SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૭૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧૫ અમુક અમુક મગજમાંની નસે દાબવાથી ક્રોધ, હાસ્ય, ઘેલછા ઉત્પન્ન થાય છે. શરીરમાં . મુખ્ય મુખ્ય સ્થળે જીભ, નાસિકા ઇત્યાદિ પ્રગટ જણાય છે તેથી માનીએ છીએ, પણ આવા સૂક્ષમ સ્થાને પ્રગટ જણાતા નથી એટલે માનતા નથી, પણ તે જરૂર છે. ૧૬ વેદનીય કર્મ એ નિર્જરારૂપે છે, પણ દવા ઇત્યાદિ તેમાંથી ભાગ પડાવી જાય. ૧૭ જ્ઞાનીએ એમ કહ્યું છે કે આહાર લેતાંય દુઃખ થતું હોય અને છેડતાંય દુઃખ થતું હોય ત્યાં સંલેખના કરવી. તેમાં પણ અપવાદ હોય છે. જ્ઞાનીએ કાંઈ આત્મઘાત કરવાની ભલામણ કરી નથી. ૧૮ જ્ઞાનીએ અનંત ઔષધિ અનંતા ગુણસંયુક્ત જોઈ છે, પરંતુ મત મટાડી શકે એવી ઔષધિ કોઈ જવામાં આવી નહીં! વૈદ્ય અને ઔષધિ એ નિમિત્તરૂપ છે. ૧૯ બુદ્ધદેવને રેગ, દરિદ્રતા, વૃદ્ધાવસ્થા અને મેત એ ચાર બાબત ઉપરથી વૈરાગ્ય ઉત્પન્ન થયે હતે. ૧૮ મોરબી, અષાડ વદ ૫, ભેમ, ૧૯૫૬ ૧ ચક્રવતીને ઉપદેશ કરવામાં આવે તે તે ઘડીકમાં રાજ્યને ત્યાગ કરે. પણ ભિક્ષુકને અનંત તૃષ્ણ હોવાથી તે પ્રકારને ઉપદેશ તેને અસર કરે નહીં. ૨ જે એક વખત આત્મામાં અંતવૃત્તિ સ્પર્શી જાય, તે અર્ધ પુગલ પરાવર્તન રહે એમ તીર્થંકરાદિએ કહ્યું છે. અંતત્તિ જ્ઞાનથી થાય છે. અંતવૃત્તિ થયાને આભાસ એની મેળે (સ્વભાવે જ), આત્મામાં થાય છે; અને તેમ થયાની ખાતરી પણ સ્વાભાવિક થાય છે. અર્થાત્ આત્મા “થરમેમિટર સમાન છે. તાવ હોવાની તેમ તાવ ઊતરી જવાની ખાતરી “થરમૉમિટર” આપે છે. જો કે થરમૉમિટર’ તાવની આકૃતિ બતાવતું નથી, છતાં તેથી પ્રતીતિ થાય છે. તેમ અંતવૃત્તિ થયાની આકૃતિ જણાતી નથી, છતાં અંતત્તિ થઈ છે એમ આત્માને પ્રતીતિ થાય છે. ઔષધ કેવી રીતે તાવ ઉતારે છે તે કાંઈ બતાવતું નથી, છતાં ઔષધથી તાવ ખસી જાય છે, એમ પ્રતીતિ થાય છે, એ જ રીતે અંતવૃત્તિ થયાની એની મેળે જ પ્રતીતિ થાય છે. આ પ્રતીતિ તે “પરિણામપ્રતીતિ’ છે. ૩ વેદનીય કર્મ. ૧ ૪ નિર્જરાને અસંખ્યાતગુણે ઉત્તરોત્તર ક્રમ છે, સમ્યક્દર્શન પામેલ નથી એવા મિથ્યાદ્રષ્ટિ જીવ કરતાં સમ્યફષ્ટિ અસંખ્યાતગુણ નિર્જરા કરે છે. ૫ તીર્થકરાદિને ગૃહસ્થાશ્રમમાં વર્તતાં છતાં “ગાઢ અથવા “અવગાઢ સમ્યકત્વ હોય છે. ૬ “ગાઢ” અથવા “અવગાઢ’ એક જ કહેવાય. ૭ કેવળીને “પરમાવગાઢ સમ્યકત્વ હોય છે. ૮ થે ગુણસ્થાનકે ગાઢ અથવા અવગાઢ સમ્યકત્વ હોય છે. ૯ ક્ષાયિક સમ્યકત્વ અથવા ગાઢ-અવગાઢ સમ્યકત્વ એકસરખું છે. ૧૦ દેવ, ગુરુ, તત્ત્વ, અથવા ધર્મ અથવા પરમાર્થને તપાસવાના ત્રણ પ્રકાર છે (૧) કસ, (૨) છેદ, અને (૩) તાપ. એમ ત્રણ પ્રકારે કટી થાય છે. સેનાની કેસેટીને દ્રષ્ટતે. (ધર્મબિંદુ ગ્રંથમાં છે.) પહેલા અને બીજા પ્રકારે કઈમાં મળતાપણું આવે, પરંતુ તાપની વિશુદ્ધ કસોટીએ શુદ્ધ જણાય છે તે દેવ, ગુરુ અને ધર્મ ખરા ગણાય. ૧. શ્રોતાની નોંધ :- વેદનીય કર્મની ઉદયમાન પ્રકૃતિમાં આત્મા હર્ધ ધરે છે, તો કેવા ભાવમાં આત્મા ભાવિત રહેવાથી તેમ થાય છે એ વિશે સ્વાત્માથી વિચારવા શ્રીમદે કહ્યું. ૨. એમ અસંખ્યાતગુણ નિર્જરાન ચઢિયાતે ક્રમ ચૌદમાં ગુણસ્થાનક સુધી શ્રીમદે બતાવ્યો અને સ્વામી કાર્તિકની શાખ આપી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy