SearchBrowseAboutContactDonate
Page Preview
Page 871
Loading...
Download File
Download File
Page Text
________________ , ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર અને ક્રિયા પણ કરી શકે નહીં અથવા તે તેનાથી પ્રવર્તન પણ થઈ શકે નહીં. જ્ઞાનનું કામ જાણવાનું છે, દર્શનનું કામ દેખવાનું છે અને વીર્યનું કામ પ્રવર્તવાનું છે. વીર્ય બે પ્રકારે પ્રવર્તી : છે – (૧) અભિસંધિ (૨) અનભિસંધિ. અભિસંધિ = આત્માની પ્રેરણાથી વીર્યનું પ્રવર્તવું થાય તે. અનભિસંધિ = કષાયથી વીર્યનું પ્રવર્તવું થાય છે. જ્ઞાનદર્શનમાં ભૂલ થતી નથી. પરંતુ ઉદયભાવે રહેલા દર્શન મેહને લીધે ભૂલ થવાથી એટલે ઔરનું તૌર જણવાથી વીર્યની પ્રવૃત્તિ વિપરીતપણે થાય છે, જે સમ્યફપણે થાય તે સિદ્ધપર્યાય પામે. આત્મા કોઈ પણ વખતે ક્રિયા વગરને હાઈ શકતું નથી. જ્યાં સુધી ગો છે ત્યાં સુધી ક્રિયા કરે છે, તે પિતાની વીર્યશક્તિથી કરે છે. તે ક્રિયા જોવામાં આવતી નથી, પણ પરિણામ ઉપરથી જાણવામાં આવે છે. ખાધેલે ખેરાક જાય છે એમ સવારે ઊઠતાં જણાય છે. નિદ્રા સારી આવી હતી ઈત્યાદિક બોલીએ છીએ તે થયેલી ક્રિયા સમજાયાથી બેલવામાં આવે છે. ચાળીસ વર્ષની ઉંમરે આંકડા ગણતાં આવડે તે શું તે પહેલાં આંકડા નહતા એમ કાંઈ કહી શકાશે? નહીં જ. પિતાને તેનું જ્ઞાન નહતું તેથી એમ કહે. આ જ પ્રમાણે જ્ઞાન-દર્શનનું સમજવાનું છે. આત્માનાં જ્ઞાન, દર્શન અને વીર્ય થોડાંઘણાં પણ ખુલ્લાં રહેતાં હોવાથી આત્મા ક્રિયામાં પ્રવર્તી શકે. વીર્ય ચળાચળ હમેશાં રહ્યા કરે છે. કર્મગ્રંથ વાંચવાથી વિશેષ સ્પષ્ટ થશે. આટલા ખુલાસાથી બહુ લાભ થશે. ૩ પારિમિકભાવે હમેશાં જીવત્વપણું છે, એટલે જીવ જીવપણે પરિણમે, અને સિદ્ધત્વ ક્ષાયિકભાવે હોય, કારણ કે પ્રકૃતિએને ક્ષય કરવાથી સિદ્ધપર્યાય પમાય છે. ૪ મેહનીયકર્મ ઔદયિકભાવે હોય. ૫ વાણિયા અક્ષર બેડા લખે છે, પણ આંકડા બેડા લખતા નથી. ત્યાં તે બહુ સ્પષ્ટપણે લખે છે. તેવી રીતે કથાનુગમાં જ્ઞાનીઓએ વખતે બેડું લખ્યું હોય તે ભલે. બાકી કર્મપ્રકૃતિમાં તે એક્કસ આંકડા લખ્યા છે. તેમાં જરા તફાવત આવવા નથી દીધે. ૨૫ મોરબી, અષાઢ વદ ૧૧, રવિ, ૧૫૬ ૧ જ્ઞાન એ દોરો પરોવેલ સેય જેવું છે, એમ “ઉત્તરાધ્યયનસૂત્રમાં કહેલું છે. દોરે પરવેલ સોય ખેવાતી નથી તેમ જ્ઞાન હોવાથી સંસારમાં ભૂલું પડાતું નથી ૨૬ મોરબી, અષાડ વદ ૧૨, સેમ, ૧૫૬ ૧ પ્રતિહાર = તીર્થંકરનું ધર્મરાજ્યપણું બતાવનાર. પ્રતિહાર = દરવાન. ૨ શૂળ, અ૫–ધૂળ, તેથી પણ સ્થળ, દૂર, દૂરમાં દર, તેથી પણ દૂર; એમ જણાય છે અને તે ઉપરથી સૂક્ષ્મ, સૂક્ષ્મમાં સૂફમ આદિનું જ્ઞાન કેઈકને પણ હોવાનું સિદ્ધ થઈ શકે છે. ૩ “નગ્ન’ એ “આત્મમગ્ન? - ૪ ઉપહત = હણાયેલા. અનુપહિત=નહીં હણાયેલા. ઉપખુંભજન્ય =આધારભૂત. અભિધેય = વસ્તુધર્મ કહી શકાય એવ. પાઠાંતર = એક પાઠની જગેએ બીજે પાઠ આવે છે. અર્થાતર = કહેવાને હેતુ બદલાઈ જાય છે. વિષમ = યથાગ્ય નહીં, ફેરફારવાળું, વસ્તુઓ છું. આત્મદ્રવ્ય એ સામાન્ય, વિશેષ ઉભયાત્મક સત્તાવાળું છે. સામાન્ય ચેતનસત્તા એ દર્શન. સવિશેષ ચેતનસત્તા એ જ્ઞાન. ૫ સત્તા મુદ્દભૂત = સમ્યક પ્રકારે સત્તાનું ઉદયભૂત થવું, પ્રકાશવું, સ્ફરવું, જણાવું તે. ૬ દર્શન = જગતના કોઈ પણ પદાર્થનું ભેદરૂપ રસગંધરહિત નિરાકાર પ્રતિબિંબિત થવું, તેનું અસ્તિત્વ જણાવું; નિવિકલ્પપણે કાંઈ છે એમ આરસીના ઝળકારાની પેઠે સામા પદાર્થને ભાસ થવે એ “દર્શન’ વિકલ્પ થાય ત્યાં “જ્ઞાન” થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy