SearchBrowseAboutContactDonate
Page Preview
Page 816
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદેશ છાયા ૭૨૭ અંદરથી છૂટે ત્યારે બહારથી છૂટે; અંદરથી છૂટ્યા વગર બહારથી છૂટે નહીં. એકલું બહારથી છેડે તેમાં કામ થાય નહીં. આત્મસાધન વગર કલ્યાણ થતું નથી. બાહ્ય અને અંતર બન્ને સાધન જેને છે તે ઉત્કૃષ્ટ પુરુષ છે; તે શ્રેષ્ઠ છે. જે સાધુના સંગથી અંતર્ગુણ પ્રગટે તેને સંગ કરે. કલાઈને અને ચાંદીને રૂપિયે સરખે કહેવાય નહીં. કલાઈ ઉપર સિકકો પાડે, પણ તેની રૂપિયાની કિંમત થાય નહીં. જ્યારે ચાંદી છે તેના ઉપર સિક્કો ન પડે તે પણ તેની કિંમત જાય નહીં. તેવી જ રીતે ગૃહસ્થપણમાં જ્ઞાન પામે, ગુણ પ્રગટે, સમકિત હોય તે તેની કિંમત જાય નહીં. સહ કહે છે કે અમારા ધર્મથી મેક્ષ છે. આત્મામાં રાગદ્વેષ ગયે જ્ઞાન પ્રગટે. ગમે ત્યાં બેઠાં, ને ગમે તે સ્થિતિમાં મિક્ષ થાય; પણ રાગદ્વેષ જાય તે. મિથ્યાત્વ, ને અહંકાર ગયા વગર રાજપાટ છેડે, ઝાડની માફક સુકાઈ જાય; પણ મોક્ષ થાય નહીં. મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યક્દર્શન શ્રેષ્ઠ છે. ૧૨ આણંદ, ભા. વદ ૧૩, રવિ, ૧૫ર સંસારમાં મેહ છે; સ્ત્રીપુત્રમાં મારાપણું થઈ ગયું છે; ને કષાયને ભરેલું છે તે રાત્રિભોજન ન કરે તે પણ શું થયું? જ્યારે મિથ્યાત્વ જાય ત્યારે તેનું ખરું ફળ થાય. હાલમાં જૈનના જેટલા સાધુ ફરે છે તેટલા બધાય સમકિતી સમ તેવા નહીં. તેને દાન દેવામાં હાનિ નથી, પણ તેઓ આપણું કલ્યાણ કરી શકે નહીં. વેશ કલ્યાણ કરતું નથી. જે સાધુ એકલી બાહ્ય ક્રિયાઓ કર્યા કરે છે તેમાં જ્ઞાન નથી. જ્ઞાન તે છે કે જેનાથી બાહ્યવૃત્તિઓ રોકાય છે, સંસાર પરથી ખરેખરી પ્રીતિ ઘટે છે, સાચાને સાચું જાણે છે. જેનાથી આત્મામાં ગુણ પ્રગટે તે જ્ઞાન. મનુષ્ય અવતાર પામીને રળવામાં અને સ્ત્રીપુત્રમાં તદાકાર થઈ આત્મવિચાર કર્યો નહીં, પિતાના દેષ જોયા નહીં, આત્માને નિંઘો નહીં, તે તે મનુષ્ય અવતાર, રત્નચિંતામણિરૂપ દેહ, વૃથા જાય છે. છવ બેટા સંગથી, અને અસદ્દગુરુથી અનાદિકાળથી રખડ્યો છે, માટે સાચા પુરુષને ઓળખવા. સાચા પુરુષ કેવા છે? સાચા પુરુષ તે છે કે જેને દેહ પરથી મમત્વ ગયું છે, જ્ઞાન પ્રાપ્ત થયું છે. આવા જ્ઞાની પુરુષની આજ્ઞાએ વર્તે તે પોતાના દોષ ઘટે; અને કષાયાદિ મેળા પડે પરિણામે સમ્યકત્વ થાય. ક્રોધ, માન, માયા, લેભ એ ખરેખરાં પાપ છે. તેનાથી બહુ કર્મ ઉપાર્જન થાય. હજાર વર્ષ તપ કર્યું હોય; પણ એક બે ઘડી ક્રોધ કરે તે બધું તપ નિષ્ફળ જાય.. “છ ખંડના ભક્તા રાજ મૂકી ચાલી ગયા, અને હું આવા અલ્પ વ્યવહારમાં મેટાઈ અને અહંકાર કરી બેઠો છું” એમ કેમ વિચારતે નથી? આયુષનાં આટલાં વર્ષે ગયાં તેપણ લેભ કાંઈ ઘટ્યો નહીં; ને કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું નહીં, ગમે તેટલી તૃષ્ણા હોય પણ આયુષ પૂર્ણ થાય ત્યારે જરા પણ કામ આવે નહીં ને તૃષ્ણા કરી હોય તેથી કર્મ બંધાય. અમુક પરિગ્રહ મર્યાદા કરી હોય, જેમ કે દશ હજાર રૂપિયાની તે સમતા આવે. આટલું મળ્યા પછી ધર્મધ્યાન કરીશું એ વિચાર પણ રાખે તે નિયમમાં અવાય. કઈ ઉપર ક્રોધ કરે નહીં. જેમ રાત્રિભેજન ત્યાગ કર્યું છે તેમ ક્રોધ, માન, માયા, લેભ, અસત્ય આદિ છેડવાનો પ્રયત્ન કરી મેળાં પાડવાં. તે મેળાં પાડવાથી પરિણામે સમ્યકત્વ પ્રાપ્ત થાય. વિચાર કરે તે અનંતા કર્મો મેળાં પડે; અને વિચાર ન કરે તે અનંતાં કર્મો ઉપાર્જન થાય. રોગ ઉત્પન્ન થાય છે ત્યારે સ્ત્રી, છોકરાયાં, ભાઈ કે કઈ પણ તે રેગ લઈ શકતાં નથી! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001415
Book TitleShrimad Rajchandra
Original Sutra AuthorN/A
AuthorGovardhandas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2006
Total Pages1032
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Discourse, Philosophy, Worship, Sermon, & Rajchandra
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy