SearchBrowseAboutContactDonate
Page Preview
Page 859
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ શ્રીમદ્ રાજચંદ્ર ૪ ગદ્રષ્ટિ'માં છયે ભાવ–ઔદયિક, ઔપથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક, પરિણામિક, અને સાત્રિપાતિક–નો સમાવેશ થાય છે. એ છ ભાવ જીવના સ્વતત્ત્વભૂત છે. પ જ્યાં સુધી યથાર્થ જ્ઞાન થાય નહીં ત્યાં સુધી મૌન રહેવું ઠીક છે. નહીં તે અનાચાર દેષ લાગે છે. આ વિષય પરત્વે “ઉત્તરાધ્યયનસૂત્ર'માં “અનાચાર” નામે અધિકાર છે. (અધ્યયન ૬ હું ) ૬ જ્ઞાનીના સિદ્ધાંતમાં ફેર હોઈ શકે નહીં. ૭ સૂત્રો આત્માને સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યાં છે, પણ તેનું રહસ્ય, યથાર્થ સમજવામાં આવતું નથી તેથી ફેર લાગે છે. ૮ દિગંબરનાં તીવ્ર વચનને લીધે કંઈ રહસ્ય સમજી શકાય છે. શ્વેતાંબરની મળાશને લીધે રસ ઠંડાતે ગયે. ૯ “શામલિ વૃક્ષ નરકને વિષે નિત્ય અશાતારૂપે છે. ખીજડાને મળતું તે વૃક્ષ થાય છે. ભાવથી સંસારી આત્મા તે વૃક્ષરૂપ છે. આત્મા પરમાર્થે, તે અધ્યવસાય વર્જતાં, નંદનવન સમાન છે. ૧૦ જિનમુદ્રા બે પ્રકારે છે –કાયેત્સર્ગ અને પદ્માસન. પ્રમાદ ટાળવાને બીજાં ઘણું આસને કયાં છે, પણ મુખ્યત્વે આ બે આસને છે. ११ प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमंकः कामिनीसंगशून्यः । करयुगमपि यत्ते शस्त्रसंबंधवंध्यं, तदसि जगति देवो वीतरागस्त्वमेव ॥ ૧૨ રચૈતન્યને લક્ષ કરનારની બલિહારી છે! ૧૩ તીર્થ = તરવાને માર્ગ. ૧૪ અરનાથ પ્રભુની સ્તુતિ મહાત્મા આનંદઘનજીએ કરેલ છે. શ્રી આનંદઘનજીનું બીજું નામ “લાભાનંદજી” હતું. તેઓ તપગચ્છમાં થયા છે. ૧૫ વર્તમાનમાં લેકોને જ્ઞાન તથા શાંતિ સાથે સંબંધ રહ્યો નથી, મતાચાર્યે મારી નાખ્યા છે. “આશય આનંદઘન તણો, અતિ ગંભીર ઉદાર; બાલક બાંય પસારીને, કહે ઉદધિવિસ્તાર.” ૧૭ ત્રણ પ્રકારે ઈશ્વરપણું જણાય છે – (૧) જડ તે જડાત્મકપણે વર્તે છે. (૨) ચૈતન્ય– સંસારી જી વિભાવાત્મકપણે વર્તે છે. (૩) સિદ્ધ-શુદ્ધ ચૈતન્યાત્મકપણે વર્તે છે. ૧૦ મોરબી, અષાડ સુદ ૧૩, ભેમ, ૧૯૫૬ ૧ “ભગવતી આરાધના” જેવાં પુસ્તકે મધ્યમ અને ઉત્કૃષ્ટભાવના મહાત્માઓને તથા મુનિરાજેને જ છે. એવા ગ્રંથે તેથી ઓછી પદવી, યોગ્યતાવાળા સાધુ, શ્રાવકને આપવાથી તેઓ કૃતધી થાય છે તેઓને તેથી ઊલટો અલાભ થાય છે, ખરા મુમુક્ષુઓને જ એ લાભકારી છે. ૨ મેક્ષમાર્ગ એ અગમ્ય તેમ જ સરળ છે. અગમ્ય :–માત્ર વિભાવદશાને લીધે મતભેદ પડવાથી કોઈ પણ સ્થળે મોક્ષમાર્ગ સમજાય તેવું રહ્યું નથી, અને તેને લીધે વર્તમાનમાં અગમ્ય છે. માણસ મરી ગયા પછી અજ્ઞાન વડે નાડ ઝાલીને વૈદાં કરવાનાં ફળની બરાબર મતભેદ પડવાનું ફળ થયું છે, અને તેથી મોક્ષમાર્ગ સમજાય તેમ નથી. સરળ –મતભેદની કડાકૂટ જવા દઈ, આત્મા અને પુદ્ગલ વચ્ચે વહેંચણી કરી, શાંતપણે આત્મા અનુભવવામાં આવે તે મેક્ષમાર્ગ સરળ છે; અને દૂર નથી. જેમ કે એક ગ્રંથ વાંચતાં કેટલેક વખત જાય ને તેને સમજતાં વધારે વખત જ જોઈએ; તે પ્રમાણે અનેક શાસ્ત્રો છે, તે એકેક વાંચ્યા પછી તેને નિર્ણય કરવા માટે બેસવામાં આવે તે તે હિસાબે પૂર્વાદિકનું જ્ઞાન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy