SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૮ શ્રીમદ્ રાજચંદ્ર ૧૯૮ અંશે પણ ત્યાગ કરે તેની પ્રથમથી જ ચોક્કસપણે વ્યાખ્યા બાંધી, સાક્ષી રાખી ‘ત્યાગ કરે, તથા ત્યાગ કરવા પછી પિતાને મનગમતે અર્થ કરવો નહીં. ૧૯૯ સંસારમાં પરિભ્રમણ કરાવનાર ક્રોધ, માન, માયા, લેભની ચેકડીરૂપ કષાય છે, તેનું સ્વરૂપ પણ સમજવા ગ્ય છે. તેમાં પણ અનંતાનુબંધી જે કષાય છે તે અનંત સંસાર ૨ખડાવનાર છે. તે કષાય ક્ષય થવાને ક્રમ સામાન્ય રીતે ક્રોધ, માન, માયા, લોભ એ પ્રમાણે છે, અને તેને ઉદય થવાને ક્રમ સામાન્ય રીતે માન, લેભ, માયા, ક્રોધ એ પ્રમાણે છે. ૨૦૦ આ કષાયના અસંખ્યાત ભેદ છે. જેવા આકારમાં કષાય તેવા આકારમાં સંસારપરિભ્રમણને માટે કર્મબંધ જીવ પાડે છે. કષાયમાં મોટામાં મોટો બંધ અનંતાનુબંધી કષાયને છે. જે અંતર્મુહૂર્તમાં ચાળીસ કેડાર્કડિ સાગરોપમને બંધ પાડે છે, તે અનંતાનુબંધીનું સ્વરૂપ પણ જબરજસ્ત છે, તે એવી રીતે કે મિથ્યાત્વમેહરૂપી એક રાજાને બરાબર જાળવણથી સન્યને મધ્ય ભાગમાં રાખી ક્રોધ, માન, માયા, લોભ એ ચાર તેની રક્ષા કરે છે, અને જે વખતે જેની જરૂર પડે છે તે વખતે તે વગર લાવ્યા મિથ્યાત્વમેહની સેવા બજાવવા મંડી પડે છે. આ ઉપરાંત નોકષાયરૂપ બીજે પરિવાર છે, તે કષાયના આગળના ભાગમાં રહી મિથ્યાત્વમેહની ચાકી ભરે છે, પરંતુ એ બીજા સઘળા ચેકિયાતે નહીં જેવા કષાયનું કામ કરે છે. રખડપટ કરાવનાર કષાય છે, અને તે કષાયમાં પણ અનંતાનુબંધી કષાયના ચાર દ્ધાઓ બહુ મારી નાંખે છે. આ ચાર દ્ધાઓ મધ્યેથી ક્રોધને સ્વભાવ બીજા ત્રણ કરતાં કાંઈક ભેળે માલુમ પડે છે, કારણ કે તેનું સ્વરૂપ સર્વ કરતાં વહેલું જણાઈ શકે છે. એ પ્રમાણે જ્યારે જેનું સ્વરૂપ વહેલું જણાય ત્યારે તેની સાથે લડાઈ કરવામાં ક્રોધીની ખાતરી થયેથી લડવાની હિંમત થાય છે. ૨૦૧ ઘનઘાતી એવાં ચાર કર્મ મેહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, જે આત્માના ગુણને આવરનારાં છે, તે એક પ્રકારે ક્ષય કરવાં સહેલાં પણ છે. વેદનીયાદિ કર્મ જે ઘનઘાતી નથી તે પણ તે એક પ્રકારે ખપાવવાં આકરાં છે. તે એવી રીતે કે વેદનીયાદિ કર્મને ઉદય પ્રાપ્ત થાય તે ખપાવવા સારુ ભેગવવાં જોઈએ; તે ન ભેગવવાં એવી ઈચ્છા થાય તે પણ ત્યાં તે કામ આવતી નથી; ભેગવવાં જ જોઈએ; અને જ્ઞાનાવરણીયને ઉદય હોય તે યત્ન કરવાથી ક્ષય થાય છે. ઉદાહરણ તરીકે, એક કલેક જે જ્ઞાનાવરણીયના ઉદયથી યાદ રહેતું ન હોય તે બે, ચાર, આઠ, સેળ, બત્રીશ, ચેસઠ, સે અર્થાત્ વધારે વાર ગેખવાથી જ્ઞાનાવરણીય ક્ષેપક્ષમ અથવા ક્ષય થઈ યાદ રહે છે, અર્થાત્ બળવાન થવાથી તે તે જ ભવમાં અમુક અંશે ખપાવી શકાય છે. તેમ જ દર્શનાવરણય કર્મના સંબંધમાં સમજવું. મેહનીયકર્મ જે મહા જોરાવર તેમ ભેળ પણ છે, તે તરત ખપાવી શકાય છે. જેમ તેની આવણું, વેગ આવવામાં જમ્બર છે, તેમ તે જલદીથી ખસી પણ શકે છે. મેહનીયકર્મને તીવ્ર બંધ હોય છે, તે પણ તે પ્રદેશબંધ ન હોવાથી તરત ખપાવી શકાય છે. નામ, આયુષ્યાદિ કર્મ, જેને પ્રદેશબંધ હોય છે તે કેવળજ્ઞાન ઉત્પન્ન થયા પછી પણ છેડા સુધી ભેગવવાં પડે છે, જ્યારે મેહનીયાદિ ચાર કર્મ તે પહેલાં ક્ષય થાય છે. ૨૦૨ ઘેલછા એ ચારિત્રમેહનીયને વિશેષ પર્યાય છે. ક્વચિત હાસ્ય, ક્વચિત શોક, ક્વચિત્ રતિ, ક્વચિત્ અરતિ, ક્વચિત્ ભય અને ક્વચિત્ જુગુપ્સારૂપે તે જણાય છે. કંઈ અંશે તેને જ્ઞાનાવરણીયમાં પણ સમાસ થાય છે. સ્વમમાં વિશેષપણે જ્ઞાનાવરણીયના પર્યાય જણાય છે. ૨૦૩ “સંજ્ઞા એ જ્ઞાનને ભાગ છે. પણ પરિગ્રહસંજ્ઞા લેભપ્રકૃતિમાં સમાય છે મૈથુનસંજ્ઞા” “વેદપ્રકૃતિમાં સમાય છે, “આહાર સંજ્ઞા” “વેદનીય'માં સમાય છે, અને “ભયસંજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy