SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ર શ્રીમદ્ રાજચંદ્ર હોય તે તે દેહને અસાર જાણે છે, દેહને આત્માથી જુદો જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. દેહ સાચવ્યો સચવાતું નથી, કેમકે તે ક્ષણમાં ભાંગી જાય છે, ક્ષણમાં રેગ, ક્ષણમાં વેદના થાય. દેહના સંગે દેહ દુઃખ આપે છે માટે આકુળવ્યાકુળપણું થાય છે તે જ અજ્ઞાન છે. શાસ્ત્ર શ્રવણુ કરી રેજ સાંભળ્યું છે કે દેહ આત્માથી જુદો છે, ક્ષણભંગુર છે; પણ દેહને વેદના આવ્યું તે રાગદ્વેષપરિણામ કરી બૂમ પાડે છે. દેહ ક્ષણભંગુર છે એવું તમે શાસ્ત્રમાં સાંભળવા શું કરવા જાએ છે? દેહ તે તમારી પાસે છે તે અનુભવ કરે. દેહ પ્રગટ માટી જે છે, સાચા સચવાય નહીં, રાખે ૨ખાય નહીં. વેદના વેદતાં ઉપાય ચાલે નહીં. ત્યારે શું સાચવે ? કંઈ પણ બની શકતું નથી. આ દેહને પ્રત્યક્ષ અનુભવ થાય છે, તે તેની મમતા કરી કરવું શું? દેહને પ્રગટ અનુભવ કરી શાસ્ત્રમાં કહ્યું કે તે અનિત્ય છે, અસાર છે, માટે દેહમાં મૂચ્છ કર્યા જેવું નથી. જ્યાં સુધી દેહાત્મબુદ્ધિ ટળે નહીં ત્યાં સુધી સમ્યકત્વ થાય નહીં. જીવને સાચ કયારેય આવ્યું જ નથી; આવ્યું હોત તો મોક્ષ થાત. ભલે સાધુપણું, શ્રાવકપણું અથવા તે ગમે તે લે, પણ સાચ વગર સાધન તે વૃથા છે. જે દહાત્મબુદ્ધિ મટાડવા માટે સાધન બતાવ્યાં છે તે દેહાત્મબુદ્ધિ માટે ત્યારે સાચ આવ્યું સમજાય. દેહાત્મબુદ્ધિ થઈ છે તે મટાડવા, મારાપણું મુકાવવા સાધન કરવાનાં છે. તે ન મટે તે સાધુપણું, શ્રાવકપણું, શાસ્ત્રશ્રવણ કે ઉપદેશ તે વગડામાં પિક મૂક્યા જેવું છે. જેને એ ભ્રમ ભાંગી ગયું છે, તે જ સાધુ, તે જ આચાર્ય, તે જ જ્ઞાની. જેમ અમૃતભેજન જમે તે કાંઈ છાનું રહે નહીં, તેમ ભ્રાંતિ, બ્રમબુદ્ધિ મટે તે કાંઈ છાનું રહે નહીં. લેક કહે છે કે સમકિત છે કે નહીં તે કેવળજ્ઞાની જાણે, પણ પિતે આત્મા છે તે કેમ ન જાણે? કાંઈ આત્મા ગામ ગયે નથી, અર્થાત્ સમકિત થયું છે તે આત્મા પિતે જાણે. જેમ કોઈ પદાર્થ ખાવામાં આવ્યું તેનું ફળ આપે છે તેમ જ સમકિત આવ્ય, ભ્રાંતિ મત્યે, તેનું ફળ પોતે જાણે. જ્ઞાનનું ફળ જ્ઞાન આપે જ. પદાર્થનું ફળ પદાર્થ, લક્ષણ પ્રમાણે આપે જ, આત્મામાંથી, માંહીથી કર્મ જઉં જઉં થયાં હોય તેની પિતાને ખબર કેમ ન પડે ? અર્થાત્ ખબર પડે જ. સમકિતીની દશા છાની રહે નહીં. કલ્પિત સમકિત માને તે પીતળની હીરાકંઠીને સેનાની હીરાકંઠી માને તેની પેઠે. સમકિત થયું હોય તે દેહાત્મબુદ્ધિ મટે; જોકે અલ્પ બેધ, મધ્યમ બોધ, વિશેષ બેધ જે હોય તે પ્રમાણે પછી દેહાત્મબુદ્ધિ મટે. દેહને વિષે રોગ આવ્યે જેનામાં આકુળવ્યાકુળતા માલૂમ પડે તે મિથ્યાદૃષ્ટિ જાણવા. જે જ્ઞાનીને આકુળવ્યાકુળતા મટી ગઈ છે તેને અંતરંગ પચ્ચખાણ જ છે. તેને બધાં પચ્ચખાણ આવી જાય છે. જેને રાગદ્વેષ મટી ગયા છે તેને વશ વર્ષને છોકરે મરી જાય, તે પણ ખેદ થાય નહીં. શરીરને વ્યાધિ થવાથી જેને વ્યાકુળપણું થાય છે, અને જેનું ક૯૫ના માત્ર જ્ઞાન છે તે પિલું અધ્યાત્મજ્ઞાન માનવું. આવા કલ્પિત જ્ઞાની તે પહેલા જ્ઞાનને અધ્યાત્મજ્ઞાન માની અનાચાર સેવી બહુ જ રખડે છે. જો શાસ્ત્રનું ફળ! - આત્માને પુત્ર પણ ન હોય અને પિતા પણ ન હોય. જે આવી (પિતા-પુત્રની) કલ્પનાને સાચું માની બેઠા છે તે મિથ્યાત્વી છે. ખોટા સંગથી સમજાતું નથી, માટે સમકિત આવતું નથી. સપુરુષના સંગથી જોગ્ય જીવ હોય તે સમ્યક્ત્વ થાય. સમકિત ને મિથ્યાત્વની તરત ખબર પડે તેવું છે. સમકિતીની અને મિથ્યાત્વીની વાણી ઘડીએ ઘડીએ જુદી પડે છે. જ્ઞાનીની વાણી એક જ ધારી, પૂર્વાપર મળતી આવે. અંતરંગ ગાંઠ મટે ત્યારે જ સમ્યકૃત્ય થાય. રોગ જાણે, રોગની દવા જાણે, ચરી જાણે, પથ્ય જાણે અને તે પ્રમાણે ઉપાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy