SearchBrowseAboutContactDonate
Page Preview
Page 865
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમદ્ રાજચંદ્ર વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિય અનુભવે છે. (૩) જ્ઞાનચેતના-સિદ્ધપર્યાય અનુભવે છે. ૨૫ મુનિઓની વૃત્તિ અલૌકિક હેવી જોઈએ; તેને બદલે હાલ લૌકિક જોવામાં આવે છે. ૧૪ મોરબી, અષાડ વદ ૨, શનિ, ૧૯૫૬ ૧ પર્યાયાલચન = એક વસ્તુને બીજી રીતે વિચારવી તે. ૨ આત્માની પ્રતીતિ માટે સંકલના પ્રત્યે દૃષ્ટાંત ઃ છ દઢિયેમાં મન અધિષ્ઠાતા છે; અને બાકીની પાંચ ઇન્દ્રિયો તેની આજ્ઞા પ્રમાણે વર્તનાર છે; અને તેની સંકલના કરનાર પણ એક મન જ છે. મન જે ન હેત તે કોઈ કાર્ય બનત નહીં. વાસ્તવિક રીતે કોઈ ઇન્દ્રિયનું કાંઈ વળતું નથી. મનનું સમાધાન થાય છે, તે એ પ્રમાણે કે, એક ચીજ આંખે જોઈ, તે લેવા પગે ચાલવા માંડ્યું, ત્યાં જઈ હાથે લીધી, ને ખાધી ઇત્યાદિ. તે સઘળી ક્રિયાનું સમાધાન મને કર્યું છતાં એ સઘળાને આધાર આત્મા ઉપર છે. ૩ જે પ્રદેશ વેદના વધારે હોય તે મુખ્યપણે વેદે છે, અને બાકીના ગૌણપણે વેદે છે. ૪ જગતમાં અભવ્ય જીવ અનંતા છે. તેથી અનંતગુણ પરમાણુ એક સમયે એક જીવ ગ્રહણ કરે છે, અને મૂકે છે. ૫ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવે બાહા અને અત્યંતર પરિણમતાં પરમાણુ જે ક્ષેત્રે વેદનારૂપે ઉદયમાં આવે ત્યાં એકઠાં થઈ ત્યાં તે રૂપે પરિણમે, અને ત્યાં જેવા પ્રકારને બંધ હોય તે ઉદયમાં આવે. પરમાણુઓ માથામાં એકઠાં થાય તે ત્યાં માથાના દુખાવાને આકારે પરિણમે છે, આંખમાં આંખની વેદનાને આકારે પરિણમે છે. ૬ એનું એ જ ચૈતન્ય સ્ત્રીને સ્ત્રીરૂપે અને પુરુષને પુરુષરૂપે પરિણમે છે; અને રાક પણુ તથા પ્રકારના જ આકારે પરિણમી પુષ્ટિ આપે છે. ૭ પરમાણુ પરમાણુને શરીરમાં લડતાં કેઈએ જોયાં નથી, પણ તેનું પરિણામ વિશેષ જાણવામાં આવે છે. તાવની દવા તાવ અટકાવે છે એ જાણી શકીએ છીએ, પણ અંદર શું ક્રિયા થઈ તે જાણી શકતા નથી, એ દ્રષ્ટાંતે કર્મબંધ થતો જોવામાં આવતું નથી, પણ વિપાક જોવામાં આવે છે. ૮ અનાગાર = જેને વ્રતને વિષે અપવાદ નહીં તે. ૯ અણગાર = ઘરવિનાના. ૧૦ સમિતિ = સમ્યક પ્રકારે જેની મર્યાદા રહી છે તે મર્યાદા સહિત, યથાસ્થિતપણે પ્રવર્તવાને જ્ઞાનીઓએ જે માર્ગ કહ્યો છે તે માર્ગ પ્રમાણે માપસહિત પ્રવર્તવું તે. ૧૧ સત્તાગત = ઉપશમ. ૧૨ શ્રમણ ભગવાન = સાધુ ભગવાન અથવા મુનિ ભગવાન. ૧૩ અપેક્ષા = જરૂરિયાત, ઈચ્છા. ૧૪ સાપેક્ષ = બીજા કારણ, હેતુની જરૂરિયાત ઈચ્છે છે તે. ૧૫ સાપેક્ષત્વ અથવા અપેક્ષાએ = એકબીજાને લઈને. ૧૫ મેરબી, અસાડ વદ ૩, રવિ, ૧૯૫૬ ૧ અનુપપન્ન = નહીં સંભવિત નહીં સિદ્ધ થવા યોગ્ય. રાત્રે શ્રાવકઆશ્રયી, પરસ્ત્રીત્યાગ તથા બીજા અણુવ્રત વિષે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy