SearchBrowseAboutContactDonate
Page Preview
Page 866
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાર–૨ ૭૭૭ ૧ જ્યાં સુધી મૃષા અને પરસ્ત્રીને ત્યાગ કરવામાં આવે નહીં ત્યાં સુધી સર્વ ક્રિયા નિષ્ફળ છે, ત્યાં સુધી આત્મામાં છળકપટ હેવાથી ધર્મ પરિણમતે નથી. ૨ ધર્મ પામવાની આ પ્રથમ ભૂમિકા છે. ૩ જ્યાં સુધી મૃષાત્યાગ અને પરસ્ત્રીત્યાગ એ ગુણ ન હોય ત્યાં સુધી વક્તા તથા શ્રેતા હોઈ શકે નહીં. - ૪ મૃષા જવાથી ઘણી અસત્ય પ્રવૃત્તિ ઓછી થઈ નિવૃત્તિને પ્રસંગ આવે છે. સહજ વાતચીત કરતાં પણ વિચાર કરે પડે. ૫ મૃષા બેલવાથી જ લાભ થાય એ કાંઈ નિયમ નથી. જો તેમ હોય તે સાચા બોલનારા કરતાં જગતમાં અસત્ય બોલનારા ઘણા હોય છે, તે તેઓને ઘણો લાભ થવો જોઈએ; તેમ કાંઈ જોવામાં આવતું નથી, તેમ અસત્ય બોલવાથી લાભ થતું હોય તે કર્મ સાવ રદ થઈ જાય, અને શાસ્ત્ર પણ ખોટા પડે. ૬ સત્યને જય છે. પ્રથમ મુશ્કેલી જણાય, પણ પાછળથી સત્યને પ્રભાવ થાય ને તેની અસર સામા માણસ તથા સંબંધમાં આવનાર ઉપર થાય. ૭ સત્યથી મનુષ્યને આત્મા સ્ફટિક જેવું જણાય છે. ૧૭ મોરબી, અસાડ વદ ૪, સેમ, ૧૫૬ ૧ દિગંબર સંપ્રદાય એમ કહે છે કે આત્મામાં કેવળજ્ઞાન શક્તિરૂપે રહ્યું છે. ૨ શ્વેતાંબર સંપ્રદાય કેવળજ્ઞાન સત્તારૂપે રહ્યાનું કહે છે. ૩ “શક્તિ' શબ્દનો અર્થ “સત્તાથી વધારે ગૌણ થાય છે. ૪ શક્તિરૂપે છે એટલે આવરણથી રોકાયું નથી, જેમ જેમ શક્તિ વધતી જાય એટલે તેના ઉપર જેમ જેમ પ્રવેગ થતા જાય, તેમ તેમ જ્ઞાન વિશુદ્ધ થતું જઈ કેવળજ્ઞાન પ્રગટ થાય. પ સત્તામાં એટલે આવરણમાં રહ્યું છે એમ કહેવાય. ૬ સત્તામાં કર્મપ્રકૃતિ હોય તે ઉદયમાં આવે એ શક્તિરૂપે ન કહેવાય. ૭ સત્તામાં કેવળજ્ઞાન હોય અને આવરણમાં ન હોય એમ ન બને. “ભગવતી આરાધના” જશે. ૮ કાંતિ, દીપ્તિ, શરીરનું વળવું, ખેરાકનું પાચન થવું, લેહીનું ફરવું, ઉપરના પ્રદેશનું નીચે આવવું, નીચેનાનું ઉપર જવું (વિશેષ કારણથી સમુદ્રઘાતાદિ), રતાશ, તાવ આવે એ બધી તેજસ્ પરમાણુની ક્રિયાઓ છે. તેમજ સામાન્ય રીતે આત્માના પ્રદેશે ઊંચાનીચા થયા કરે. એટલે કંપાયમાન રહે તે પણ તેજસ્ પરમાણુથી. ૯ કાર્મશરીર તે જ સ્થળે આત્મપ્રદેશને પિતાના આવરણના સ્વભાવ બતાવે. ૧૦ આત્માના આઠ રુચક પ્રદેશ પિતાનું સ્થાન ન બદલે. સામાન્ય રીતે સ્થૂલ નથી એ આઠ પ્રદેશ નાભિના કહેવાય; સૂમપણે ત્યાં અસંખ્યાતા પ્રદેશ કહેવાય. ૧૧ એક પરમાણુ એકપ્રદેશી છતાં છ દિશાને સ્પર્શે. ચાર દિશા તથા એક ઊર્ધ્વ અને બીજી અધે એ મળી છ દિશા. ૧૨ નિયાણું એટલે નિદાન. ૧૩ આઠ કર્મ બધાં વેદનીય છે, કારણ કે બધાં વેદાય છે, પરંતુ લેકપ્રસિદ્ધ વેદવું થતું નહીં હોવાથી લેકપ્રસિદ્ધ વેદનીય કર્મ જુદું ગયું છે. ૧૪ કાર્મણ, તેજસ્, આહારક, વૈક્રિય અને ઔદોરિક એ પાંચ શરીરનાં પરમાણુ એકનાં એક એટલે સરખાં છે, પરંતુ તે આત્માના પ્રયોગ પ્રમાણે પરિણમે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy