SearchBrowseAboutContactDonate
Page Preview
Page 860
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાર–ર ૭૧ કેવળજ્ઞાન કેમે પ્રાપ્ત થાય નહીં; અર્થાત્ તેમ ભણવામાં આવતાં હેાય તે કોઇ દિવસ પાર આવે નહીં; પણ તેની સંકલના છે, ને તે શ્રીગુરુદેવ ખતાવે છે કે અંતર્મુહૂર્તમાં મહાત્માએ તે પ્રાપ્ત કરે છે. ૩ આ જીવે નવપૂર્વ સુધી જ્ઞાન મેળવ્યું તેપણ કાંઈ સિદ્ધિ થઈ નહીં, તેનું કારણ વિમુખ દશાએ પરિણમવાનું છે. જો સન્મુખદશાએ પરિણમ્યા હોય તે તત્ક્ષણુ મુક્ત થાય. ૪ પરમશાંત રસમય ‘ભગવતી આરાધના' જેવા એક જ શાસ્ત્રનું સારી રીતે પરિણમન થયું હોય તે ખસ છે. કારણ કે આ આરા, કાળમાં તે સહેલું, સરલ છે. ૫ આ આરા ( કાળ )માં સંઘયણ સારાં નહીં, આયુષ ઓછાં, દુર્ભિક્ષ, મરકી જેવા સંજોગા વારંવાર અને, તેથી આયુષની કાંઈ નિશ્ચયપૂર્વક સ્થિતિ નથી, માટે જેમ બને તેમ આત્મહિતની જાત તરત જ કરવી. મુલતવી રાખવાથી ભૂલથાપ ખાઇ બેસાય છે. આવા સાંકડા સમયમાં તે છેક જ સાંકડા માર્ગ, પરમશાંત થવું તે ગ્રહણ કરવેા. તેથી જ ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ થાય છે. ૬ કામાદિ કોઈક જ વાર આપણાથી હારી જાય છે; નહીં તે ઘણી વાર આપણને થાપ મારી દે છે. એટલા માટે બનતાં સુધી જેમ બને તેમ ત્વરાથી તેને તજવાને અપ્રમાદી થવું, જેમ વહેલું થવાય તેમ થવું. શૂરવીરપણાથી તેમ તરત થવાય છે. ૭ વર્તમાનમાં વૃષ્ટિરાગાનુસારી માણુસા વિશેષપણે છે. ૮ જો ખરા વૈદ્યની પ્રાપ્તિ થાય તેા દેહને વિધર્મ સહેજે ઔષધિ વડે વિધર્મમાંથી નીકળી સ્વધર્મ પકડે છે. તેવી રીતે જો ખરા ગુરુની પ્રાપ્તિ થાય, તે આત્માની શાંતિ ઘણી જ સુગમતાથી અને સહેજમાં થાય છે. તેથી તેવી ક્રિયા કરવામાં પાતે તત્પર એટલે અપ્રમાદી થવું, પ્રમાદ કરીને ઊલટા કાયર થવું નહીં. ૯ સામાયિક = સંયમ. ૧૦ પ્રતિક્રમણ = આત્માની ક્ષમાપના, આરાધના. ૧૧ પૂજા = ભક્તિ. ૧૨ જિનપૂજા, સામાયિક, પ્રતિક્રમણ આદિ કેવા અનુક્રમે કરવાં તે કહેતાં એક પછી એક પ્રશ્ન ઊઠે; અને તેના કેમે પાર આવે તેમ નથી. પણ જો જ્ઞાનીની આજ્ઞાથી તે જીવ ગમે તેમ ( જ્ઞાનીએ બતાવ્યા પ્રમાણે) વર્તે તેપણ તે મેાક્ષના માર્ગમાં છે. ૧૩ અમારી આજ્ઞાએ વર્તતાં જો પાપ લાગે તે તે અમે અમારે શિર એઢી લઈએ છીએ; કારણ કે જેમ રસ્તા ઉપર કાંટા પડ્યા હોય તે કોઈને વાગશે એમ જાણી માર્ગે ચાલતાં ત્યાંથી ઉપાડી લઈ કાઈને જ્યાં ન લાગે તેવી બીજી એકાંત જગાએ કોઈ મૂકે તે કાંઈ તેણે રાજ્યના ગુને કર્યાં કહેવાય નહીં; તેમ રાજા તેના દંડ કરે નહીં; તેમ મેાક્ષના શાંત માર્ગ બતાવતાં પાપ કેમ સંભવે ? ૧૪ જ્ઞાનીની આજ્ઞાએ ચાલતાં જ્ઞાનીગુરુએ ક્રિયાઆશ્રયી યેાગ્યતાનુસાર કોઈને કાંઈ ખતાવ્યું હાય અને કોઈને કાંઈ બતાવ્યું હાય તેથી મેક્ષ(શાંતિ)ના માર્ગ અટકતા નથી. ૧૫ યથાર્થ સ્વરૂપ સમજ્યા વિના અથવા પાતે જે ખેલે છે તે પરમાર્થે યથાર્થ છે કે કેમ તે જાણ્યા વિના, સમજ્યા વિના, જે વક્તા થાય છે તે અનંત સંસારને વધારે છે. માટે જ્યાં સુધી આ સમજવાની શક્તિ થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું સારું છે. ૧૬ વક્તા થઈ એક પણ જીવને યથાર્થ માર્ગ પમાડવાથી તીર્થંકરાત્ર બંધાય છે અને તેથી ઊલટું કરવાથી મહામેાહનીય કર્મ બંધાય છે. ૧૭ જોકે હમણાં જ તમે સર્વને માર્ગે ચઢાવીએ, પણ ભાજનના પ્રમાણમાં વસ્તુ મુકાય છે. નહીં તે જેમ હલકા વાસણમાં ભારે વસ્તુ મૂકવાથી વાસણને નાશ થાય, તેમ થાય. ક્ષયાપશમ પ્રમાણે સમજી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy