________________
વ્યાખ્યાનમાર-૧
૭૫
૮૦ અમુક આચાર્ય એમ કહે છે કે દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે – “જીવને મેક્ષ થતું નથી, પરંતુ મેક્ષ સમજાય છે, તે એવી રીતે કે જીવ શુદ્ધસ્વરૂપી છે, તેને બંધ થયેલ નથી તે પછી મેક્ષ થવાપણું કયાં રહે છે પરંતુ તેણે માનેલું છે કે “હું બંધાણ છું તે માનવાપણું વિચારવડીએ કરી સમજાય છે કે મને બંધન નથી, માત્ર માન્યું હતું, તે માનવાપણું શદ્ધ સ્વરૂપ સમજાયાથી રહેતું નથી. અર્થાત મોક્ષ સમજાય છે” આ વાત “શદ્ધનયની અથવા નિશ્ચયનયની છે. પર્યાયાથી નયવાળાઓ એ નયને વળગી આચરણ કરે તે તેને રખડી મરવાનું છે.
૮૧ “ઠાણુંગસૂત્રમાં કહેવામાં આવ્યું છે કે જીવ, અજીવ, પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મેક્ષ એ પદાર્થ સદ્ભાવ છે, એટલે તેના ભાવ છતા છે; કલ્પવામાં આવ્યા છે એમ નથી.
૮૨ વેદાંત છે તે શુદ્ધનયઆભાસી છે. શુદ્ધનયઆભાસમતવાળા “નિશ્ચયનય સિવાય બીજા નયને એટલે “વ્યવહારનયને ગ્રહણ કરતા નથી. જિન અનેકાંતિક છે, અર્થાત્ તે સ્યાદ્વાદી છે.
૮૩ કોઈ નવ તત્વની, કઈ સાત તત્વની, કઈ પદ્વવ્યની, કોઈ ષપદની, કોઈ બે રાશિની વાત કહે છે, પરંતુ તે સઘળું જીવ, અજીવ એવી બે રાશિ અથવા એ બે તત્વ અર્થાત્ દ્રવ્યમાં સમાય છે.
૮૪ નિગદમાં અનંતા જીવી રહ્યા છે, એ વાતમાં તેમ જ કંદમૂળમાં સેયની અણી ઉપર રહે તેટલા નાના ભાગમાં અનંતા જીવ રહ્યા છે, તે વાતમાં આશંકા કરવાપણું છે નહીં. જ્ઞાનીએ જેવું સ્વરૂપ દીઠું છે તેવું જ કહ્યું છે. આ જીવ જે સ્થૂળદેહપ્રમાણ થઈ રહ્યો છે અને જેને પિતાના સ્વરૂપનું હજુ જાણપણું નથી થયું તેને એવી ઝીણી વાત સમજવામાં ન આવે તે વાત ખરી છે, પરંતુ તેને આશંકા કરવાનું કારણ નથી. તે આ રીતે :
ચોમાસાના વખતમાં એક ગામના પાદરમાં તપાસીએ તે ઘણી લીલેરી જોવામાં આવે છે, અને તેવી થેડી લીલેરીમાં અનંતા જીવે છે, તે એવા ઘણા ગામને વિચાર કરીએ, તે જીવની સંખ્યાના પ્રમાણુ વિષે અનુભવ નથી થયે છતાં બુદ્ધિબળથી વિચાર કરતાં અનંતપણું સંભાવી શકાય છે. કંદમૂળ આદિમાં અનંતપણું સંભવે છે. બીજી લીલેતરમાં અનંતપણું સંભવતું નથી, પરંતુ કંદમૂળમાં અનંતપણું ઘટે છે. કંદમૂળને અમુક શેડો ભાગ જે વાવવામાં આવે તે તે ઊગે છે, તે કારણથી પણ ત્યાં જીવનું વિશેષપણું ઘટે છે; તથાપિ જે પ્રતીતિ ન થતી હોય તે આત્માનુભવ કરે; આત્માનુભવ થવાથી પ્રતીતિ થાય છે. જ્યાં સુધી આત્માનુભવ નથી થતું, ત્યાં સુધી તે પ્રતીતિ થવી મુશ્કેલ છે, માટે જે તેની પ્રતીતિ કરવી હોય તે પ્રથમ આત્માના અનુભવી થવું.
૮૫ જ્યાં સુધી જ્ઞાનાવરણીયન ક્ષે પશમ નથી થયું, ત્યાં સુધી સમ્યકત્વની પ્રાપ્તિ થવાની ઈચ્છા રાખનારે વાતની પ્રતીતિ રાખી આજ્ઞાનુસાર વર્તન કરવું.
૮૬ જીવમાં સંકેચ વિસ્તારની શક્તિરૂપ ગુણ રહે છે તે કારણથી તે નાનામોટા શરીરમાં દેહપ્રમાણ સ્થિતિ કરી રહે છે. આ જ કારણથી જ્યાં શેડા અવકાશને વિષે પણ સંકેચપણું વિશેષપણે કરી શકે છે ત્યાં જ તેમ કરી રહેલા છે.
૮૭ જેમ જેમ જીવ કર્મપુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org