SearchBrowseAboutContactDonate
Page Preview
Page 823
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩૪ શ્રીમદ્ રાજચંદ્ર અસદ્દગુરુથી સત્ સમજાય નહીં, સમકિત થશે નહીં. દયા, સત્ય, અદત્ત ન લેવું એ આદિ સદાચાર એ પુરુષની સમીપ આવવાનાં સસાધન છે. પુરુષો જે કહે છે તે સૂત્રના, સિદ્ધાંતના પરમાર્થ છે. સૂત્ર સિદ્ધાંત તે કાગળ છે. અમે અનુભવથી કહીએ છીએ, અનુભવથી શંકા મટાડવાનું કહી શકીએ છીએ. અનુભવ પ્રગટ દીવે છે, ને સૂત્ર કાગળમાં લખેલ દવે છે. ટૂંઢિયાપણું કે તપાપણું કર્યા કરે તેથી સમકિત થવાનું નથી; ખરેખરું સાચું સ્વરૂપ સમજાય, માંહીથી દશા ફરે તે સમતિ થાય. પરમાર્થમાં પ્રમાદ એટલે આત્મામાંથી બહાર વૃત્તિ છે. ઘાતીકર્મ ઘાત કરે તેને કહેવાય. પરમાણુને પક્ષપાત નથી, જે રૂપે આત્મા પરિણમાવે તે રૂપે પરિણમે. નિકાચિત કર્મમાં સ્થિતિબંધ હોય તે બરાબર બંધ થાય છે. સ્થિતિકાળ ન હોય તે તે વિચારે, પશ્ચાત્તાપે, જ્ઞાનવિચારે નાશ થાય. સ્થિતિકાળ હોય તે ભેગવ્ય છૂટકે. ક્રોધાદિક કરી જે કર્મો ઉપાર્જન કર્યા હોય તે ભગવ્ય છૂટકે. ઉદય આવ્યે ભેગવવું જ જોઈએ, સમતા રાખે તેને સમતાનું ફળ. સહુ સહુના પરિણામ પ્રમાણે કર્મ ભેગવવાં પડે છે. જ્ઞાન સ્ત્રીપણામાં, પુરુષપણામાં સરખું જ છે. જ્ઞાન આત્માનું છે. વેદથી રહિત થાય ત્યારે જ યથાર્થ જ્ઞાન થાય. - સ્ત્રી હોય કે પુરુષ હોય પણ દેહમાંથી આત્મા નીકળી જાય ત્યાં શરીર તે મડદું છે ને ઇદ્રિ ગોખલા જેવી છે. મહાવીર ભગવાનના ગર્ભનું હરણ થયું હશે કે કેમ? એવા વિકલ્પનું શું કામ છે? ભગવાન ગમે ત્યાંથી આવ્યા; પણ સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્ર હતાં કે નહીં? આપણે તે એનું કામ છે, એના આશ્રયે તરવાને ઉપાય કર એ જ શ્રેયસ્કર છે. કલ્પના કરી કરી શું કરવું છે? ગમે તેમ સાધન મેળવી ભૂખ મટાડવી છે. શાસ્ત્રમાં કહેલી વાતે આત્માને ઉપકાર થાય તેમ ગ્રહવી, બીજી રીતે નહીં. જીવ બૂડી રહ્યો છે ત્યાં અજ્ઞાની જીવ પૂછે કે “કેમ પડ્યો એ આદિ પંચાત કરે ત્યાં તે એ જીવ બૂડી જાય, પૂરે થાય. પણ જ્ઞાની તે તારનાર હેવાથી તે બીજી પંચાત મૂકી, બૂડતાને તુરત તારે છે. ન જગતની ભાંજગડ કરતાં કરતાં જીવ અનાદિકાળથી રખડ્યો છે. એક ઘરમાં મારાપણું માન્યું ત્યાં તે આટલું બધું દુઃખ છે તે પછી જગતની, ચક્રવતીની રિદ્ધિની કલ્પના, મમતા કરવાથી દુઃખમાં શું બાકી રહે? અનાદિકાળથી એથી હારી જઈ મરી રહ્યો છે. જાણપણું શું? પરમાર્થને કામમાં આવે તે જાણપણું. સમ્યક્દર્શન સહિત જાણપણું હોય તે સમ્યકજ્ઞાન. નવપૂર્વ તે અભવી પણ જાણે. પણ સમ્યફદર્શન વિના તે સૂત્રઅજ્ઞાન કહ્યું છે. સમ્યક્ત્વ હેય ને શાસ્ત્રના માત્ર બે શબ્દ જાણે તો પણ મોક્ષના કામમાં આવે. મિક્ષના કામમાં જે જ્ઞાન ન આવે તે અજ્ઞાન. મેર આદિનું વર્ણન જાણું તેની કલ્પના, ફિકર કરે, જાણે મેરુને કંટ્રાક્ટ ના લે હોય? જાણવાનું તે મમતા મૂકવા માટે છે. * ઝેરને જાણે તે ના પીએ. ઝેરને જાણીને પીએ તો તે અજ્ઞાન છે. માટે જાણીને મૂકવા માટે જાણપણું કહ્યું છે. જે દ્રઢ નિશ્ચય કરે કે ગમે તેમ કરું, ઝેર પીઉં, પર્વત પરથી પડું, કૂવામાં પડું પણ કલ્યાણ થાય તે જ કરું. એનું જાણપણું સાચું. તે જ કરવાનું કામી કહેવાય. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy