SearchBrowseAboutContactDonate
Page Preview
Page 830
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન સાર–૧ ૭૪૧ ૪૩ મોક્ષમાર્ગ કરવાળની ધાર જેવો છે, એટલે એકધારો (એક પ્રવાહરૂપે) છે. ત્રણે કાળમાં એકધારાએ એટલે એકસરખો પ્રવર્તે તે જ મોક્ષમાર્ગ–વહેવામાં ખંડિત નહીં તે જ મોક્ષમાર્ગ. ૪૪ અગાઉ બે વખત કહેવામાં આવ્યું છે છતાં આ ત્રીજી વખત કહેવામાં આવે છે કે કયારેય પણ બાદર અને બાહ્ય ક્રિયાને નિષેધ કરવામાં આવ્યું નથી, કારણ કે અમારા આત્માને વિષે તે ભાવ કોઈ દિવસ સ્વપ્નેય પણ ઉત્પન્ન થાય તેમ છે નહીં. ૪૫ રૂઢિવાળી ગાંઠ, મિથ્યાત્વ અથવા કષાયને સૂચવનારી ક્રિયાના સંબંધમાં વખતે કઈ પ્રસંગે કાંઈ કહેવામાં આવ્યું હોય, તે ત્યાં ક્રિયાના નિષેધઅર્થે તે નહીં જ કહેવામાં આવ્યું હોય છતાં કહેવાથી બીજી રીતે સમજવામાં આવ્યું હોય, તે તેમાં સમજનારે પિતાની ભૂલ થઈ છે, એમ સમજવાનું છે. ૪૬ જેણે કષાયભાવનું ઉચ્છેદન કરેલું છે તે કષાયભાવનું સેવન થાય એમ કદી પણ કરે નહીં. ૪૭ અમુક ક્રિયા કરવી એવું જ્યાં સુધી અમારા તરફથી કહેવામાં નથી આવતું ત્યાં સુધી એમ સમજવું કે તે કારણસહિત છે, ને તેથી કરી ક્રિયા ન કરવી એમ કરતું નથી. ૪૮ હાલ અમુક ક્રિયા કરવી એમ કહેવામાં જે આવે અને પાછળથી દેશકાળને અનુસરી તે ક્રિયાને બીજા આકારમાં મૂકી કહેવામાં આવે તે શ્રોતાના મનમાં શંકા આણવાનું કારણ થાય છે, એક વખત આમ કહેવામાં આવતું હતું, ને બીજી વખત આમ કહેવામાં આવે છે; એવી શંકાથી તેનું શ્રેય થવાને બદલે અશ્રેય થાય. ૪૯ બારમાં ગુણસ્થાનકના છેલ્લા સમય સુધી પણ જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવાનું થાય છે. તેમાં સ્વછંદપણું વિલય થાય છે. ૫૦ સ્વછંદે નિવૃત્તિ કરવાથી વૃત્તિઓ શાંત થતી નથી, પણ ઉન્મત્ત થાય છે, અને તેથી પડવાનો વખત આવે છે; અને જેમ જેમ આગળ ગયા પછી જે પડવાનું થાય છે, તે તેમ તેમ તેને પછાટ વધારે લાગે છે, એટલે ઘણે તે ઊડી જાય છે, અર્થાત્ પહેલામાં જઈ ખૂંચે છે, એટલું જ નહીં પરંતુ તેને ત્યાં ઘણુ કાળ સુધી જેરની પછાટથી ખેંચ્યા રહેવું પડે છે. ૫૧ હજ પણ શંકા કરવી હોય તે કરવી; પણ એટલું તે ચોક્કસપણે શ્રદ્ધવું કે જીવથી માંડી મોક્ષ સુધીના જે પાંચ પદ (જીવ છે, તે નિત્ય છે, તે કર્મને કર્તા છે, તે કર્મને ભક્તા છે, મોક્ષ છે.) તે છે, અને મોક્ષને ઉપાય પણ છે, તેમાં કાંઈ પણ અસત્ય નથી. આવો નિર્ણય કર્યા પછી તેમાં તે કોઈ દિવસ શંકા કરવી નહીં, અને એ પ્રમાણે નિર્ણય થયા પછી ઘણું કરીને શંકા થતી નથી. જે કદાચ શંકા થાય તે તે દેશશંકા થાય છે, ને તેનું સમાધાન થઈ શકે છે. પરંતુ મૂળમાં એટલે જીવથી માંડી મોક્ષ સુધી અથવા તેના ઉપાયમાં શંકા થાય તે તે દેશશંકા નથી પણ સર્વશંકા છે ને તે શંકાથી ઘણું કરી પડવું થાય છે, અને તે પડવું એટલા બધા જેરમાં થાય છે કે તેની પછાટ અત્યંત લાગે છે. પર આ જે શ્રદ્ધા છે તે બે પ્રકારે છે : એક “ઘે અને બીજી “વિચારપૂર્વક - ૫૩ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનથી જે કંઈ જાણી શકાય છે તેમાં અનુમાન સાથે રહે છે, પરંતુ તેથી આગળ અને અનુમાન વિના શુદ્ધપણે જાણવું એ મન:પર્યવજ્ઞાન વિષય છે; એટલે મૂળ તે મતિ, શ્રત, અને મન ૫ર્યવજ્ઞાન એક છે, પરંતુ મનઃ૫ર્યવમાં અનુમાન વિના મતિની નિર્મલતાએ શુદ્ધ જાણી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy