SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૦ શ્રીમદ્ રાજચંદ્ર પ્રદેશવાળી છે તે સમણિની દિશાવાળી સઘળી સમશ્રેણિઓ અસંખ્યાત ગુણી છે તે દરેક અસંખ્યાતાએ ગણતાં, તેમ જ બીજી દિશાની સમશ્રેણિ છે તેનો પણ ગુણાકાર તે પ્રમાણે કરતાં, ત્રીજી દિશાની છે તેનું પણ તે પ્રમાણે કરતાં અસંખ્યાત થાય. એ અસંખ્યાતાના ભાંગાને જ્યાં સુધી એકબીજાને ગુણાકાર કરી શકાય ત્યાં સુધી અસંખ્યાતા થાય, અને તે ગુણાકારથી કોઈ ગુણાકાર કર બાકી ન રહે ત્યારે અસંખ્યાત પૂરું થઈ તેમાં એક ઉમેરતાં જઘન્યમાં જઘન્ય અનંત થાય. ૧૨નય છે તે પ્રમાણને અંશ છે. જે નયથી જે ધર્મ કહેવામાં આવ્યો છે, ત્યાં તેટલું પ્રમાણ છે; એ નથી જે ધર્મ કહેવામાં આવ્યા છે તે સિવાય વસ્તુને વિષે બીજા જે ધર્મ છે તેને નિષેધ કરવામાં આવ્યો નથી. એક વખતે વાણી દ્વારાએ બધા ધર્મ કહી શકાતા નથી. તેમ જ જે જે પ્રસંગ હોય તે તે પ્રસંગે ત્યાં મુખ્યપણે તે જ ધર્મ કહેવામાં આવે છે. ત્યાં ત્યાં તે તે નયથી પ્રમાણ છે. ૧૨૧ નયના સ્વરૂપથી આઘે જઈ કહેવામાં આવે છે તે નય નહીં, પરંતુ નયાભાસ થાય છે, અને નયાભાસ ત્યાં મિથ્યાત્વ કરે છે. ૧૨૨ નય સાત માન્યા છે. તેના ઉપનય સાતસે, અને વિશેષ સ્વરૂપે અનંતા છે, અર્થાત્ જે વાણી છે તે સઘળા નય છે. ૧૨૩ એકાંતિકપણું ગ્રહવાને સ્વછંદ જીવને વિશેષપણે હોય છે, અને એકાંતિકપણું ગ્રહવાથી નાસ્તિકપણું થાય છે. તે ન થવા માટે આ નયનું સ્વરૂપ કહેવામાં આવ્યું છે, જે સમજવાથી જીવ એકાંતિકપણું ગ્રહતે અટકી મધ્યસ્થ રહે છે, અને મધ્યસ્થ રહેવાથી નાસ્તિકતા અવકાશ પામી શકતી નથી. ૧૨૪ નય જે કહેવામાં આવે છે તે નય પિતે કંઈ વસ્તુ નથી, પરંતુ વસ્તુનું સ્વરૂપ સમજવા તથા તેની સુપ્રતીતિ થવા પ્રમાણને અંશ છે. ૧૨૫ અમુક નયથી કહેવામાં આવ્યું ત્યારે બીજા નયથી પ્રતીત થતા ધર્મની અસ્તિ નથી એમ કરતું નથી. ૧૨૬ કેવળજ્ઞાન એટલે માત્ર જ્ઞાન જ, તે સિવાય બીજું કંઈ જ નહીં, અને જ્યારે એમ છે ત્યારે તેને વિષે બીજું કશું સમાતું નથી. સર્વથા સર્વ પ્રકારે રાગદ્વેષને ક્ષય થાય ત્યારે જ કેવળજ્ઞાન કહેવાય. જે કઈ અંશે રાગદ્વેષ હોય તે તે ચારિત્રમેહનીયના કારણથી છે. જ્યાં આગળ જેટલે અંશે રાગદ્વેષ છે ત્યાં આગળ તેટલે અંશે અજ્ઞાન છે, જેથી કેવળજ્ઞાનમાં તે સમાઈ શકતાં નથી, એટલે કેવળજ્ઞાનમાં તે હોતાં નથી; તે એક બીજાનાં પ્રતિપક્ષી છે. જ્યાં કેવળજ્ઞાન છે ત્યાં રાગદ્વેષ નથી, અથવા જ્યાં રાગદ્વેષ છે ત્યાં કેવળજ્ઞાન નથી. ( ૧ર૭ ગુણ અને ગુણી એક જ છે, પરંતુ કેઈ કારણે તે પરિચ્છિન્ન પણ છે. સામાન્ય પ્રકારે તે ગુણને સમુદાય તે “ગુણ” છે, એટલે ગુણ અને ગુણ એક જ છે, જુદી જુદી વસ્તુ નથી. ગુણીથી ગુણ જુદો પડી શકતું નથી. જેમ સાકરને કટકે છે તે “ગુણી છે અને મીઠાશ છે તે ગુણ છે. ગુણ? જે સાકર અને ગુણ જે મીઠાશ તે બને સાથે જ રહેલ છે, મીઠાશ કંઈ જુદી પડતી નથી; તથાપિ “ગુણ’, ‘ગુણી” કઈ અંશે ભેજવાળા છે. ૧૨૮ કેવળજ્ઞાનીને આત્મા પણ દેહવ્યાપકક્ષેત્રઅવગાહિત છે; છતાં લેકાલેકના સઘળા પદાર્થો જે દેહથી દૂર છે તેને પણ એકદમ જાણી શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy