SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૩૩ કરે તે રોગ મટે. રોગ જાણ્યા વગર અજ્ઞાની જે ઉપાય કરે તેથી રોગ વધે. પથ્ય પાળે ને દવા કરે નહીં, તે રોગ કેમ મટે ? ન મટે. તે આ તે રગે કાંઈ, ને દવાય કાંઈ ! શાસ્ત્ર તે જ્ઞાન કહેવાય નહીં. જ્ઞાન તે માંહીથી ગાંઠ મટે ત્યારે જ કહેવાય. તપ, સંયમાદિ માટે પુરુષનાં વચન સાંભળવાનું બતાવ્યું છે.. જ્ઞાની ભગવાને કહ્યું છે કે સાધુઓએ અચેત અને નીરસ આહાર લે. આ કહેવું તે કેટલાક સાધુએ ભૂલી ગયા છે. દૂધ આદિ સચેત ભારે ભારે વિગય પદાર્થો લઈ જ્ઞાનીની આજ્ઞા પર પગ દઈ ચાલે તે કલ્યાણને રસ્તે નહીં. લેક કહે છે કે સાધુ છે, પણ આત્મદશા સાથે તે સાધુ. - નરસિંહ મહેતા કહે છે કે અનાદિકાળથી આમ ને આમ ચાલતાં કાળ ગયે, પણ નિવેડે આવ્યો નહીં. આ માર્ગ નહીં, કેમકે અનાદિકાળથી ચાલતાં ચાલતાં પણ માર્ગ હાથ આવ્યો નહીં. જો આ માર્ગ જ હોય તે હજી સુધી કાંઈયે હાથમાં આવ્યું નહીં એમ બને નહીં. માટે માગે જુદો જ હોવો જોઈએ. તૃષ્ણા કેમ ઘટે? લૌકિક ભાવમાં મેટાઈ મૂકી દે છે. “ઘર-કુટુંબ આદિને મારે શું કરવું છે? લૌકિકમાં ગમે તેમ હોય, પણ મારે તે મોટાઈ મૂકી ગમે તે પ્રકારે તૃષ્ણ ઘટે તેમ કરવું છે એમ વિચારે તે તૃષ્ણ ઘટે, મળી પડે. તપનું અભિમાન કેમ ઘટે ? ત્યાગ કર તેને ઉપગ રાખવાથી. “મને આ અભિમાન કેમ થાય છે?’ એમ જ વિચારતાં વિચારતાં અભિમાન મેળું પડશે. જ્ઞાની કહે છે તે કંચીરૂપી જ્ઞાન વિચારે, તે અજ્ઞાનરૂપી તાળું ઊઘડી જાય; કેટલાંય તાળાં ઊઘડી જાય. કૂંચી હોય તે તાળું ઊઘડે; બાકી પહાણુ માર્યો તે તાળું ભાંગી જાય. કલ્યાણ શું હશે?' એ જીવને ભામે છે. તે કાંઈ હાથી-ઘેડ નથી. જીવને આવી બ્રાંતિને લીધે કલ્યાણની કૂંચીઓ સમજાતી નથી. સમજાય તે તે સુગમ છે. જીવની બ્રાંતિઓ દૂર કરવા માટે જગતનું વર્ણન બતાવ્યું છે. જે જીવ હમેશના અંધમાર્ગથી થાકે તે માર્ગમાં આવે. જ્ઞાની પરમાર્થ, સમ્યકત્વ હોય તે જ કહે. “કષાય ઘટે તે કલ્યાણ, જીવનાં રાગ, દ્વેષ, અજ્ઞાન જાય તેને કલ્યાણ કહેવાય. ત્યારે લેક કહે છે કે, “એવું તે અમારા ગુરુએય કહે છે; ત્યારે જુદું શું બતાવે છે ?” આવી આડી કપનાઓ કરી જીવને પિતાના દોષ મટાડવા ઈચ્છા નથી. આત્મા અજ્ઞાનરૂપી પથ્થરે કરી દબાઈ ગયા છે. જ્ઞાની જ આત્માને ઊંચે લાવશે. આત્મા દબાઈ ગયું છે એટલે કલ્યાણ સૂઝતું નથી. જ્ઞાની સદ્દવિચારરૂપી સહેલી કૂંચીઓ બતાવે તે કુચીએ હજારો તાળાંને લાગે છે. જીવને માંહીથી અજીર્ણ મટે ત્યારે અમૃત ભાવે, તે જ રીતે ભ્રાંતિરૂપી અજીર્ણ મટે કલ્યાણ થાય; પણ જીવને અજ્ઞાની ગુરુએ ભડકાવી માર્યા છે એટલે બ્રાંતિરૂપ અજીર્ણ કેમ મટે ? અજ્ઞાની ગુરુઓ જ્ઞાનને બદલે તપ બતાવે; તપમાં જ્ઞાન બતાવે; આવી રીતે અવળું અવળું બતાવે તેથી જીવને તરવું બહુ મુસીબતવાળું છે. અહંકારાદિરહિતપણે તપાદિ કરવાં. કદાગ્રહ મૂકીને જીવ વિચારે, તે માર્ગ તે જુદો છે. સમકિત સુલભ છે, પ્રત્યક્ષ છે, સહેલું છે. જીવ ગામ મૂકી આઘે ગમે છે તે પાછા ફરે ત્યારે ગામ આવે. પુરુષનાં વચનનું આસ્થા સહિત શ્રવણમનન કરે તે સમ્યક્ત્વ આવે. તે આવ્યા પછી વ્રતપશ્ચખાણ આવે, ત્યાર પછી પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય. સાચું સમજાઈ તેની આસ્થા થઈ તે જ સમ્યકત્વ છે. જેને ખરાખેટાની કિંમત થઈ છે, તે ભેદ જેને મટ્યો છે તેને સમ્યકત્વ પ્રાપ્ત થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy