SearchBrowseAboutContactDonate
Page Preview
Page 840
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાનસીર-૧ ૭૫૧ ૧૨૯ સ્વપરને જુદા પાડનાર જે જ્ઞાન તે જ્ઞાન. આ જ્ઞાનને પ્રજનભૂત કહેવામાં આવ્યું છે. આ સિવાયનું જ્ઞાન તે “અજ્ઞાન છે. શુદ્ધ આત્મદશારૂપ શાંત જિન છે. તેની પ્રતીતિ જિનપ્રતિબિંબ સૂચવે છે. તે શાંત દશા પામવા સારુ જે પરિણતિ, અથવા અનુકરણ અથવા માર્ગ તેનું નામ “જૈન”; –ને માર્ગે ચાલવાથી જૈનપણું પ્રાપ્ત થાય છે. ૧૩. આ માર્ગ આત્મગુણોધક નથી, પણ બેધક છે, એટલે આત્મગુણ પ્રગટ કરે છે, તેમાં કશે સંશય નથી. આ વાત પરોક્ષ નથી, પણ પ્રત્યક્ષ છે. ખાતરી કરવા ઈચ્છનારે પુરુષાર્થ કરવાથી સુપ્રતીત થઈ પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. ૧૩૧ સૂત્ર અને સિદ્ધાંત એ બે જુદાં છે. સાચવવા સારૂ સિદ્ધાંતે સૂત્રરૂપી પેટીમાં રાખવામાં આવ્યા છે. દેશ, કાળને અનુસરી સૂત્ર રચવામાં એટલે ગૂંથવામાં આવે છે, અને તેમાં સિદ્ધાંતની ગૂંથણી કરવામાં આવે છે. તે સિદ્ધાંતે ગમે તે કાળમાં, ગમે તે ક્ષેત્રમાં ફરતા નથી અથવા ખંડિતપણને પામતા નથી; અને જો તેમ થાય છે તે સિદ્ધાંત નથી. ૧૩૨ સિદ્ધાંત એ ગણિતની માફક પ્રત્યક્ષ છે, તેથી તેમાં કોઈ જાતની ભૂલ કે અધૂરાપણું સમાતું નથી. અક્ષર બેડિયા હોય તે સુધારીને માણસે વાંચે છે, પરંતુ આંકડાની ભૂલ થાય તે તે હિસાબ મેટો ઠરે છે, માટે આંકડા બેડિયા હોતા નથી. આ દૃષ્ટાંત ઉપદેશમાર્ગ અને સિદ્ધાંત માર્ગને વિષે ઘટાવવું. ૧૩૩ સિદ્ધાંતે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, ગમે તે કાળમાં લખાણ હોય, તે પણ અસિદ્ધાંતપણાને પામતા નથી. દાખલા તરીકે, બે ને બે ચાર થાય. પછી ગમે તે ગુજરાતી, કે સંસ્કત, કે પ્રાકત, કે ચીની, કે અરબી, કે પશિયન કે ઇંગ્લિશ ભાષામાં લખાયેલ હોય. તે આંકડાને ગમે તે સંજ્ઞામાં ઓળખવામાં આવે તોપણ બે ને બેનો સરવાળો ચાર થાય એ વાત પ્રત્યક્ષ છે. જેમ નવે નવું એકાશી તે ગમે તે દેશમાં, ગમે તે ભાષામાં, અને જોળા દિવસે કે અંધારી રાત્રિએ ગણવામાં આવે તે પણ ૮૦ અથવા ૮૨ થતા નથી, પરંતુ એકાશી જ થાય છે. આ જ પ્રમાણે સિદ્ધાંતનું પણ છે. ૧૩૪ સિદ્ધાંત છે એ પ્રત્યક્ષ છે, જ્ઞાનના અનુભવગમ્યની બાબત છે, તેમાં અનુમાનપણે કામ આવતું નથી. અનુમાન એ તર્કનો વિષય છે, અને તર્ક એ આગળ જતાં કેટલીક વાર બેટ પણ પડે; પરંતુ પ્રત્યક્ષ જે અનુભવગમ્ય છે તેમાં કાંઈ પણ બેટાપણું સમાતું નથી. ૧૩૫ જેને ગુણાકાર અથવા સરવાળાનું જ્ઞાન થયું છે તે એમ કહે કે નવે નવે એકાશી, ત્યાં આગળ જેને સરવાળા અથવા ગુણાકારનું જ્ઞાન થયું નથી, અર્થાત્ પશમ થયું નથી તે અનુમાનથી અથવા તર્ક કરી એમ કહે કે “૯૮ થતા હોય તે કેમ ના કહી શકાય? તે તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું છે નહીં, કેમકે તેને જ્ઞાન ન હોવાથી તેમ કહે એ સ્વાભાવિક છે. પરંત જે તેને ગુણાકારની રીત છેડી (છૂટી છૂટી કરી) એકથી નવ સુધી આંકડા બતાવી નવ વાર ગણાવ્યું હોય તે એકાશી થતાં અનુભવગમ્ય થવાથી તેને સિદ્ધ થાય છે. કદાપિ તેના મંદ ક્ષપશમથી એકાશી, ગુણાકારથી અથવા સરવાળાથી ન સમજાય તે પણ એકાશી થાય એમાં ફેર નથી. એ પ્રમાણે સિદ્ધાંત આવરણના કારણથી ન સમજવામાં આવે તે પણ તે અસિદ્ધાંતપણાને પામતા નથી, એ વાતની ચોક્કસ પ્રતીતિ રાખવી. છતાં ખાતરી કરવા જરૂર હોય તે તેમાં બતાવ્યા પ્રમાણે કરવાથી ખાતરી થતાં પ્રત્યક્ષ અનુભવગમ્ય થાય છે. ૧૩૬ જ્યાં સુધી અનુભવગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીતિ રાખવા જરૂર છે, અને સુપ્રતીતિથી ક્રમે ક્રમે કરી અનુભવગમ્ય થાય છે. ૧૩૭ સિદ્ધાંતના દાખલા-(૧) “રાગદ્વેષથી બંધ થાય છે. (૨) બંધને ક્ષય થવાથી મુક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy