SearchBrowseAboutContactDonate
Page Preview
Page 846
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસાર–૧ ૭૫૭ ૧૮૮ પહેલેથી ખીજે જવાતું નથી, પરંતુ ચેાથેથી પાછા વળતાં પહેલે આવવામાં રહેતા વચલા અમુક કાળ તે ખીજું છે. તેને જે ચેાથા પછી પાંચમું ગણવામાં આવે તે ચેાથાથી પાંચમું ચડી જાય અને અહીં તે સાસ્વાદન ચેાથાથી પતિત થયેલ માનેલ છે, એટલે તે ઊતરતું છે, તેથી પાંચમા તરીકે ન મૂકી શકાય પણ બીજા તરીકે મૂકવું એ ખરાબર છે. ૧૮૯ આવરણ છે એ વાત નિઃસંદેહ છે; જે શ્વેતાંબર તથા દિગંબર બન્ને કહે છે; પરંતુ આવરણને સાથે લઈ કહેવામાં થાપું એકબીજાથી તફાવતવાળું છે. ૧૯૦ દિગંબર કહે છે કે કેવળજ્ઞાન સત્તારૂપે નહીં, પરંતુ શક્તિરૂપે રહ્યું છે. ૧૯૧ જોકે સત્તા અને શક્તિના સામાન્ય અર્થ એક છે; પરંતુ વિશેષાર્થ પ્રમાણે કંઈક ફેર રહે છે. ૧૯૨ દૃઢપણે એઘ આસ્થાથી, વિચારપૂર્વક અભ્યાસથી વિચારસહિત આસ્થા' થાય છે. ૧૯૩ તીર્થંકર જેવા પણ સંસારપક્ષે વિશેષ વિશેષ સમૃદ્ધિના ધણી હતા છતાં તેમને પણ ત્યાગ કરવાની જરૂર પડી હતી, તે પછી અન્ય જીવાને તેમ કરવા સિવાય છૂટકો નથી. ૧૯૪ ત્યાગના બે પ્રકાર છે – એક માહ્ય અને બીજો અત્યંતર. તેમને બાહ્ય ત્યાગ તે અત્યંતર ત્યાગને સહાયકારી છે. ત્યાગ સાથે વૈરાગ્ય જોડાય છે, કારણ કે વૈરાગ્ય થયે જ ત્યાગ થાય છે. ૧૯૫ જીવ એમ માને છે કે હું કાંઈક સમજું છું, અને જ્યારે ત્યાગ કરવા ધારીશ ત્યારે એકદમ ત્યાગ કરી શકીશ, પરંતુ તે માનવું ભૂલભરેલું થાય છે. જ્યાં સુધી એવા પ્રસંગ નથી આવ્યો, ત્યાં સુધી પેાતાનું જોર રહે છે. જ્યારે એવે વખત આવે છે ત્યારે શિથિલપરિણામી થઈ માળે પડે છે. માટે આસ્તે આસ્તે તપાસ કરવી તથા ત્યાગના પરિચય કરવા માંડવા; જેથી ખબર પડે કે ત્યાગતી વખત પરિણામ કેવાં શિથિલ થઈ જાય છે ? ૧૯૬ આંખ, જીભાદિ ટ્રિયાની એકેક આંગળ જેટલી જગા જીતવી જેને મુશ્કેલ થઇ પડે છે, અથવા જીતવું અસંભિવત થઈ પડે છે, તેને મેટું પરાક્રમ કરવાનું અથવા મોટું ક્ષેત્ર જીતવાનું કામ સોંપ્યું હાય તે તે શી રીતે ખની શકે? એકદમ ત્યાગ કરવાનો વખત આવે ત્યારની વાત ત્યારે, એ વિચાર તરફ લક્ષ રાખી હાલ તે। આસ્તે આસ્તે ત્યાગની કસરત કરવાની જરૂર છે. તેમાં પણુ શરીર અને શરીર સાથે સંબંધ રાખતાં સગાંસંબંધીઓના સંબંધમાં પ્રથમ અજમાયશ કરવી; અને શરીરમાં પણ આંખ, જીભ અને ઉપસ્થ એ ત્રણ ઇંદ્રિયાના વિષયના દેશે દેશે ત્યાગ તરફ પ્રથમ જોડાણ કરાવવાનું છે, અને તેના અભ્યાસથી એકદમ ત્યાગ સુગમતાવાળા થઈ પડે છે. ૧૯૭ હાલ તપાસ દાખલ, અંશે અંશે જેટલા જેટલા ત્યાગ કરવા તેમાં પણ મેળાશ ન રાખવી તેમ જ રૂઢિને અનુસરી ત્યાગ કરવા એમ પણ નહીં. જે કાંઈ ત્યાગ કરવા તે શિથિલપણા રહિત તથા ખારીખારણાં રહિત કરવેા. અથવા ખારીખારણાં રાખવાં જરૂર હેાય તે તે પણુ ચોક્કસ આકારમાં ખુલ્લી રીતે રાખવાં; પણ એવાં ન રાખવાં કે તેના અર્થ જ્યારે જેવા કરવા હોય તેવા થઈ શકે. જ્યારે જેની જરૂર પડે ત્યારે તેને ઇચ્છાનુસાર અર્થ થઈ શકે, તેવી ગોઠવણ જ ત્યાગને વિષે રાખવી નહીં. જો અચેાક્કસપણે એટલે જરૂર પડે ત્યારે મનગમતા અર્થ થઈ શકે એવા આકારમાં ગોઠવણુ રાખવામાં આવે તે શિથિલપરિણામી થઇ ત્યાગેલું બધું અગાડી મૂકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy