ પડે. ચયવિચ=જવુંઆવવું. ૨ આત્માનું જ્ઞાન જ્યારે ચિંતામાં રોકાય છે ત્યારે નવા પરમાણુ ગ્રહણ થઈ શક્તા નથી, ને જે હોય છે તેનું જવું થાય છે તેથી શરીરનું વજન ઘટી જાય છે. ૩ શ્રી “આચારાંગસૂત્રના પહેલા અધ્યયન શસ્ત્રપરિજ્ઞામાં અને શ્રી ષડ્રદર્શનસમુચ્ચયમાં મનુષ્ય અને વનસ્પતિના ધર્મની તુલના કરી વનસ્પતિમાં આત્મા હોવાનું સિદ્ધ કરી બતાવ્યું છે, તે એવી રીતે કે બને જન્મે છે, વધે છે, આહાર લે છે, પરમાણુ લે છે, મૂકે છે, મરે છે, ઈત્યાદિ. ૨૮ મોરબી, શ્રાવણ સુદ ૩, રવિ, ૧૯૫૬ ૧ સાધુ સામાન્યપણે ગૃહવાસ ત્યાગી, મૂળગુણના ધારક તે. યતિ ધ્યાનમાં સ્થિર થઈ શ્રેણિ માંડનાર: મુનિ જેને અવધિ, મન:પર્યવ જ્ઞાન હોય તથા કેવળજ્ઞાન હોય તે. અષિ=બહુ અદ્વિધારી હોય તે. ઋષિના ચાર ભેદઃ (૧) રાજ (૨) બ્રહ્મ. (૩) દેવ૦ (૪) પરમ૦ રાજર્ષિ ઋદ્ધિવાળા. બ્રહ્મર્ષિ અક્ષણ મહાન ઋદ્ધિવાળા. દેવર્ષિ આકાશગામી મુનિદેવ. પરમર્ષિ કેવળજ્ઞાની. શ્રાવણ સુદ ૧૦, સેમ, ૧૫૬ ૧ અભવ્ય જીવ એટલે જે જીવ ઉત્કટ રસે પરિણમે અને તેથી કર્મો બાંધ્યા કરે, અને તેને લીધે તેને મોક્ષ ન થાય. ભવ્ય એટલે જે જીવનું વીર્ય શાંતરસે પરિણમે ને તેથી ન કર્મબંધ ન થતાં મેક્ષ થાય. જે જીવને વળાંક ઉત્કટ રસે પરિણમવાને હેય તેનું વીર્ય તે પ્રમાણે પરિણમે તેથી જ્ઞાનીના જ્ઞાનમાં અભવ્ય લાગ્યા. આત્માની પરમશાંત દશાએ “મેક્ષી અને ઉત્કટ દશાએ અક્ષર જ્ઞાનીએ દ્રવ્યના સ્વભાવની અપેક્ષાએ ભવ્ય, અભવ્ય કહ્યા છે. જીવનું વીર્ય ઉત્કટ રસે પરિણમતાં સિદ્ધપર્યાય પામી શકે નહીં એમ જ્ઞાનીએ કહેલું છે. ભજના=અંશે; હેય વાન હેય. વંચક=(મન, વચન, કાયાએ) છેતરનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy