SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૧૭ મા પહેલાં ૮૫ જેમ બને તેમ આજના દિવસ સંબંધી, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત ઓછો રહેજે. ૮૬ આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. ૮૭ તમાકુ ચૂંઘવા જેવું નાનું વ્યસન પણ હોય તે આજે પૂર્ણ કર–(૦) નવીન વ્યસન કરતાં અટક. ૯૮ દેશ, કાળ, મિત્ર એ સઘળાંને વિચાર સર્વ મનુષ્ય આ પ્રભાતમાં સ્વશક્તિ સમાન કરવો ઉચિત છે. ૮૯ આજે કેટલા સપુરુષને સમાગમ થયે, આજે વાસ્તવિક આનંદસ્વરૂપ શું થયું? એ ચિંતવન વિરલા પુરુષે કરે છે. ૯૦ આજે તું ગમે તેવા ભયંકર પણ ઉત્તમ કૃત્યમાં તત્પર છે તે નાહિમ્મત થઈશ નહીં. ૯૧ શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજનાં તારાં સત્કૃત્યનું જીવન છે. ૯૨ તારું, તારા કુટુંબનું, મિત્રનું, પુત્રનું, પત્નીનું, માતાપિતાનું, ગુરૂનું, વિદ્વાનનું, પુરુષનું યથાશક્તિ હિત, સન્માન, વિનય, લાભનું કર્તવ્ય થયું હોય તે આજના દિવસની તે સુગંધી છે. ( ૯૩ જેને ઘેર આ દિવસ ફ્લેશ વગરને, સ્વચ્છતાથી, શૌચતાથી, સંપથી, સંતેષથી, સૌમ્યતાથી, સ્નેહથી, સભ્યતાથી, સુખથી જશે તેને ઘેર પવિત્રતાને વાસ છે. ૯૪ કુશલ અને કહ્યાગરા પુત્રો, આજ્ઞાવલંબની ધર્મયુક્ત અનુચરે, સદ્ગુણી સુંદરી, સંપીલું કુટુંબ, સપુરુષ જેવી પિતાની દશા જે પુરુષની હશે તેને આજનો દિવસ આપણે સઘળાને વંદનીય છે. ૫ એ સર્વ લક્ષણસંયુક્ત થવા જે પુરુષ વિચક્ષણતાથી પ્રયત્ન કરે છે તેને દિવસ આપણને માનનીય છે. ૯૬ એથી પ્રતિભાવવાળું વર્તન જ્યાં મચી રહ્યું છે તે ઘર આપણી કટાક્ષદ્રષ્ટિની રેખા છે. ૯૭ ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતે હો, પરંતુ નિરુપાધિમય હોય તે ઉપાધિમય પેલું રાજસુખ ઈચ્છી તારે આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં. ૯૮ કોઈએ તને કડવું કથન કહ્યું હોય તે વખતમાં સહનશીલતા–નિરુપયેગી પણ, ૯૯ દિવસની ભૂલ માટે રાત્રે હસજે, પરંતુ તેવું હસવું ફરીથી ન થાય તે લક્ષિત રાખજે. ૧૦૦ આજે કંઈ બુદ્ધિપ્રભાવ વધાર્યો હેય, આત્મિક શક્તિ ઉજવાળી હોય, પવિત્ર કૃત્યની વૃદ્ધિ કરી હોય તે તે, ૧૦૧ અયોગ્ય રીતે આજે તારી કઈ શક્તિને ઉપયોગ કરીશ નહીં–મર્યાદા નથી કરવો પડે તે પાપભીરુ રહેજે. ૧૦૨ સરળતા એ ધર્મનું બીજવરૂપ છે. પ્રજ્ઞાએ કરી સરળતા સેવાઈ હોય તે આજનો દિવસ સર્વોત્તમ છે. ૧૦૩ બાઈ, રાજપત્ની હો કે દીનજનપત્ની હો, પરંતુ મને તેની કંઈ દરકાર નથી. મર્યાદાથી વર્તતી મેં તે શું પણ પવિત્ર જ્ઞાનીઓએ પ્રશંસી છે. ૧૦૪ સદ્દગુણથી કરીને જે તમારા ઉપર જગતને પ્રશસ્ત મેહ હશે તે હે બાઈ, તમને હું વંદન કરું છું. ૧૦૫ બહુમાન, નમ્રભાવ, વિશુદ્ધ અંતઃકરણથી પરમાત્માના ગુણસંબંધી ચિંતવન, શ્રવણ, મનન, કીર્તન, પૂજા, અર્ચા એ જ્ઞાની પુરુષોએ વખાણ્યાં છે, માટે આજને દિવસ ભાવજો. - ૧૦૬ સશીલવાન સુખી છે. દુરાચારી દુઃખી છે. એ વાત જો માન્ય ન હોય તે અત્યારથી તમે લક્ષ રાખી તે વાત વિચારી જુઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy